ANM – FY- CHILD HEALTH NURSING PAPER SOLUTION 13/09/2025
13/09/2025
પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) વૃદ્ધિ અને વિકાસ એટલે શું? 03
વૃદ્ધિ
વૃદ્ધિ એટલે બાળકના કદ અથવા શરીરના ભાગોમાં ક્રમિક વધારો.
તે સૂચક છે એટલે કે શરીર, કદ, વજન વગેરેમાં વધારો.
તે માત્રાત્મક પ્રગતિ છે.
તે શારીરિક પરિવર્તન છે.
તે પ્રકૃતિમાં બાહ્ય છે ચોક્કસ તબક્કે અટકે છે.
તે શારીરિક પ્રગતિ છે.
વિકાસ
વિકાસ એટલે વિવિધ કુશળતા (ક્ષમતાઓ) નું પ્રગતિશીલ સંપાદન છે જેમ કે બોલવું, શીખવું, લાગણીઓને વ્યક્ત કરવું અને અન્ય લોકો સાથે સંબંધ બનાવવા.
ટૂંકમાં બાળકોમાં થતા કૌશલ્ય અને કાર્યશક્તિના વધારાને વિકાસ કહે છે.
તે સૂચક નથી.
તે ગુણાત્મક પ્રગતિ છે.
તે માનસિક પરિવર્તન છે.
તે આંતરિક પ્રકૃતિ છે.
તે સતત પ્રક્રિયા છે.
તેમાં સમજશક્તિમાં વધારો થાય છે.
(૨) બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરતા પરિબળો જણાવો.04
બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો
પ્રકૃતિ અને પોષણ બંને બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. તેમ છતાં જે પ્રકૃતિ દ્વારા સંપન્ન છે તે સ્થિર છે, તેમ છતાં પોષણથી પણ મોટો ફરક પડે છે. અહીં બાળકોના વૃદ્ધિ અને વિકાસને અસર કરતા કેટલાક પરિબળો છે.
1. આનુવંશિકતા ( hereditary )
આનુવંશિકતા એ માતા પિતા પાસેથી તેમના જનીનો દ્વારા બાળકોમાં શારીરિક લાક્ષણિકતાઓનું પ્રસારણ છે.
તે ઊંચાઈ, વજન, શરીરની રચના, આંખનો રંગ, વાળનો રંગ, બુદ્ધિ અને યોગ્યતા જેવા શારીરિક દેખાવના તમામ પાસાઓને પ્રભાવિત કરે છે.
2. પર્યાવરણ ( environment )
વાતાવરણ બાળકોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તે બાળકને પ્રાપ્ત થતી શારીરિક અને માનસિક ઉત્તેજના રજૂ કરે છે.
જેમાં ઘર અને શાળાનું વાતાવરણ, ચોખ્ખાઈ, સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, સ્વચ્છતા, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એક સારી શાળા અને પ્રેમાળ કુટુંબ- બાળકોને કુશળ બનાવે છે.
તેવી જ રીતે તણાવ પૂર્ણ વાતાવરણમાં ઉછરેલા બાળકો માટે આ ખરેખર અલગ હશે.
3. પોષણ ( Nutrition )
પોષણ એ બુદ્ધિમાં એક નિર્ણાયક પરિબળ છે કારણ કે શરીરને નિર્માણ અને સમારકામ માટે જે બધું જરૂરી છે તે આપણે ખાધેલા ખોરાકમાંથી આવે છે.
કુપોષણ એ રોગોનું કારણ બની શકે છે જે બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે.
બીજી બાજુ, અતિશય આહારથી ડાયાબિટીઝ અને હૃદય રોગ જેવા રોગ અને લાંબાગાળે મેદસ્વીપણા અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે.
મગજ અને શરીરના વિકાસ માટે વિટામીન, ખનીજો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબીવાળા સમતોલ આહાર જરૂરી છે.
4. જાતિ ( sex )
બાળકની જાતિ એ વૃદ્ધિ અને વિકાસને અસર કરતી મુખ્ય બીજી બાબત છે.
છોકરાઓ અને છોકરીઓ જુદી જુદી રીતે વધે છે, ખાસ કરીને તરુણાવસ્થાની નજીક છોકરાઓ છોકરીઓ કરતા ઊંચા અને શારીરિક રીતે મજબૂત હોય છે.
જોકે, કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ ઝડપથી પુખ્ત વલણ ધરાવે છે.
તેમના શરીરની શારીરિક રચનામાં પણ તફાવત છે જે છોકરાઓને વધુ એથલેટીક બનાવે છે અને તે પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે.
તેમનો સ્વભાવ પણ બદલાય છે, જેનાથી તેઓ જુદી જુદી વસ્તુઓમાં રસ બતાવે છે.
5. હોર્મોન્સ ( Hormones )
અંતસ્ત્રાવ પ્રણાલીથી સંબંધિત છે અને આપણા શરીરના વિવિધ કાર્યોને પ્રભાવિત કરે છે.
તેઓ શરીરના કાર્યોને નિયંત્રિત કરતા હોર્મોન્સ સ્ત્રાવ કરવા માટે શરીરના ચોક્કસ ભાગોમાં સ્થિત વિવિધ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
બાળકોમાં સામાન્ય શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે તેમની સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે.
હોર્મોન સ્ત્રાવ ગ્રંથિઓની કામગીરીમાં અસંતુલનના પરિણામે વૃદ્ધિની ખામી, જાડાપણું, વર્તણુકની સમસ્યાઓ અને અન્ય રોગો થઈ શકે છે.
તરુણાવસ્થા દરમિયાન ગોનાડ્સ સેક્સ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.
જે લિંગીક અંગોના વિકાસ અને છોકરાઓ અને છોકરીઓમાં જાતીય લાક્ષણિકતાઓના દેખાવને નિયંત્રિત કરે છે.
બાળક માંગે તેમ ધવડાવવા માટે માતાને પ્રોત્સાહિત કરો.
સ્તનપાન કરતા શિશુને કોઈપણ જાતની કૃત્રિમ ટોટી, ધવણી કે ચુસણી આપવી નહીં.
દવાખાનેથી રજા આપ્યા બાદ માતાને મદદરૂપ થવા માટે સ્તનપાનને સમર્થન આપતા ગ્રુપની રચના કરો.
(૩) બાળ મજુરી અને બાળ અત્યાચાર અટકાવવાના પગલા લખો.05
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) તરૂણાવસ્થામાં જોવા મળતા ફેરફારો જણાવો.આ ફેરફારોથી તરૂણો અને તરૂણીઓ મુંજવણ2માં મુકાય છે તો તમે શું કાઉન્સેલિંગ કરશો ? 08
🔸તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક વિકાસ
શારીરિક વિકાસ ઝડપી અને આશ્ચર્યજનક થાય તે તરુણાવસ્થાની લાક્ષણિકતા છે.
જેમાં જાતિય ફેરફારોનો સમાવેશ પણ થાય છે.
આ અવસ્થામાં શરીરમાં જનનાંગો સહિત લગભગ તમામ અંગોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા ફેરફારો થવા લાગે છે.
તેથી શારીરિક દેખાવ અને આકાર પણ ઝડપથી બદલાય છે.
🔸તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતોશારીરિક વિકાસ :
શરીરના દરેક અંગમાં વિકાસ થાય છે.
સ્નાયુઓ વધારે મજબૂત બને.
ચામડી તૈલી બને.
ખભા પહોળા થાય.
અવાજ ઘાટો થાય.
છાતી, બગલ, પ્યુબિક એરિયામાં વાળ આવે અને દાઢી મુછ આવવાની શરૂઆત થાય.
પેનીશ અને ટેસ્ટીસ મોટા થાય છે.
વિર્યનુ ઉત્પાદન શરૂ થાય અને વીર્યાસ્ખલનની શરૂઆત થાય.
🔸તરુણાવસ્થા દરમિયાન છોકરીઓના શરીરમાં થતો વિકાસ :
શરીરના દરેક અંગમાં વિકાસ થાય.
સ્તનનો વિકાસ થાય.
ચામડી તૈલી બને.
સાથળ અને હિપનો ભાગ પહોળો થાય.
અવાજ તીણો થાય.
બગલ અને પ્યુબીક એરિયામાં વાળ આવે.
બહારના જાતીય અવયવો મોટા થતા જણાય.
ઓવ્યુલેસનની શરૂઆત થાય અને માસિક સ્ત્રાવની શરૂઆત થાય.
કાઉન્સિલીંગમાં એ.એન.એમ ની ભૂમિકા
તરુણાવસ્થા એ એક એવો સમાયગાળો છે કે ત્યારે છોકરીઓમાં ઘણા બધા માનસિક અને શારીરિક ફેરફારો જોવા મળે છે.
આ સમયગાળા દરમીયાન મોટા બદલાવોના કારણે તેઓમાં ઘણા બધા પ્રકારની દ્રિધ્ધા અને પ્રશ્નો ઉદભવે છે.
તેમાં ખાસ કરીને ભવીષ્યનું આયોજન, ઉચ્ચ શિક્ષણ, લગ્ન વગેરેનો સમાવેશ થાય છે.
સમાન્ય રીતે મોટી ઉંમર (18 થી 20 વર્ષ) ની તરૂણીઓમાં લગ્ન ને સંબંધીત દ્વિધ્ધા અને પ્રશ્નો હોય છે. આથી આ ઉંમરની તરૂણીઓ સાથે લગ્ન વિષયક સંપરામર્સ કરવું જરૂરી છે.
જેમા આરોગ્ય કાર્યકર દ્વારા નીચે મુજબના મુદ્દાઓ ચર્ચી શકાય છે.
તરુણીઓને કાયદાઓ મુજબ 21 વર્ષની ઉંમર બાદ લગ્ન કરવાની સલાહ આપો.
તરૂણીઓને અને તેના પરીવારને નાની ઉંમરે લગ્ન કરવાનાં નુકશાન અને યોગ્ય ઉંમરે લગ્ન કરવાનાં ફાયદાઓ જણાવો અને સમાજને બાળકીઓ ના યોગ્ય ઉંમરે લગ્ન કરાવવા માટે પ્રેરણા આપો.
લગ્નની ઉંમરની સ્ત્રીઓની માનસિક સ્થિતિ જાણો અને તેની મુંઝવણોનુ સમાધાન કરો.
પરીવારને સલાહ આપો કે બાળકીના અભ્યાસ અને તેના અધિકારોનું ખંડન થતું અટકાવે અને તેના લગ્ન તરુણી માનસિક અને શારીરિક રીતે પરીપક્વ થાય ત્યાર બાદ જ કરે.
(૨) રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક વિશે લખો.04
અથવા
(૧) ૦ થી ૧ વર્ષના બાળકોમાં જોવા મળતા અકસ્માતો જણાવી અને તેને નિવારણ માટે પગલા જણાવો.08
(૨) જાહેરનામાં મુજબ બાળકોના મુળભુત હકો જણાવો.04
બાળકલ્યાણના નવા મુદાઓ ૧૯૫૯માં આપેલા મુદાઓમાં ભેળવવામાં આવેલ છે. જેમાં બાળકને ખાસ કઈ જરૂરીયાત છે. તે માટે એક કમીટી બેસાડવામાં આવી.અને તે કમીટીની ૨૦ નવેમ્બર ૧૯૫૯ના યુનાઈટેડ નેશનની સભામાં બાળકોના હકકો માટેનું જાહેરનામું નકકી કરવામાં આવ્યું જે નીચે મુજબ છે.
માતા પિતાએ તેમના બાળકો માટે પ્રેમ અને સલામતીની ભાવનાવાળુ વાતાવરણ તૈયાર કરી વિકસાવવું જરૂરી છે.
ખોરાક,રહેઠાણ અને માંદગીની સારવારના સામાજીક સુરક્ષા ધારા હેઠળ બાળક મુકત મને હરીફરી શકે તેવી સવલતો આપવી.
મફત શિક્ષણ પુરૂ પાડવુ.
રમતગમત અને મુકત વિહારની પુરેપુરી તકો મળે તે જોવુ.
પોતાના નામ સાથેનું નાગરિકત્વ મળવુ જોઈએ.
અપંગ બાળકને મળતા તમામ સારવાર મળે અને તમામ લાભો મળતા હોવા જોઈએ.
તરછોડેલા બાળકોને તે જ સમયે રક્ષણ અને હુંફ મળે તે જોવુ.
સમાજનો ઉપયોગી સભ્ય થઈ શકે. અને સાથે તદુરસ્તીનો પણ વિકાસ થાય તેમજ તેની સ્વતંત્રતા અને મોભાને પણ સચવાય તે રીતે સમાજમાં સ્થાન મેળવે. એટલે કે સામાજીક દરજજો મેળેવે તેવુ હોવુ જોઈએ.
સમજણમાં સહનશકિતમાં લોકોના મિત્રતા,શાંતિ અને બધા સાથે ભાઈચારાની ભાવના રાખવી જોઈએ.
રંગભેદ,જાતીભેદ,ધર્મભેદ,જ્ઞાતિભેદ,વિના સમાજમાં અને દેશમાં એક અંગ તરીકે ના હકકો ભોગવે તે માટે જોવુ જોઈએ.
કોઈ ખાસ આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોની સતત મોનિટરિંગ અને તેઓને યોગ્ય સારવાર માટે સુલભ બનાવી.
રિપોર્ટિંગ:
શાળા આરોગ્ય કાર્યક્રમનાં કાર્ય અને પરિણામોના રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ આપવો.
(૩) ઝાડા એટલે શું? તેની સારવાર માટેના ઘરગથ્થુ ઉપાયો જણાવો.
ઝાડાના બંધારણમાં અને ગુણધર્મમાં કોઈ ફેરફાર થાય, વધુ વખત થાય કે પાતળા પાણી જેવા થાય તેને ઝાડા કહેવાય છે.
ઝાડાના કારણે બાળકોના મૃત્યુનું પ્રમાણ ઘણું જ વધારે છે.
લગભગ ચાર બાળકોને લાંબા સમય સુધી જાડા હોય તો તેમાંથી એક બાળક આ કારણોસર મરણ પામે છે.
પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુનું સૌથી મોટું કારણ ઝાડા છે.
પરંતુ હવે ઝાડાની સારવાર ઘેર બેઠા પણ શક્ય બની છે અને બાળકોની સર્વાંગી સારવારની સ્ટ્રેટેજી મુજબ આવા બાળકોને વહેલાસર ઓળખવા પણ શક્ય બન્યા છે.
સામાન્ય સારવાર ઘરે જ અને વધુ જરૂરિયાતવાળા બાળકોને તાત્કાલિક અને સમયસર વધુ સારવાર માટે રીફર કરવામાં આવે તો આવા બાળકોને આપણે સંપૂર્ણપણે બચાવી શકાય અને બાળ મૃત્યુદર નીચો લાવી શકાય.
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)
(૧) નવજાત શિશુની આવશ્યક સંભાળ
નવજાત શિશુંની સંભાળના આવશ્યક મુદ્રાઓ
જન્મનો સમય મોટેથી બોલો.
બાળકના જન્મ પછી તરત જ તેને હૂંફાળા, ચોખા અને કોરા ટુવાલ અથવા કપડા માં વીટોડીને માતાની છાતી અને પેટ પર મૂકો. (બે સ્તનની વચ્ચે)
યાદ રાખો કે શક્ય હોય ત્યાં સુધી બાળકને માતાથી અલગ કરવાનું નથી.
નાળ બાંધીને કાપતા પહેલા કોડના ધબકારા બંધ થવાની રાહ જુઓ.
તરત જ બાળકને હુંફાળા,ચોખા, કોરા કપડાથી કોરું કરો, બંને આંખ લુછો.
કોરું કરતી વખતે બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરો.
જંતુમુક્ત કરેલ ગોઝના ટુકડાથી બંને આંખો લુછી લો.
બાળકને માતાના બંને સ્તન વચ્ચે મૂકીને ચામડીથી સ્પર્શની સંભાળ શરૂ કરો.
જો હજુ સુધી નવજાત બાળકે સ્તનપાન લેવાનું શરૂ ન કર્યું હોય તો માતાને પ્રોત્સાહિત કરો અને યોગ્ય પદ્ધતિથી પ્રયત્ન કરાવો.
જો બાળક બરાબર શ્વાસ ન લેતું હોય અથવા રડતું ન હોય તો પછી પુનર્વસન માટેની ક્રિયા શરૂ કરો.
(૨) કાંગારૂ મધર કેર
કાંગારૂ મધર કેર(KMC)
Definition :
જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોને વિશિષ્ટ રીતે સંભાળ માપવાની પદ્ધતિને કાંગારું મધર કેર કહે છે. તેનાથી બાળક અને માતા બંનેના આરોગ્ય સુધરે છે, અસરકારક રીતે ઉષ્ણ તાપમાનનું નિયમન થઈ શકે છે, સ્તનપાન, ચેપની અટકાયત, વજનમાં ખૂબ વધારો અને માતા અને બાળકનો મમતા સેતુ બંધાઈ રહે છે.
🔸કાંગારૂ મધર કેરના પાસાઓ
ચામડીથી ચામડીનો સ્પર્શ
ફક્ત સ્તનપાન
🔸કાંગારૂ મધર કેરના ફાયદા
બાળકના શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળકને ઠંડુ પડી જવાનું જોખમ ઓછું થઈ જાય છે.
સ્તનપાન કરાવવાનું પ્રમાણ વધી જાય છે જેથી વજનમાં વધારો થાય છે.
આરોગ્ય સુવિધાથી વહેલા રજા આપી શકાય છે.
શ્વાસની તકલીફ અને ચેપ જેવી બીમારીઓનું પ્રમાણ ઘટાડી શકાય છે.
માનસિક તણાવ માતા અને બાળક બંનેમાં ઓછો થાય છે.
બાળક અને માતા વચ્ચે મમતાનો સેતુ સારી રીતે બંધાઈ રહે છે.
🔸કાંગારૂ મધર કેર કોને આપી શકાય
કાંગારૂ મધર કેર દરેક બાળકને આપી શકાય છે.
ઓછા વજનવાળા બાળક માટે તે વધુ જરૂરી અને અસરકારક છે.
ગંભીર રીતે બીમાર બાળકને પહેલા સારવાર આપવી જરૂરી છે, તેની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ આરોગ્ય કર્મચારીની દેખરેખ હેઠળ બીમાર બાળકને પણ કાંગારુ મધર કેર આપી શકાય છે.
🔸કાંગારૂ મધર કેર આપવાની રીત
બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભું રહે તે રીતે ગોઠવો.
બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે. બાળકના બંને પગ એવી રીતે ગોઠવો જેથી તે દેડકા જેવી સ્થિતિમાં રહે અને બંને હાથ પણ ઉપર તરફ ગોઠવા.
બાળકનું પેટ માતાના પેટને સ્પર્શે તે સ્થિતિએ બાળકને ગોઠવો.
માતાના શ્વાસોચ્છવાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે અને આમ બાળકને ગુંગણામણ થતી અટકાવી શકાય છે.
બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.
(૩) બ્રેસ્ટ ફીડીંગમાં જોવા મળતી તકલીફો
બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન માતા અને બાળક બંનેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આમાંની કેટલીક સામાન્ય મુશ્કેલીઓ નીચે વર્ણવવામાં આવી છે:
બાળકમાં જોવા મળતી તકલીફો
પ્રી ટર્મ બેબી ઓછા વજનવાળા બાળક માં ઘણી વખત સકીંગ રિફ્લેક્સ ડેવલોપ ન થવાને કારણે બ્રેસ્ટ મિલ્ક સક કરી શકતું નથી.
આવી પરિસ્થિતિમાં બાળકને માતાનું બહાર કાઢેલું દૂધ ચમચી અથવા તો રાઇલ ટ્યુબ થી આપવું.
માતામાં જોવા મળતી તકલીફો
અંદર ખુપેલી ડિંટડી
આવી કન્ડિશનમાં માતાના બ્રેસ્ટ નીપલ અંદરની બાજુ એ દબાયેલી હોવાથી બાળક બ્રેસ્ટ મિલ્ક ચુસી(suck) શકતું નથી.
આવી કન્ડિશનમાં બાળકને મેન્યુઅલી કાઢેલું દૂધ આપો.
બાળકના જન્મ બાદ નીપલને હાથથી બહારની બાજુએ ખેંચવાની પ્રેક્ટિસ કરવી. નીપલ બહારની બાજુએ કાઢવા માટે બ્રેસ્ટ પમ્પ અથવા સીરીંજનો ઉપયોગ કરવો જોઈએ.
સ્તનમાં ભરાવો
માતાના સ્તનમાં થતો ભરાવો ઓછો કરવા બાળકને પૂરતા પ્રમાણમાં સમયાંતરે બ્રેસ્ટ-ફીડિંગ જરૂરી છે.
માતાને સ્તનપાનનાં સિધ્ધાંતો વિશે શીખવાડો .આ ઉપરાંત વાર્મ એપ્લિકેશન આપવી.
બ્રેસ્ટમાં ચેપ
વારંવાર સ્તનમાં દુધનો ભરાવો થાય અને સમયસર સારવાર કરવામાં ન આવે તો બ્રેસ્ટમાં ચેપ લાગે છે અને રસી થઈ જાય છે જેને બ્રેસ્ટ એબ્સેસ કહે છે.
આવી કન્ડિશનમાં એબ્સેસ વાળા બેસ્ટમાંથી બ્રેસ્ટ-ફીડિંગ કરાવાવું નહીં.
આવી કન્ડિશનમાં ચેકો મૂકી રસી બહાર કાઢવામાં આવે છે.
ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય એન્ટિબાયોટિક્સ અને એનાલજેસિક આપવામાં આવે છે.
નીપલમા ચીરા પડવા
બાળક ને બરાબર વળગેલું ન હોય, સાબુ અને પાણીથી વારંવાર સ્તન સાફ કરવા અને નિપ્પલ પર ફુગનો ચેપ લાગવાથી નિપ્પલમાં ચીરા પડે છે અને સોજો આવે છે.
તેના ઉપચારમાં, માતા ને વડગાડવાની રીત યોગ્ય રીતે શીખવાડવી, સ્તનપાન બાદ ડીટંડી પર મિલ્ક લગાવવું, સ્તનને ખુલ્લા રહેવા દેવા અને પર્સનલ હાયજીન જાડવવા સલાહ આપવી.
માતાને કહો કે ડીંટડીમાં ચિરા પડવાનું મુખ્ય કારણ સ્તનપાનની ખોટી રીતો છે.
જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેમાં ચેપ લાગી શકે છે. માતાને સ્તનપાનની સાચી રીતો વિશે સમજાવો.
(૪) બાળકો માટે રમકડાનું મહત્વ
બાળકોમાં રમકડાનું મહત્વ
1. શારીરિક વિકાસ માટે
રમકડાં જેવી કે બોલ, ટ્રાઇસિકલ, પઝલ પ્લેંગથી મોટર સ્કિલ્સ વિકાસ પામે છે.
આંખ અને હાથ વચ્ચેના સમન્વય (eye-hand coordination)માં સુધારો થાય છે.
રમતી વખતે બાળક ઊભું રહેવું, ચાલવું, દોડવું શીખે છે – જેને કારણે કોષ્ટકો મજબૂત બને છે.
2. માનસિક વિકાસ માટે
પઝલ, બ્લોક્સ, એબેકસ જેવા રમકડાં વિચારીને રમવા પ્રેરણા આપે છે.
રમત દરમિયાન બાળક સંખ્યા, આકાર, રંગ વગેરે ઓળખે છે.
રમકડાં દ્વારા સમસ્યા હલ કરવાની ક્ષમતા (problem-solving ability) વિકસે છે.
3. ભાષા વિકાસ માટે
રોલ-પ્લે ટોય્સ (જેમ કે ડૉક્ટર કિટ, કિચન સેટ) દ્વારા બાળકે વાર્તાલાપ અને ભાવ ભાવનાઓ વ્યક્ત કરવી શીખે છે.
રમતી વખતે બાળક અન્ય બાળકો સાથે સંવાદ કરે છે, જેનાથી શબ્દભંડોળ વધે છે.
4. સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે
જૂથમાં રમવાથી સહકાર, શિસ્ત અને શ્રદ્ધાની ભાવના વિકસે છે.
રોલ પ્લે રમકડાંમાં બાળક વિવિધ ભૂમિકા ભજવે છે – જેને કારણે ઈમ્પેથી અને ભાવનાત્મક બુદ્ધિ વિકસે છે.
હાર-જીત સ્વીકારવી શીખે છે – જેનાથી સંયમ અને ધીરજ વિકસે છે.
5. સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ માટે
મોડેલિંગ, પેઇન્ટિંગ કીટ્સ, કન્સ્ટ્રક્શન ટોઈઝથી બાળકની કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.
પોતે નવું બનાવવાનું અને શોધવાનું શીખે છે.
પ્રશ્ન-૫ વ્યાખ્યા આપો. (કોઈપણ છ) (12)
(૧) કાઉન્સેલિંગ
(૨) ચાઈલ્ડ એબ્યુઝ
બાળકોને તેના માતા પિતા, સંભાળ રાખનારા, નોકરીએ રાખનાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા બાળક સાથે ખરાબ વર્તન કરવામાં કે ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવામાં આવે કે જેનાથી બાળકનો શારીરિક, માનસિક કે સામાજિક વિકાસ અટકી જાય અથવા ખોડખાંપણ આવી જાય, આવી સ્થિતિને બાળકો પર થતા અત્યાચાર કહે છે.
(૩) ઓટાઈટીસ મિડીયા
સમસ્યા કાનનું વહેવુ એ કાનના પોલાણના ચેપથી પેદા થતી નાનાં બાળકોની સર્વ સામાન્ય સમસ્યા છે. આ તક્લીફની સારવાર તાત્કાલિક કરાવવી જોઇએ, નહીં તો ઓછું સંભાળાવું કે કાયમી બહેરાશ જેવી તક્લીફ થઈ શકે.
ચીન્હો અને લક્ષણો
કાનનું વહેવું એ કાનના ચેપથી ઉદભવતી બીમારી છે.
દુખાવો એ સામાન્ય ચિહ્ન છે. ખંજવાળ આવે,શરદી અને ઉધરસ
બાળકને તાવ પણ હોઇ શકે અને કાનમાં દુખાવો થાય.
કાનમાંથી રસી વહેવાનો પૂર્વ ઇતિહાસ હોય છે.
(૪) એડોલેશન્સ
(૫) આસ્ફેક્સીયા
બાળકના જન્મની પ્રકીયા દરમીયાન વધુ સમય લાગવાથી ઘણી વખત બાળકને પુરતા પૂમાણમાં અને સમયસર ઓકસીજન ન મળવાને કારણે થાય છે. બાળક ને લાંબા સમય સુધી ઓકિસજન ન મળવાના કારણે તે Cynosis થઈ જાય છે. ઓક્સિજનની ઘટના કારણે બાળકને ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓ અને ઘણી વખત મ્રુત્યુ પણ થઇ શકે છે. આ પરીસ્થીતી મા તાત્કાલીક સારવાર ની જરૂર પડે છે.
(૬) એનિમિયા
એનિમિયા (પાંડુરોગ) એવો રોગ છે જેમાં લોહીમાં રહેલા રક્તકણોમાં રક્તરંજક (hemoglobin) દ્રવ્યની ઉણપ હોય છે. હિમોગ્લોબિન શરીરના તમામ અવયવો તથા પેશીઓને ઓક્સિજન પહોંચાડવાના વાહન તરીકે કામ કરે છે. એનીમિયામાં અગત્યના અવયવોને ઓક્સિજન ખૂબ ઓછો પહોંચે છે અને પરિણામે બાળકના આરોગ્ય માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય છે. એનીમીયા વાળું બાળક જલ્દી થાકી જાય છે અને હાંફવા લાગે છે. આવા બાળકો વારંવાર બીમાર પડી જાય છે. એનીમિયાના ગંભીર કેસોમાં ચેપ કે હૃદય રોગની શક્યતા વધે છે, જેને લીધે મૃત્યુ પણ થઈ શકે છે.
(૭) લો બર્થ વેઈટ બેબી
(૮) ન્યુબોર્ન
નવજાત શિશુ એટલે એવો શિશુ જેનું જન્મ થતી ક્ષણથી લઈ 28 દિવસ સુધીનુંજીવનકાલ હોય છે. આ અવધિમાં બાળકને “નવજાત શિશુ” અથવા “નિયોનેટ” (Neonate) કહેવામાં આવે છે.
અથવા
જન્મથી લઈને 28 પૂર્ણ થયેલા દિવસો સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે, ભલે તે સમયપૂર્વ જન્મેલું હોય (Preterm), સમયસર (Term) કે મોડું (Post-term).
પ્રશ્ન-૬ (અ) પૂર્ણ રૂપ લખો.05
(1) IMNCI – Integrated Management of Neonatal and Childhood Illness (ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ એન્ડ ચાઈલ્ડહુડ ઈલનેસ)