sample paper anm phcs

GNC.ANM-F.Y-PHCN-SAMPLE PAPER

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-

  1. પેપર મળ્યા બાદ સૌપ્રથમ પેપરને એક વખત વાંચવુ જેથી દરેક પ્રશ્નો વિશે માહિતગાર થઈ શકાય.
  2. પેપરમાં બને ત્યાં સુધી બ્લુ પેન નો ઉપયોગ કરવો જરૂર જણાય ત્યાં બ્લેક બોલપેન નો ઉપયોગ કરી શકાય આ સિવાય કોઈ પણ પેન નો ઉપયોગ કરવો નહીં.
  3. પેપરમાં કોઈપણ છાપ છોડતી હોય અથવા આઇડેન્ટિટી બતાવતી હોય તેવી કોઈ પણ પેટર્ન જેમકે લાઇન,બોક્સ,સર્કલ વગેરે જેવી કોઈ પણ પેટર્નનો ઉપયોગ કરવો નહીં.
  4. પેપરમાં માગ્યા મુજબ જરૂર જણાય ત્યા સચોટ આકૃતિ દર્શાવવી.
  5. કવેશ્ચન પેપર માં સીટ નંબર સિવાય કોઈપણ અન્ય પ્રકારના લખાણો કરવા નહીં.
  6. કવેશ્ચન માં પુછાયેલા પ્રશ્નો જવાબ આપતા પહેલા ધ્યાનથી બે વખત વાંચવા માગ્યા મુજબનો જ જવાબ આપવો જવાબ આપતી વખતે માર્ક્સના વેઇટેજને ખાસ ધ્યાનમા રાખવું.

તારીખ ૨૫/૦૯/૨૦૨૪

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(1) સ્ટરીલાઈઝેશન એટલે શું?(03 માર્ક્સ)

Definition

કોઈપણ વસ્તુ કે એવો વિસ્તાર કે કે જેની સાથે જોડાયેલ બધા જ જીવાણુઓ બેકટેરીયા કે વાયરસ દુર કરવાની કે મારી નાખવાની પધ્ધિતીને સ્ટરીલાઈઝેશન કહેવાય છે.

સ્ટરીલાઈઝેશનના હેતુ (Purpose)

  • દર્દી સાથે વપરાતા સાધનોને જંતુરહિત બનાવવું
  • સર્જિકલ ઓપરેશનના સમયે સંક્રમણ અટકાવવું.
  • દવાઓ અને ઈન્જેક્શનને સૂક્ષ્મજીવીમુક્ત રાખવી.
  • હોસ્પિટલમાં Healthcare-associated infections (HAIs) અટકાવવા.

સ્ટરીલાઈઝેશનના ચાર પ્રકાર છે

  • નેચરલ
  • મિકેનિકલ
  • ફિઝિકલ
  • કેમિકલ

(2 ) રોલર બેન્ડેજ બાંધતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ખો.(04 માર્ક્સ)

  • બેન્ડેજ બાંધતી વખતે દર્દીને આરામદાયક સ્થિતિ આપવી.
  • શરીરના જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય તે મુજબ જ યોગ્ય સાઈઝનો બેન્ડેજ લેવો.
  • બેન્ડેજ બાંધનાર વ્યક્તિએ પણ યોગ્ય પોઝીશનમાં ઊભું રહેવું.
  • બેન્ડેજ બાંધતી વખતે દર્દીની સામે ઊભું રહેવું પરંતુ માથાના ભાગે બેન્ડેજ બાંધતી વખતે દર્દીની પાછળ ઉભા રહેવું.
  • ઇજા પામેલ ભાગને સાફ કરવો.
  • ઇજા પામેલ ભાગને ટેકો આપવો જરૂર પડે તો બીજી વ્યક્તિની મદદ લેવી.
  • જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય તે ભાગ પર ડ્રેસિંગ મૂકી અંદરથી બહાર અને ઉપરથી નીચે તરફ બેન્ડેજ બાંધવાની શરૂઆત કરો.
  • બેન્ડેજના શરૂઆતમાં બે ગોળાકાર સર્ક્યુલર ટન લેવા.
  • બેન્ડેજ બાંધતી વખતે દરેક વળાંક ૧/૩ ભાગ ખુલ્લો અને ૨/૩ ભાગ કવર કરવો. બેન્ડેજ બાંધતી વખતે તે હાથમાંથી પડી ના જાય તેનો ખ્યાલ રાખો.
  • આંગળી ઉપર બેન્ડેજ બાંધતી વખતે નખનો ભાગ ખુલ્લો રાખવો જેથી સાઈનોસિસ માટે જોઈ શકાય.
  • બેન્ડેજના તમામ સ્પાઇકા એક સરખા હોવા જોઈએ.
  • તમામ જગ્યા પર સરખા પ્રેશર વડે બેન્ડેજ બાંધવો.
  • બેન્ડેજ બાંધતી વખતે શરીરની ચામડીની બે સરફેસ એકબીજાના સીધા સંપર્કમાં આવવી ન જોઈએ.
  • બેન્ડેજ ને પૂરો કરી ઘા ની વિરુદ્ધ સાઈડમાં ગાંઠ વાળવી અથવા માઈક્રોટેપ લગાડવી.

(3 ) સૂક્ષ્મજીવાણુઓની વૃધ્ધિ અને વિકાસ માટેના જરૂરી પરિબળો લખો.(05 માર્ક્સ)

સૂક્ષ્મજીવાણુઓની વૃદ્ધિ અને વિકાસ માટેના જરૂરી પરિબળો (Factors affecting growth and development of microorganisms) નીચે પ્રમાણે છે:

1. તાપમાન (Temperature)

  • દરેક સૂક્ષ્મજીવો માટે વિશિષ્ટ તાપમાન શ્રેણી હોય છે.
  • ઊંચું કે ઓછું તાપમાન વૃદ્ધિ રોકી શકે છે.
  • તાપમાનના આધારે સૂક્ષ્મજીવો ત્રણ મુખ્ય પ્રકારના હોય છે:
  • સાયક્રોફિલિક (Psychrophilic): 0°C – 20°C
  • મેસોફિલિક (Mesophilic): 20°C – 45°C (આમ માનવીના શરીરમાં વળગી રહે છે)
  • થર્મોફિલિક (Thermophilic): >45°C

2. pH સ્તર (pH Level)

  • pH સૂક્ષ્મજીવોના જીવન માટે મહત્વપૂર્ણ છે.
  • મોટાભાગના બેક્ટેરિયા માટે pH 6.5 – 7.5 શ્રેષ્ઠ છે.
  • ફંગસ (Fungi) પરિબળ છે, તેઓ ઊંચા એસિડિક pH પર પણ જીવી શકે છે.

3. પાણી અને ભેજ (Water and Moisture)

  • પાણી છે તો જીવન છે – સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે ભેજ જરૂરી છે.
  • વધારે ભેજની હાજરીમાં માઈક્રોબ્સ ઝડપી વધે છે.
  • શુષ્ક વાતાવરણમાં સૂક્ષ્મજીવો નિષ્ક્રિય થઈ જાય છે.

4. પોષક તત્વો (Nutrients)

  • કાર્બન, નાઈટ્રોજન, મિનરલ્સ, વિટામિન્સ વગેરેનાં સ્ત્રોત જરૂરી છે.
  • પોષક તત્વોની ઉપલબ્ધિ વધુ હોય તો વૃદ્ધિ વધુ થાય છે.

5. ઑક્સિજન (Oxygen)

  • સૂક્ષ્મજીવોના પ્રકાર મુજબ ઓક્સિજનની જરૂરિયાત બદલાય છે:
  • એરોબિક (Aerobic): ઓક્સિજન જરૂરી
  • એનએરોબિક (Anaerobic): ઓક્સિજન વગર જીવે
  • ફેકલ્ટેટિવ એનાઓરોબ (Facultative anaerobe): બંને પરિસ્થિતિમાં જીવે

6. પ્રકાશ (Light)

  • અમુક સૂક્ષ્મજીવો પ્રકાશ સંવેદનશીલ હોય છે.
  • UV રે અને સૂર્યપ્રકાશ અનેક વખત સેલ ડેમેજ પેદા કરી વૃદ્ધિ અટકાવે છે.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12 માર્ક્સ)

(1 ) એપીડેમીક : સામાન્ય કરતા વધારે પ્રમાણમાં કોઈ રોગ ફાટી નીકળે તેને એપીડેમીક કહેવાય છે. આમા, એક જગ્યા એ જ સમયે ઘણા બધા કેસો જોવા મળે છે. દાત.કોલેરા,ટાઈફોઈડ અને મેલેરીયા વગેરે..

(૨) પ્રાથમિક સારવાર :પ્રાથમિક મદદના સિધ્ધાંતો અને તેના ઉપયોગ એ તબીબી વિજ્ઞાનના નિયમો પર રચાયેલ છે. આનું જ્ઞાન અકસ્માત અથવા એકા એક આવી પડેલ માંદગી વખતે,જયાં સુધી તબીબી સારવાર મેળવાય ત્યાં સુધી, તાલીમ પામેલ માણસો એવી કુશળ મદદ કરે છે કે જેથી ઈજા પામેલાની જીંદગીનો બચાવ થાય છે, તેને સાજા થવામાં મદદરૂપ થાયછે અને ઈજા કે માંદગીને ખરાબ થતી અટકાવે છે..

(3 ) રીહેબીલીટેશન : રીહેબીલીટેશન એ એવી પ્રક્રીયા છે જેમાં કોઈ વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક, અથવા બૌદ્ધિક ક્ષમતાઓ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવી, જે તેને કોઈ ઈજા, રોગ અથવા અશક્તિ (Disability) પછી ગુમાવી હોય. રિહેબીલીટેશનનો હેતુ એ છે કે વ્યક્તિ પાછું તેના જીવનમાં સામાન્ય રીતે કાર્ય કરી શકે અને પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે.

(4 ) વુંન્ડ : Wound (જખમ,ધા ) એટલે ચામડી અથવા તેની નીચે આવેલા ટીસ્યુમાં ઈજા થાય,જે જેમાંથી લોહી વહેવા માંડે અને તે માર્ગે રોગ પેદા જંતુઓ દાખલ થઈ શકે તેને વુંડ કહેવામાં આવે છે.

(૫) હિમેટેમેસીસ :હિમેટેમેસીસ એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિના મોંમાંથી ઉલ્ટી સાથે લોહી નીકળે છે, જે ઉપરી જઠરાંત્ર માર્ગ (Upper Gastrointestinal Tract)માંથી આવી શકે છે.

મુખ્ય લક્ષણો

  • તાજું લાલ લોહી સાથે ઉલ્ટી (Bright red blood in vomit)
  • કાળું, કોફી પાવડર જેવું દ્રવ્ય (Coffee-ground vomitus)
  • મોઢામાં લોહીનો સ્વાદ
  • પેટમાં દુખાવો અથવા અસ્વસ્થતા
  • ચક્કર, થાક, અને બ્લડ પ્રેશર ઘટી જવું

(૬) વીરૂલન્સ :વિરુલન્સ એ રોગકારક સૂક્ષ્મજીવ (pathogen)ની એ ક્ષમતા છે જે તેને યજમાન (host) ના શરીરમાં પ્રવેશ્યા પછી રોગ ઉત્પન્ન કરવા માટે શક્તિશાળી અને ઘાતક બનાવે છે.

અન્ય શબ્દોમાં કહીએ તો, વિરુલન્સ એ કોઈ સૂક્ષ્મજીવાણુંની રોગ સર્જવાની તીવ્રતા (severity) અને હાનિકારક ક્ષમતા દર્શાવે છે.

(૭ ) કેરીયર : કેરીયર એટલે કે વ્યક્તિ કે જેના શરીરમાં રોગના જંતુઓ હોય છે, અને વ્યકિત રોગના લક્ષણો પણ ધરાવતું નથી. અને સંપૂર્ણ સાજો લાગે છે છતા પણ તેના શરીર વડે બીજાને ચેપ લગાવી શકે છે.

(8 )આઈસોલેસન : ચેપી રોગથી પીડાતા દર્દીને તંદુરસ્ત માણસના સંપર્કથી દુર રાખવાની પધ્ધતીઓને આઈશોલેશન કહેવાય છે.

પ્રશ્ન-૬ (ચ) પૂર્ણ રૂપ લખો.(05 માર્ક્સ)

(1) VVM – Vaccine Vial Monitor.(વેક્સીન વાયલ મોનિટર)

(2) NRHM – National Rural Health Mission.(નેશનલ રૂરલ હેલ્થ મિશન)

(3) NSSK – Navjaat Shishu Suraksha Karyakram.(નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ)

(4 ) UNICEF – United Nations International Children’s Emergency Fund.(યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફન્ડ)

(5 ) DOTS – Directly Observed Treatment, Short-course.(ડાયરેક્ટલી ઓબસર્વડ ટ્રીટમેન્ટ, સોર્ટ કોર્સ)

(બ) ખાલી જગ્યા પુરો.(05 માર્ક્સ)

(૧) અસ્થમાવાળા દર્દીને…………… બેડ આપવામાં આવે છે. ફાઉલર (Fowler’s)

(૨) રસીઓની જાળવણી………… તાપમાને કરવામાં આવે છે. +2°C થી +8°C

(3) SOS એટલે ……………….Save Our Souls અથવા Save Our Ship

(૪) ટાઈફોઈડમાં …………………..ટેસ્ટ કરવામાં આવે છે. વિડાલ ટેસ્ટ (Widal Test)

(૫) નાકમાંથી લોહી નીકળે તેને………………… કહે છે. એપિસ્ટેક્સિસ (Epistaxis)

(A) નીચેના વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવો.(05 માર્ક્સ)

(૧) ડ્રેસીંગમાં વપરાતા સાધનો જંતુમુકત હોવા જરૂરી નથી.❌

(૨) મીઝલ્સ વેક્સીન ૧૧ માસે આપવામાં આવે છે.❌

(3) રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ટુર્નીકેટ બાંધવામાં આવે છે.✅

(૪) દાઝી ગયેલ વ્યક્તિ પર ઠંડું પાણી રેડવું હિતાવહ છે.✅

(૫) સ્વાઈન ફ્લૂનો ફેલાવો પ્રદુષિત પાણીથી થાય છે.❌

Published
Categorized as ANM-PHCN-PAPER SOLU, Uncategorised