ANM – FY- CHILD HEALTH NURSING PAPER SOLUTION 13/09/2025(UPLOAD)
13/09/2025
પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) વૃદ્ધિ અને વિકાસ એટલે શું? 03
વૃદ્ધિ
વૃદ્ધિ એટલે બાળકના કદ અથવા શરીરના ભાગોમાં ક્રમિક વધારો.
તે સૂચક છે એટલે કે શરીર, કદ, વજન વગેરેમાં વધારો.
તે માત્રાત્મક પ્રગતિ છે.
તે શારીરિક પરિવર્તન છે.
તે પ્રકૃતિમાં બાહ્ય છે ચોક્કસ તબક્કે અટકે છે.
તે શારીરિક પ્રગતિ છે.
વિકાસ
વિકાસ એટલે વિવિધ કુશળતા (ક્ષમતાઓ) નું પ્રગતિશીલ સંપાદન છે જેમ કે બોલવું, શીખવું, લાગણીઓને વ્યક્ત કરવું અને અન્ય લોકો સાથે સંબંધ બનાવવા.
ટૂંકમાં બાળકોમાં થતા કૌશલ્ય અને કાર્યશક્તિના વધારાને વિકાસ કહે છે.
તે સૂચક નથી.
તે ગુણાત્મક પ્રગતિ છે.
તે માનસિક પરિવર્તન છે.
તે આંતરિક પ્રકૃતિ છે.
તે સતત પ્રક્રિયા છે.
તેમાં સમજશક્તિમાં વધારો થાય છે.
(૨) બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરતા પરિબળો જણાવો.04
બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો
પ્રકૃતિ અને પોષણ બંને બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. તેમ છતાં જે પ્રકૃતિ દ્વારા સંપન્ન છે તે સ્થિર છે, તેમ છતાં પોષણથી પણ મોટો ફરક પડે છે. અહીં બાળકોના વૃદ્ધિ અને વિકાસને અસર કરતા કેટલાક પરિબળો છે.
1. આનુવંશિકતા
આનુવંશિકતા એ માતા પિતા પાસેથી તેમના જનીનો દ્વારા બાળકોમાં શારીરિક લાક્ષણિકતાઓનું પ્રસારણ છે.
તે ઊંચાઈ, વજન, શરીરની રચના, આંખનો રંગ, વાળનો રંગ, બુદ્ધિ અને યોગ્યતા જેવા શારીરિક દેખાવના તમામ પાસાઓને પ્રભાવિત કરે છે.
2. પર્યાવરણ
વાતાવરણ બાળકોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તે બાળકને પ્રાપ્ત થતી શારીરિક અને માનસિક ઉત્તેજના રજૂ કરે છે.
જેમાં ઘર અને શાળાનું વાતાવરણ, ચોખ્ખાઈ, સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, સ્વચ્છતા, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એક સારી શાળા અને પ્રેમાળ કુટુંબ- બાળકોને કુશળ બનાવે છે.
તેવી જ રીતે તણાવ પૂર્ણ વાતાવરણમાં ઉછરેલા બાળકો માટે આ ખરેખર અલગ હશે.
3. પોષણ
પોષણ એ બુદ્ધિમાં એક નિર્ણાયક પરિબળ છે કારણ કે શરીરને નિર્માણ અને સમારકામ માટે જે બધું જરૂરી છે તે આપણે ખાધેલા ખોરાકમાંથી આવે છે.
કુપોષણ એ રોગોનું કારણ બની શકે છે જે બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે.
બીજી બાજુ, અતિશય આહારથી ડાયાબિટીઝ અને હૃદય રોગ જેવા રોગ અને લાંબાગાળે મેદસ્વીપણા અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે.
મગજ અને શરીરના વિકાસ માટે વિટામીન, ખનીજો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબીવાળા સમતોલ આહાર જરૂરી છે.
4. જાતિ
બાળકની જાતિ એ વૃદ્ધિ અને વિકાસને અસર કરતી મુખ્ય બીજી બાબત છે.
છોકરાઓ અને છોકરીઓ જુદી જુદી રીતે વધે છે, ખાસ કરીને તરુણાવસ્થાની નજીક છોકરાઓ છોકરીઓ કરતા ઊંચા અને શારીરિક રીતે મજબૂત હોય છે.
જોકે, કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ ઝડપથી પુખ્ત વલણ ધરાવે છે.
તેમના શરીરની શારીરિક રચનામાં પણ તફાવત છે જે છોકરાઓને વધુ એથલેટીક બનાવે છે અને તે પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે.
તેમનો સ્વભાવ પણ બદલાય છે, જેનાથી તેઓ જુદી જુદી વસ્તુઓમાં રસ બતાવે છે.
5. હોર્મોન્સ
અંતસ્ત્રાવ પ્રણાલીથી સંબંધિત છે અને આપણા શરીરના વિવિધ કાર્યોને પ્રભાવિત કરે છે.
તેઓ શરીરના કાર્યોને નિયંત્રિત કરતા હોર્મોન્સ સ્ત્રાવ કરવા માટે શરીરના ચોક્કસ ભાગોમાં સ્થિત વિવિધ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
બાળકોમાં સામાન્ય શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે તેમની સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે.
હોર્મોન સ્ત્રાવ ગ્રંથિઓની કામગીરીમાં અસંતુલનના પરિણામે વૃદ્ધિની ખામી, જાડાપણું, વર્તણુકની સમસ્યાઓ અને અન્ય રોગો થઈ શકે છે.
તરુણાવસ્થા દરમિયાન ગોનાડ્સ સેક્સ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.
જે લિંગીક અંગોના વિકાસ અને છોકરાઓ અને છોકરીઓમાં જાતીય લાક્ષણિકતાઓના દેખાવને નિયંત્રિત કરે છે.
6. સામાજિક – આર્થિક સ્થિતિ
કુટુંબની સામાજિક – આર્થિક સ્થિતિ બાળકને મળેલી તકની ગુણવત્તા નક્કી કરે છે.
વધુ સારી શાળાઓમાં અભ્યાસ કરવાથી ચોક્કસપણે લાંબા ગાળે લાભ થાય છે.
કુટુંબીઓ તેમના બાળકો માટે વધુ સારા શિક્ષણ સંસાધનો પણ પ્રદાન કરી શકે છે અને જો બાળકોને જરૂર હોય તો તેઓ વિશેષ સહાય લે છે.
ગરીબ પરિવારોના બાળકોને તેમની સંપૂર્ણ સંભાવના સુધી પહોંચવા માટે શૈક્ષણિક સંસાધનો અને સારા પોષણની જરૂરિયાતો સંતોષાતી નથી.
તેમની પાસે કાર્યકારી માતા-પિતા પણ હોઈ શકે છે જેઓ ઘણા કલાકો કામ કરે છે અને તેમના વિકાસમાં ગુણવત્તાવાળા સમયનું રોકાણ કરી શકતા નથી.
7. અધ્યયન અને મજબૂતીકરણ
ભણતરમાં માત્ર ભણતર કરતા ઘણું બધું સામેલ છે.
તે માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે બાળકના નિર્માણ સાથે પણ સંબંધિત છે જેથી તેઓ સમાજમાં સ્વસ્થ કાર્યાત્મક વ્યક્તિઓ તરીકે કાર્ય કરે.
આથી મગજનો વિકાસ થાય છે અને બાળક પરિપક્વતા મેળવી શકે છે.
મજબૂતીકરણ એ શીખવાનું એક ઘટક છે જ્યાં પ્રવૃત્તિ અથવા કસરતનું પુનરાવર્તન કરવામાં આવે છે અને શીખ્યા પાઠોને મજબૂત કરવામાં આવે છે.
તેથી જે પાઠ શીખવામાં આવે છે તે યોગ્ય પરિણામો પ્રાપ્ત થાય ત્યાં સુધી પુનરાવર્તિત કરવું પડે છે.
(૩) અટલ સ્નેહ યોજનામાં કઈ કઈ જન્મજાત ખોડખાંપણનો સમાવેશ થાય છે.05
હોઠ તુટેલો હોવો
તાળવું તુટેલુ હોવુ
શ્વાસનળી અને અન્નનળીનું કાણુ એક હોવુ
હાર્ટનું જમણી બાજુએ હોવુ.
કરોડરજજુની ખોડખાંપણ
ડુટીમાંથી આંતરડાનું બહાર આવવુ.
એનસનું કાણુ બંધ હોવુ
ગ્લાન્સ પેનીસ પર સ્કીન હોવી
થાપાનું હાડકુ ખળી જવુ.
પગ વાંકા વળી જવા
પગના તળીયા સપાટ હોવા
અથવા
(૧) એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડીંગનું મહત્વ સમજાવો.03
એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડિંગ એટલે બાળકને જન્મથી 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવું – પાણી, મધ, ગાયનું દૂધ અથવા અન્ય કોઈ ખોરાક ન આપવો (ડૉક્ટરની સલાહ મુજબ દવા સિવાય).
બાળક માટેના લાભ
1) સંપૂર્ણ પોષણ
માતાનું દૂધ 6 મહિના સુધી બાળક માટે સંપૂર્ણ અને સંતુલિત આહાર છે.
2) રોગપ્રતિકારક શક્તિમાં વધારો
કોલોસ્ટ્રમ (પહેલું પીળાશ પડતું દૂધ) એન્ટીબોડીથી ભરપૂર હોય છે.
ડાયરીયા, ન્યુમોનિયા જેવા રોગોથી રક્ષણ આપે છે.
3) યોગ્ય વૃદ્ધિ અને વિકાસ
શારીરિક અને માનસિક વિકાસ માટે મદદરૂપ.
IQ લેવલમાં સુધારો.
4) ચેપનો ઓછો જોખમ
બોટલ ફીડિંગથી થતા ચેપથી બચાવે છે.
માતા માટેના લાભ
1) ગર્ભાશય ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવે
પ્રસૂતિ પછી બ્લીડિંગ ઓછું થાય છે.
2) ગર્ભનિરોધક અસર
પ્રથમ 6 મહિના સુધી LAM તરીકે કાર્ય કરે છે.
3) કેન્સરનો ઓછો જોખમ
સ્તન અને ગર્ભાશયના કેન્સરનો જોખમ ઓછો કરે છે.
4) માતા-બાળકનો લાગણીસભર સંબંધ મજબૂત કરે છે
સમાજ માટેના લાભ
ખર્ચમાં બચત
હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઓછી
સ્વસ્થ પેઢીનું નિર્માણ
(૨) બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ વિશે લખો.04
સ્તનપાન ને પ્રોત્સાહન આપવા માટે યુનિસેફ અને WHO એ ૧૨ દેશોની આગેવાનીમાં બાળ મિત્ર હોસ્પિટલ ( BFHI – baby friendly hospital initiative) ની પહેલ કરી.
1992 માં આ પ્રોગ્રામ ચાલુ થયો અને 1993માં સુધીમાં તે 171 દેશોમાં ફેલાયો.
1995 માં ભારતે આ કાર્યક્રમનો સ્વીકાર કર્યો અને 1998 માં આવા દવાખાનાની સંખ્યા 1372 જેટલી થઈ.
કોઈપણ દવાખાનાને બાળ મિત્ર દવાખાનું જાહેર કરવા માટે બી.એફ.એચની નીતિના 10 પગલાં અનુસરવા જરૂરી છે.
આ 10 પગલાની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.
આ પગલાં નીચે મુજબ છે:
સ્તનપાનની લેખિત માહિતી હોવી જોઈએ, જેના વિશે બધા જ કર્મચારીઓ માહિતગાર હોવા જોઈએ.
અને તેના અમલ માટે બધા જ આરોગ્ય કર્મચારીઓને જરૂરી કૌશલ્યલક્ષી તાલીમ આપવી જોઈએ.
બધી જ સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનના ફાયદા અને તે કેવી રીતે સફળ બનાવી શકાય તે જણાવો.
જન્મ પછી એક કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવામાં માતાને મદદ કરો.
સ્તનપાન કેવી રીતે કરાવવું અને શિશુથી અલગ રહેવું પડે ત્યારે ધાવણ કેવી રીતે આપવું તે માતાને જણાવો.
બાળક માંગે તેમ ધવડાવવા માટે માતાને પ્રોત્સાહિત કરો.
સ્તનપાન કરતા શિશુને કોઈપણ જાતની કૃત્રિમ ટોટી, ધવણી કે ચુસણી આપવી નહીં.
દવાખાનેથી રજા આપ્યા બાદ માતાને મદદરૂપ થવા માટે સ્તનપાનને સમર્થન આપતા ગ્રુપની રચના કરો.
(૩) બાળ મજુરી અને બાળ અત્યાચાર અટકાવવાના પગલા લખો.05
બાળ અત્યાચાર અને બાળમજુરી અટકાવવાના પગલાઓ
1) પ્રાઇમરી લેવલ પ્રિવેસન (પ્રાથમિક પગલાઓ)
આમાં નીચેના પગલાઓ નો સમાવેશ થાય છે.
બાળકોના કલ્યાણ અને અને તેની સુરક્ષા સબંધિત બાબતોને પ્રોત્સાહન આપવું.
બાળકોની પાયાની જરુરીયાતને સમજવી અને તેને કેવી રીતે પુર્ણ કરી શકાય તે જોવું.
પ્રચાર પ્રસાર (માસ મીડિયા) દ્વારા લોકોમાં બાળકના મુંઝવતા પ્રશ્નો વિશે જાગૃતિ લાવવી, બાળકોના મુંઝવતા પ્રશ્નોના અટકાવ અને અંકુશ માટે લોકોને શિક્ષણ આપવુ.
સમાજમાં ઉછરતા તમામ બાળકોને સમાન અધિકાર મળે અને તેની જાતીયતાને લીધે તેમા કોઇ ભેદભાવ ન થાય તે જોવું.
બાળ અધિકારો વિશે સમાજના લોકોને જાણકારી આપી જાગૃત કરવા.
દિવ્યાંગ બાળકો કે જે માનસિક અને શારીરિક રિતે અસક્ષમ છે, તેને મળતા વિશિષ્ટ લાભવિશે જાણકારી આપવી.
બાળક અને કુટુંબનો દરજ્જો વધે અને બાળકની જરૂરીયાતો પુરી થાય તે માટે કુટુંબ-નિયોજનની પદ્ધતિઓ શીખવાડવી અને શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પગલા લેવા.
2) સેકન્ડરી એન્ડ ટરસરી પ્રિવેન્શન (દ્વિતીય અને અંતિમ પગલા)
તેનો હેતું બાળકમાં થતા અત્યાચારોના કારણો અને પરિબળોને જાણવા અને તેને અનુલક્ષીને યોગ્ય પગલા લેવાનો છે.
બાળ અત્યાચાર થયેલ બાળકોને ઓળખવા અને તેને લગતી કાયદાકીય તપાસ કરાવવી.
અગત્યના પ્રશ્નો વિશે પરિવાર અને બાળકની સંભાળ લેતા લોકો સાથે જન સંપર્ક સાધવો અને યોગ્ય મુદ્દાઓ પર પરામર્શ કરવુ.
બાળકો ના અધિકારો જળવાય રહે તે માટે પ્રયત્નો કરવા.
અત્યાચાર થયેલા બાળકોની તપાસ કરવી. તેની સારવાર કરવી, તેને કાયદાકીય ન્યાય મળી રહે તે જોવું અને ભવિષ્યમાં આવા પ્રકારના અત્યાચારને અટકાવવા માટે યોગ્ય પગલા લેવા.
અત્યાચાર થયેલા બાળકોને યોગ્ય જગ્યાએ રાખવા જેમ કે, ફોસ્ટર હોમ, રિમાંડ હોમ, હોસ્પિટલ, અનાથ આશ્રમ વગેરે.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) તરૂણાવસ્થામાં જોવા મળતા ફેરફારો જણાવો.આ ફેરફારોથી તરૂણો અને તરૂણીઓ મુંજવણમાં મુકાય છે તો તમે શું કાઉન્સેલિંગ કરશો ? 08
તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક વિકાસ
શારીરિક વિકાસ ઝડપી અને આશ્ચર્યજનક થાય તે તરુણાવસ્થાની લાક્ષણિકતા છે.
જેમાં જાતિય ફેરફારોનો સમાવેશ પણ થાય છે.
આ અવસ્થામાં શરીરમાં જનનાંગો સહિત લગભગ તમામ અંગોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા ફેરફારો થવા લાગે છે.
તેથી શારીરિક દેખાવ અને આકાર પણ ઝડપથી બદલાય છે.
તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતોશારીરિક વિકાસ :
શરીરના દરેક અંગમાં વિકાસ થાય છે.
સ્નાયુઓ વધારે મજબૂત બને.
ચામડી તૈલી બને.
ખભા પહોળા થાય.
અવાજ ઘાટો થાય.
છાતી, બગલ, પ્યુબિક એરિયામાં વાળ આવે અને દાઢી મુછ આવવાની શરૂઆત થાય.
પેનીશ અને ટેસ્ટીસ મોટા થાય છે.
વિર્યનુ ઉત્પાદન શરૂ થાય અને વીર્યાસ્ખલનની શરૂઆત થાય.
તરુણાવસ્થા દરમિયાન છોકરીઓના શરીરમાં થતો વિકાસ :
શરીરના દરેક અંગમાં વિકાસ થાય.
સ્તનનો વિકાસ થાય.
ચામડી તૈલી બને.
સાથળ અને હિપનો ભાગ પહોળો થાય.
અવાજ તીણો થાય.
બગલ અને પ્યુબીક એરિયામાં વાળ આવે.
બહારના જાતીય અવયવો મોટા થતા જણાય.
ઓવ્યુલેસનની શરૂઆત થાય અને માસિક સ્ત્રાવની શરૂઆત થાય.
કાઉન્સિલીંગમાં એ.એન.એમ ની ભૂમિકા
તરુણાવસ્થા એ એક એવો સમાયગાળો છે કે ત્યારે છોકરીઓમાં ઘણા બધા માનસિક અને શારીરિક ફેરફારો જોવા મળે છે.
આ સમયગાળા દરમીયાન મોટા બદલાવોના કારણે તેઓમાં ઘણા બધા પ્રકારની દ્રિધ્ધા અને પ્રશ્નો ઉદભવે છે.
તેમાં ખાસ કરીને ભવીષ્યનું આયોજન, ઉચ્ચ શિક્ષણ, લગ્ન વગેરેનો સમાવેશ થાય છે.
સમાન્ય રીતે મોટી ઉંમર (18 થી 20 વર્ષ) ની તરૂણીઓમાં લગ્ન ને સંબંધીત દ્વિધ્ધા અને પ્રશ્નો હોય છે. આથી આ ઉંમરની તરૂણીઓ સાથે લગ્ન વિષયક સંપરામર્સ કરવું જરૂરી છે.
જેમા આરોગ્ય કાર્યકર દ્વારા નીચે મુજબના મુદ્દાઓ ચર્ચી શકાય છે.
તરુણીઓને કાયદાઓ મુજબ 21 વર્ષની ઉંમર બાદ લગ્ન કરવાની સલાહ આપો.
તરૂણીઓને અને તેના પરીવારને નાની ઉંમરે લગ્ન કરવાનાં નુકશાન અને યોગ્ય ઉંમરે લગ્ન કરવાનાં ફાયદાઓ જણાવો અને સમાજને બાળકીઓ ના યોગ્ય ઉંમરે લગ્ન કરાવવા માટે પ્રેરણા આપો.
લગ્નની ઉંમરની સ્ત્રીઓની માનસિક સ્થિતિ જાણો અને તેની મુંઝવણોનુ સમાધાન કરો.
પરીવારને સલાહ આપો કે બાળકીના અભ્યાસ અને તેના અધિકારોનું ખંડન થતું અટકાવે અને તેના લગ્ન તરુણી માનસિક અને શારીરિક રીતે પરીપક્વ થાય ત્યાર બાદ જ કરે.
(૨) રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક વિશે લખો.04
અથવા
(૧) ૦ થી ૧ વર્ષના બાળકોમાં જોવા મળતા અકસ્માતો જણાવી અને તેને નિવારણ માટે પગલા જણાવો.08
૦ થી ૧ વર્ષના બાળકોમાં જોવા મળતા અકસ્માતો
પડી જવું (ફોલ ડાઉન)
કાંઈક ગળી જવું (ફોરેન બોડી એસ્પાયરેશન)
દાઝી જવું (બર્ન્સ)
ઝેરની અસર(પોઈઝનિંગ)
ગુંગણામણ થવી (સફોકેશન)
જાનવરનું કરડવું (પેટ એનિમલ બાઈટ)
જીવ જંતુઓનું કરડવું (ઈન્સેક્ટ બાઈટ )
ડુબી જવું (ડ્રોનિંગ)
1) પડી જવું (ફોલ ડાઉન)/ શારીરિક ઇજાઓ
પડી જવું અથવા અન્ય રીતે શારીરિક ઇજાઓ થવી
દાત: ઘોડીયામાંથી,પલંગ પરથી, ચાલતા શીખતા, વસ્તુ પકડીને ઉભા તથા વગેરે. આમ, થવાથી બાળકને ઘણી વખત હાથ પગ ખળી જવાની ડીસલોકેશન ઓફ સોલ્ડર જોઇન્ટ ઓર હિપ જોઈન્ટ) તકલીફ ઉભી થાય છે. અને ઘણી વખત અસ્થીભંગ (ફેક્ચર) પણ થઈ શકે છે.
નિવારણ
ઘોડીયું ઉંડું રાખવું જોઈએ.દોરી ટુંકી રાખવી જોઈએ .
પલંગ પર બાળકને સુવડાવવું હોયતો તકીયા આડા રાખવા કે એકલું છોડવું નહી.
બાળકનું સતત ધયાન રાખવું.
બાળકને ઢીંચણમાં વાગે નહી તે માટે જાડા કપડા પહેરાવવા.
પગથીયા હોય ત્યા ખાસ ધ્યાન આપવું.
નીચેનું ભોયતળીયું (ફ્લોર) ભીની ન રહે તે ખાસ જોવું.
2) ગળી જવું (ફોરેન બોડી એસ્પાયરેશન)
બાળક નાનું હોય ત્યારે મોઢામાં કાઈપણ વસ્તુ નાખવાની ખુબજ ટેવ હોય છે. દાંત આવવાથી ખંજવાળ આવવાથી પણ તે દરેક વસ્તું મોઢામાં કે કાન અને નાકમાં પણ નાખે છે. જેમ કે, બટન, લખોટી, સીંગદાણા, વટાણા, ચણા વગેરે.
નિવારણ
બાળક રમતું હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ.
બાળક ઘસડાઈને ચાલતુ હોવાથી . જમીન પરની વસ્તુ મોમાં નાખે છે .
રમકડામાંથી ભાગ છુટા ન પડી જાય તેવા આપવા જોઈએ.
શરીરમાં નાખેલ વસ્તુ નીકળે તેમ હોય તો જ કાઢવાનો પ્રયત્ન કરવો જો ન નીકળે તો તુરત જ હોસ્પીટલ બાળક ને લઈ જવું.
નાકમાં હોય તો છીંક ખવડાવવાનો પ્રયત્ન કરવો.અને આંખમાં હોયતો ઠંડું પાણી છાંટવું.
3) દાઝી જવું (બર્ન્સ)
બાળકને ગરમ વસ્તુની ગંભીરતા હોતી નથી. તે નવી વસ્તુ પકડવા માટે ઉત્સુક હોય છે.
દાત: ચુલો કે સગડી દેખે ગરમપાણી કે તેલ, ચા, દાળ, રસોઈ, ઈલેકટ્રીક સાધન વગેરે. આવી વસ્તુઓને અડકવાથી બાળક દાજી જાય છે અને ગંભીર ઇજાઓ થઇ શકે છે.
બાળકને ખોળામાં રાખી રસોઈકરતી વખતે પણ ઘણી વખત દાઝી શકે છે .
બાળક માચીસ સાથે રમતા રમતા પણ ઘણી વખત દાઝી શકે છે .
બાળક ફટાકડા ફોડતી વખતે પણ દાઝી શકે છે.
નિવારણ
બાળક ને સળગતી વસ્તુથી દુર રાખવું જોઈએ.
રસોઈ બનાવતી વખતે બાળકનું ધ્યાન રાખવું જોઈએ.
બાળકના હાથમાં ઈલેકટ્રીક ઉપકરણ કે માચીસ ન આવે તે જોવું જોઈએ.
બાળક થી એસીડ જેવી વસ્તુઓ દુર રાખવી જોઈએ.
બાળકને ફટાકડા ફોડતી વખતે સાથે જ રહેવું જોઈએ.
4) ઝેર ની અસર (પોઇઝનિંગ)
આ બાબત બાળકોમાં ખુબજ સામાન્ય છે. કારણ કે બાળક જયારે તરસ્યુ થાય ત્યારે કોઈપણ વસ્તુ પીવા માટે ઉત્સુક હોય છે. આવી વખતે બાળક કોઈપણ પ્રવાહી પી લે છે જેમાં કેરોસીન, એસીડ, દવા તથા ઝેરી પદાર્થ મોઢામાં નાખી દે છે.
નિવારણ
આવી વસ્તુઓ બાળકની પહોચથી દુર ઉંચી જગ્યાઓ એ રાખવી જોઈએ.
બાળકને અજાણી જગ્યાએ એકલું રમવા ન દેવું જોઈએ.
જો પોઇઝનીંગની પરીસ્થીતી ઉપસ્થીત થાય જોવા મળે તો તાત્કાલીક દવાખાને જવું જોઈએ.
5) ગુંગણામણ થવી (સફોકેશન)
નાનું બાળકને ઓશીકા કે પ્લાસ્ટીક બેગ સાથે રમતા રમતા ઘણી
વખત માથામાં પહેરી લે છે. જે ના પરિણામે ગુંગણામણ થઇ શકે છે. આ ઉપરાંત ઘણી વખત બાળક રમતા રમતા કબાટમાં અથવા અન્ય બંધ જગ્યાઓમાં પુરાઇ જાય તો પણ ગુંગણામણ થાય છે. ઘણી વખત આવા કિસ્સાઓમા બાળકનું મૃત્યુ પણ થય શકે છે.
નિવારણ
પ્લાસ્ટીક બેગ જેવી વસ્તુઓ કે જેનાથી આ પ્રકાર ના અકસ્માત થઇ શકે તેને બાળકથી દુર રાખવી.
કબાટ અને અન્ય બંધ જગ્યાઓના દરવાજા બંધ રાખવા તથા બાળકને સતત દેખરેખમાં રાખવુ .
6) જાનવરનું કરડવું (પેટ એનીમલ બાઈટ)
પાળેલા પ્રાણીઓ જેવા કે કુતરૂ, બિલાડી જેવા પ્રાણીઓના કરડવાથી પણ બાળકને ઈજા થઈ શકે છે.
7) જીવ જંતુઓનું કરડવું (ઈન્સેક્ટ બાઈટ)
બાળકોમાં જીવજંતુઓના ડંખ ખુબજ સામાન્ય છે. નાના બાળકોમાં આ વધારે ગંભીર હોય છે. તેનાથી બાળક શોકમાં પણ જઈ શકે છે. આમાં મધમાખી સામાન્ય છે.
8) ડુબી જવું (ડ્રોનીંગ)
બાળકોને પાણી સાથે રમવું ખુબ જ ગમે છે. આવી વખતે ઘણી વખત ટાંકામાં, ડોલ, ટબ કે ભોંયટાંકામાં પડી જવાથી ઘણી વખત બાળક ડુબી જાય છે. ઘણી વખત ખુલી ગટર કે પાણી ભરેલા ખાબોચીયામાં પડી જવાથી પણ મૃત્યુ થઈ શકે છે.
નિવારણ
આના બચાવ માટે પાણીના ટાંકા કે કુંડીને ઢાંકણ રાખવું જોઈએ. પાણી ની ડોલ કે ટબ ભરેલા રાખવા જોઈએ નહી. બાળક રમતું હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૨) જાહેરનામાં મુજબ બાળકોના મુળભુત હકો જણાવો.04
બાળકલ્યાણના નવા મુદાઓ ૧૯૫૯માં આપેલા મુદાઓમાં ભેળવવામાં આવેલ છે. જેમાં બાળકને ખાસ કઈ જરૂરીયાત છે. તે માટે એક કમીટી બેસાડવામાં આવી.અને તે કમીટીની ૨૦ નવેમ્બર ૧૯૫૯ના યુનાઈટેડ નેશનની સભામાં બાળકોના હકકો માટેનું જાહેરનામું નકકી કરવામાં આવ્યું જે નીચે મુજબ છે.
માતા પિતાએ તેમના બાળકો માટે પ્રેમ અને સલામતીની ભાવનાવાળુ વાતાવરણ તૈયાર કરી વિકસાવવું જરૂરી છે.
ખોરાક,રહેઠાણ અને માંદગીની સારવારના સામાજીક સુરક્ષા ધારા હેઠળ બાળક મુકત મને હરીફરી શકે તેવી સવલતો આપવી.
મફત શિક્ષણ પુરૂ પાડવુ.
રમતગમત અને મુકત વિહારની પુરેપુરી તકો મળે તે જોવુ.
પોતાના નામ સાથેનું નાગરિકત્વ મળવુ જોઈએ.
અપંગ બાળકને મળતા તમામ સારવાર મળે અને તમામ લાભો મળતા હોવા જોઈએ.
તરછોડેલા બાળકોને તે જ સમયે રક્ષણ અને હુંફ મળે તે જોવુ.
સમાજનો ઉપયોગી સભ્ય થઈ શકે. અને સાથે તદુરસ્તીનો પણ વિકાસ થાય તેમજ તેની સ્વતંત્રતા અને મોભાને પણ સચવાય તે રીતે સમાજમાં સ્થાન મેળવે. એટલે કે સામાજીક દરજજો મેળેવે તેવુ હોવુ જોઈએ.
સમજણમાં સહનશકિતમાં લોકોના મિત્રતા,શાંતિ અને બધા સાથે ભાઈચારાની ભાવના રાખવી જોઈએ.
રંગભેદ,જાતીભેદ,ધર્મભેદ,જ્ઞાતિભેદ,વિના સમાજમાં અને દેશમાં એક અંગ તરીકે ના હકકો ભોગવે તે માટે જોવુ જોઈએ.
કોઈ ખાસ આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોની સતત મોનિટરિંગ અને તેઓને યોગ્ય સારવાર માટે સુલભ બનાવી.
રિપોર્ટિંગ:
શાળા આરોગ્ય કાર્યક્રમનાં કાર્ય અને પરિણામોના રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ આપવો.
(૩) ઝાડા એટલે શું? તેની સારવાર માટેના ઘરગથ્થુ ઉપાયો જણાવો.
ઝાડાના બંધારણમાં અને ગુણધર્મમાં કોઈ ફેરફાર થાય, વધુ વખત થાય કે પાતળા પાણી જેવા થાય તેને ઝાડા કહેવાય છે.
ઝાડાના કારણે બાળકોના મૃત્યુનું પ્રમાણ ઘણું જ વધારે છે.
લગભગ ચાર બાળકોને લાંબા સમય સુધી જાડા હોય તો તેમાંથી એક બાળક આ કારણોસર મરણ પામે છે.
પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુનું સૌથી મોટું કારણ ઝાડા છે.
પરંતુ હવે ઝાડાની સારવાર ઘેર બેઠા પણ શક્ય બની છે અને બાળકોની સર્વાંગી સારવારની સ્ટ્રેટેજી મુજબ આવા બાળકોને વહેલાસર ઓળખવા પણ શક્ય બન્યા છે.
સામાન્ય સારવાર ઘરે જ અને વધુ જરૂરિયાતવાળા બાળકોને તાત્કાલિક અને સમયસર વધુ સારવાર માટે રીફર કરવામાં આવે તો આવા બાળકોને આપણે સંપૂર્ણપણે બચાવી શકાય અને બાળ મૃત્યુદર નીચો લાવી શકાય.
ઝાડા
ઝાડા એટલે દિવસમાં ત્રણ કે તેથી વધુ વાર પાતળા અથવા પાણી જેવા પોટ્ટા થવા. ઝાડા સામાન્ય રીતે ચેપ, અશુદ્ધ પાણી, બગડેલું ખોરાક અથવા હાથની અસ્વચ્છતાના કારણે થાય છે. બાળકોમાં ઝાડા થવાથી ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) થવાનો ખતરો વધારે હોય છે.
ઝાડાના લક્ષણો
વારંવાર પાતળા પોટ્ટા
ઊલટી
તરસ વધારે લાગવી
મોઢું સુકાઈ જવું
આંખો અંદર દબાઈ જવી (ડિહાઇડ્રેશનનું લક્ષણ)
ઝાડાની સારવાર માટેના ઘરગથ્થુ ઉપાયો
1) ORS દ્રાવણ આપવું
ઉકાળેલા ઠંડા પાણીમાં ORS પાઉડર ભેળવી આપવું
દરેક પોટ્ટા પછી બાળકને ORS આપવું
2) ઘરેલું ORS (જો પેકેટ ન હોય તો)
1 લીટર સ્વચ્છ પાણીમાં
6 ચમચી ખાંડ
1/2 ચમચી મીઠું ભેળવી આપવું
3) વધારે પ્રવાહી આપવું
ઉકાળેલું પાણી
છાશ
લીંબુ પાણી
નાળિયેર પાણી
4) સ્તનપાન ચાલુ રાખવું
નાના બાળકોમાં સ્તનપાન બંધ ન કરવું
5) હલકો અને પચવા સરળ આહાર
ખીચડી
દાળ-ભાત
કેળું
સાદી રોટલી
તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું?
પોટ્ટામાં લોહી આવે
વધારે ઊલટી થાય
બાળક ખૂબ નબળું લાગે
તાવ વધારે હોય
ડિહાઇડ્રેશનના ગંભીર લક્ષણો હોય
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)
(૧) નવજાત શિશુની આવશ્યક સંભાળ
નવજાત શિશુંની સંભાળના આવશ્યક મુદ્રાઓ
જન્મનો સમય મોટેથી બોલો.
બાળકના જન્મ પછી તરત જ તેને હૂંફાળા, ચોખા અને કોરા ટુવાલ અથવા કપડા માં વીટોડીને માતાની છાતી અને પેટ પર મૂકો. (બે સ્તનની વચ્ચે)
યાદ રાખો કે શક્ય હોય ત્યાં સુધી બાળકને માતાથી અલગ કરવાનું નથી.
નાળ બાંધીને કાપતા પહેલા કોડના ધબકારા બંધ થવાની રાહ જુઓ.
તરત જ બાળકને હુંફાળા,ચોખા, કોરા કપડાથી કોરું કરો, બંને આંખ લુછો.
કોરું કરતી વખતે બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરો.
જંતુમુક્ત કરેલ ગોઝના ટુકડાથી બંને આંખો લુછી લો.
બાળકને માતાના બંને સ્તન વચ્ચે મૂકીને ચામડીથી સ્પર્શની સંભાળ શરૂ કરો.
જો હજુ સુધી નવજાત બાળકે સ્તનપાન લેવાનું શરૂ ન કર્યું હોય તો માતાને પ્રોત્સાહિત કરો અને યોગ્ય પદ્ધતિથી પ્રયત્ન કરાવો.
જો બાળક બરાબર શ્વાસ ન લેતું હોય અથવા રડતું ન હોય તો પછી પુનર્વસન માટેની ક્રિયા શરૂ કરો.
(૨) કાંગારૂ મધર કેર
કાંગારૂ મધર કેર(KMC)
Definition :
જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોને વિશિષ્ટ રીતે સંભાળ માપવાની પદ્ધતિને કાંગારું મધર કેર કહે છે. તેનાથી બાળક અને માતા બંનેના આરોગ્ય સુધરે છે, અસરકારક રીતે ઉષ્ણ તાપમાનનું નિયમન થઈ શકે છે, સ્તનપાન, ચેપની અટકાયત, વજનમાં ખૂબ વધારો અને માતા અને બાળકનો મમતા સેતુ બંધાઈ રહે છે.
કાંગારૂ મધર કેરના પાસાઓ
ચામડીથી ચામડીનો સ્પર્શ
ફક્ત સ્તનપાન
કાંગારૂ મધર કેરના ફાયદા
બાળકના શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળકને ઠંડુ પડી જવાનું જોખમ ઓછું થઈ જાય છે.
સ્તનપાન કરાવવાનું પ્રમાણ વધી જાય છે જેથી વજનમાં વધારો થાય છે.
આરોગ્ય સુવિધાથી વહેલા રજા આપી શકાય છે.
શ્વાસની તકલીફ અને ચેપ જેવી બીમારીઓનું પ્રમાણ ઘટાડી શકાય છે.
માનસિક તણાવ માતા અને બાળક બંનેમાં ઓછો થાય છે.
બાળક અને માતા વચ્ચે મમતાનો સેતુ સારી રીતે બંધાઈ રહે છે.
કાંગારૂ મધર કેર કોને આપી શકાય
કાંગારૂ મધર કેર દરેક બાળકને આપી શકાય છે.
ઓછા વજનવાળા બાળક માટે તે વધુ જરૂરી અને અસરકારક છે.
ગંભીર રીતે બીમાર બાળકને પહેલા સારવાર આપવી જરૂરી છે, તેની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ આરોગ્ય કર્મચારીની દેખરેખ હેઠળ બીમાર બાળકને પણ કાંગારુ મધર કેર આપી શકાય છે.
કાંગારૂ મધર કેર આપવાની રીત
બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભું રહે તે રીતે ગોઠવો.
બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે. બાળકના બંને પગ એવી રીતે ગોઠવો જેથી તે દેડકા જેવી સ્થિતિમાં રહે અને બંને હાથ પણ ઉપર તરફ ગોઠવા.
બાળકનું પેટ માતાના પેટને સ્પર્શે તે સ્થિતિએ બાળકને ગોઠવો.
માતાના શ્વાસોચ્છવાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે અને આમ બાળકને ગુંગણામણ થતી અટકાવી શકાય છે.
બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.
(૩) બ્રેસ્ટ ફીડીંગમાં જોવા મળતી તકલીફો
બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન માતા અને બાળક બંનેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આમાંની કેટલીક સામાન્ય મુશ્કેલીઓ નીચે વર્ણવવામાં આવી છે:
બાળકમાં જોવા મળતી તકલીફો
પ્રી ટર્મ બેબી ઓછા વજનવાળા બાળક માં ઘણી વખત સકીંગ રિફ્લેક્સ ડેવલોપ ન થવાને કારણે બ્રેસ્ટ મિલ્ક સક કરી શકતું નથી.
આવી પરિસ્થિતિમાં બાળકને માતાનું બહાર કાઢેલું દૂધ ચમચી અથવા તો રાઇલ ટ્યુબ થી આપવું.
માતામાં જોવા મળતી તકલીફો
અંદર ખુપેલી ડિંટડી
આવી કન્ડિશનમાં માતાના બ્રેસ્ટ નીપલ અંદરની બાજુ એ દબાયેલી હોવાથી બાળક બ્રેસ્ટ મિલ્ક ચુસી(suck) શકતું નથી.
આવી કન્ડિશનમાં બાળકને મેન્યુઅલી કાઢેલું દૂધ આપો.
બાળકના જન્મ બાદ નીપલને હાથથી બહારની બાજુએ ખેંચવાની પ્રેક્ટિસ કરવી. નીપલ બહારની બાજુએ કાઢવા માટે બ્રેસ્ટ પમ્પ અથવા સીરીંજનો ઉપયોગ કરવો જોઈએ.
સ્તનમાં ભરાવો
માતાના સ્તનમાં થતો ભરાવો ઓછો કરવા બાળકને પૂરતા પ્રમાણમાં સમયાંતરે બ્રેસ્ટ-ફીડિંગ જરૂરી છે.
માતાને સ્તનપાનનાં સિધ્ધાંતો વિશે શીખવાડો .આ ઉપરાંત વાર્મ એપ્લિકેશન આપવી.
બ્રેસ્ટમાં ચેપ
વારંવાર સ્તનમાં દુધનો ભરાવો થાય અને સમયસર સારવાર કરવામાં ન આવે તો બ્રેસ્ટમાં ચેપ લાગે છે અને રસી થઈ જાય છે જેને બ્રેસ્ટ એબ્સેસ કહે છે.
આવી કન્ડિશનમાં એબ્સેસ વાળા બેસ્ટમાંથી બ્રેસ્ટ-ફીડિંગ કરાવાવું નહીં.
આવી કન્ડિશનમાં ચેકો મૂકી રસી બહાર કાઢવામાં આવે છે.
ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય એન્ટિબાયોટિક્સ અને એનાલજેસિક આપવામાં આવે છે.
નીપલમા ચીરા પડવા
બાળક ને બરાબર વળગેલું ન હોય, સાબુ અને પાણીથી વારંવાર સ્તન સાફ કરવા અને નિપ્પલ પર ફુગનો ચેપ લાગવાથી નિપ્પલમાં ચીરા પડે છે અને સોજો આવે છે.
તેના ઉપચારમાં, માતા ને વડગાડવાની રીત યોગ્ય રીતે શીખવાડવી, સ્તનપાન બાદ ડીટંડી પર મિલ્ક લગાવવું, સ્તનને ખુલ્લા રહેવા દેવા અને પર્સનલ હાયજીન જાડવવા સલાહ આપવી.
માતાને કહો કે ડીંટડીમાં ચિરા પડવાનું મુખ્ય કારણ સ્તનપાનની ખોટી રીતો છે.
જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેમાં ચેપ લાગી શકે છે. માતાને સ્તનપાનની સાચી રીતો વિશે સમજાવો.
(૪) બાળકો માટે રમકડાનું મહત્વ
બાળકોમાં રમકડાનું મહત્વ
1. શારીરિક વિકાસ માટે
રમકડાં જેવી કે બોલ, ટ્રાઇસિકલ, પઝલ પ્લેંગથી મોટર સ્કિલ્સ વિકાસ પામે છે.
આંખ અને હાથ વચ્ચેના સમન્વય (eye-hand coordination)માં સુધારો થાય છે.
રમતી વખતે બાળક ઊભું રહેવું, ચાલવું, દોડવું શીખે છે – જેને કારણે કોષ્ટકો મજબૂત બને છે.
2. માનસિક વિકાસ માટે
પઝલ, બ્લોક્સ, એબેકસ જેવા રમકડાં વિચારીને રમવા પ્રેરણા આપે છે.
રમત દરમિયાન બાળક સંખ્યા, આકાર, રંગ વગેરે ઓળખે છે.
રમકડાં દ્વારા સમસ્યા હલ કરવાની ક્ષમતા (problem-solving ability) વિકસે છે.
3. ભાષા વિકાસ માટે
રોલ-પ્લે ટોય્સ (જેમ કે ડૉક્ટર કિટ, કિચન સેટ) દ્વારા બાળકે વાર્તાલાપ અને ભાવ ભાવનાઓ વ્યક્ત કરવી શીખે છે.
રમતી વખતે બાળક અન્ય બાળકો સાથે સંવાદ કરે છે, જેનાથી શબ્દભંડોળ વધે છે.
4. સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે
જૂથમાં રમવાથી સહકાર, શિસ્ત અને શ્રદ્ધાની ભાવના વિકસે છે.
રોલ પ્લે રમકડાંમાં બાળક વિવિધ ભૂમિકા ભજવે છે – જેને કારણે ઈમ્પેથી અને ભાવનાત્મક બુદ્ધિ વિકસે છે.
હાર-જીત સ્વીકારવી શીખે છે – જેનાથી સંયમ અને ધીરજ વિકસે છે.
5. સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ માટે
મોડેલિંગ, પેઇન્ટિંગ કીટ્સ, કન્સ્ટ્રક્શન ટોઈઝથી બાળકની કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.
પોતે નવું બનાવવાનું અને શોધવાનું શીખે છે.
પ્રશ્ન-૫ વ્યાખ્યા આપો. (કોઈપણ છ) (12)
(૧) કાઉન્સેલિંગ
લાભાર્થીને પોતાની લાગણીઓની રજૂઆત કરવા તેમજ તે પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવે તેવું વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયાને સંપરામર્શન કે કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.
(૨) ચાઈલ્ડ એબ્યુઝ
બાળકોને તેના માતા પિતા, સંભાળ રાખનારા, નોકરીએ રાખનાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા બાળક સાથે ખરાબ વર્તન કરવામાં કે ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવામાં આવે કે જેનાથી બાળકનો શારીરિક, માનસિક કે સામાજિક વિકાસ અટકી જાય અથવા ખોડખાંપણ આવી જાય, આવી સ્થિતિને બાળકો પર થતા અત્યાચાર કહે છે.
(૩) ઓટાઈટીસ મિડીયા
સમસ્યા કાનનું વહેવુ એ કાનના પોલાણના ચેપથી પેદા થતી નાનાં બાળકોની સર્વ સામાન્ય સમસ્યા છે. આ તક્લીફની સારવાર તાત્કાલિક કરાવવી જોઇએ, નહીં તો ઓછું સંભાળાવું કે કાયમી બહેરાશ જેવી તક્લીફ થઈ શકે.
ચીન્હો અને લક્ષણો
કાનનું વહેવું એ કાનના ચેપથી ઉદભવતી બીમારી છે.
દુખાવો એ સામાન્ય ચિહ્ન છે. ખંજવાળ આવે,શરદી અને ઉધરસ
બાળકને તાવ પણ હોઇ શકે અને કાનમાં દુખાવો થાય.
કાનમાંથી રસી વહેવાનો પૂર્વ ઇતિહાસ હોય છે.
(૪) એડોલેશન્સ
એડોલેસન્સ એટલે બાળપણ અને પ્રૌઢાવસ્થા (વયસ્ક અવસ્થા) વચ્ચેનો પરિવર્તનકાળ. સામાન્ય રીતે આ અવસ્થા 10 થી 19 વર્ષની ઉંમર વચ્ચે હોય છે. આ સમયગાળામાં શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો ઝડપથી થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ 10–19 વર્ષની ઉંમરને એડોલેસન્ટ અવસ્થા ગણવામાં આવે છે.
(૫) આસ્ફેક્સીયા
બાળકના જન્મની પ્રકીયા દરમીયાન વધુ સમય લાગવાથી ઘણી વખત બાળકને પુરતા પૂમાણમાં અને સમયસર ઓકસીજન ન મળવાને કારણે થાય છે. બાળક ને લાંબા સમય સુધી ઓકિસજન ન મળવાના કારણે તે Cynosis થઈ જાય છે. ઓક્સિજનની ઘટના કારણે બાળકને ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓ અને ઘણી વખત મ્રુત્યુ પણ થઇ શકે છે. આ પરીસ્થીતી મા તાત્કાલીક સારવાર ની જરૂર પડે છે.
(૬) એનિમિયા
એનિમિયા (પાંડુરોગ) એવો રોગ છે જેમાં લોહીમાં રહેલા રક્તકણોમાં રક્તરંજક (hemoglobin) દ્રવ્યની ઉણપ હોય છે. હિમોગ્લોબિન શરીરના તમામ અવયવો તથા પેશીઓને ઓક્સિજન પહોંચાડવાના વાહન તરીકે કામ કરે છે. એનીમિયામાં અગત્યના અવયવોને ઓક્સિજન ખૂબ ઓછો પહોંચે છે અને પરિણામે બાળકના આરોગ્ય માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય છે. એનીમીયા વાળું બાળક જલ્દી થાકી જાય છે અને હાંફવા લાગે છે. આવા બાળકો વારંવાર બીમાર પડી જાય છે. એનીમિયાના ગંભીર કેસોમાં ચેપ કે હૃદય રોગની શક્યતા વધે છે, જેને લીધે મૃત્યુ પણ થઈ શકે છે.
(૭) લો બર્થ વેઈટ બેબી
લો બર્થ વેઈટ (LBW) એટલે જન્મ સમયે બાળકનું વજન 2.5 કિલોગ્રામ (2500 ગ્રામ) થી ઓછું હોવું.
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) મુજબ 2500 ગ્રામથી ઓછું જન્મ વજન LBW ગણાય છે.
(૮) ન્યુબોર્ન
નવજાત શિશુ એટલે એવો શિશુ જેનું જન્મ થતી ક્ષણથી લઈ 28 દિવસ સુધીનું જીવનકાલ હોય છે. આ અવધિમાં બાળકને “નવજાત શિશુ” અથવા “નિયોનેટ” (Neonate) કહેવામાં આવે છે.
અથવા
જન્મથી લઈને 28 પૂર્ણ થયેલા દિવસો સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે, ભલે તે સમયપૂર્વ જન્મેલું હોય (Preterm), સમયસર (Term) કે મોડું (Post-term).
પ્રશ્ન-૬ (અ) પૂર્ણ રૂપ લખો.05
(1) IMNCI – Integrated Management of Neonatal and Childhood Illness (ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ એન્ડ ચાઈલ્ડહુડ ઈલનેસ)