ANM-ઓકઝીલરી નર્સ મીડવાઈફ (પ્રથમ વર્ષ) કમ્યુનીટી હેલ્થ નર્સિંગ-23/09/2024-UPLOAD PAPER NO.6

પેપર સોલ્યુશન નંબર-06

તારીખઃ 23/09/2024

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

1) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટની વ્યાખ્યા લખી તેના હેતુઓ જણાવો (03 માર્ક્સ)

Definition :

કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એટલે સમુદાયની અનુભવાતી જરૂરિયાતો પર આધારિત, કાલ્પનિક નહીં પણ પદ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઉપરથી નીચેથી તરફના અભિગમ ને બદલે નીચેથી ઉપર તરફના વર્ષેભિગમનો ઉપયોગ કરીને આપવામાં આવતી સેવા.

OR

સમુદાય જરૂરિયાત મૂલ્યાંકન એ સમુદાયના આરોગ્ય સંબંધિત પ્રશ્નો, જરૂરિયાતો અને ઉપલબ્ધ સ્ત્રોતોનું સંકલન, વિશ્લેષણ અને ઓળખ કરવાની એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે, જેનાથી આરોગ્ય સેવાઓની યોગ્ય યોજના અને અમલ કરવામાં સહાય થાય છે.

કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના હેતુઓ :

  • અગ્રતાક્રમ નક્કી કરવા માટે
  • લાક્ષિત અને જોખમી જૂથો ઓળખવા માટે
  • સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે
  • સામગ્રીની જરૂરિયાત નક્કી કરવા માટે
  • કર્મચારીને વાસ્તવિક આયોજન કરવા માટે
  • યોગ્ય આરોગ્ય કાર્યક્રમો માટે યોજના બનાવવી
  • લોકોને સારા પ્રકારની હેલ્થ સર્વિસિસ મળી રહે તે માટે

(૨) જનસમુદાયમાં પરિવર્તન લાવવામાં એ.એન.એમ નો ફાળો લખો. (04 માર્ક્સ) (Role of ANM in Bringing Change in the Community)

ANM (એએનએમ) એ આરોગ્ય ક્ષેત્રમાં એક અગત્યની કડી છે, જે પ્રાથમિક સ્તરે especially ગામડાંમાં આરોગ્યસેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

1. આરોગ્ય શિક્ષણ દ્વારા જનજાગૃતિ

  • ગ્રામજનોમાં જુની અંધશ્રદ્ધાઓ દૂર કરે છે.
  • લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટે ANM આરોગ્ય શિક્ષણ આપે છે.
  • વ્યસનમુક્તિ, પોષણ, આરોગ્ય જેવા વિષયો ઉપર શિક્ષણ આપે છે.
  • નાટક, પંપલેટ, ગ્રુપ મીટીંગ દ્વારા જનજાગૃતિ ફેલાવે છે.

2. માતા અને શિશુ આરોગ્યની સંભાળ

  • ગર્ભવતી સ્ત્રીઓની નિયમિત તપાસ, T.T. રસી, આયર્ન અને કૅલ્શિયમ પૂરવઠો.
  • પોષણ, પ્રસૂતિ અને જન્મોત્તર સંભાળ માટે સલાહ આપે છે.
  • ગર્ભપાત અને માતા મૃત્યુદર ઘટાડવામાં ફાળો આપે છે.
  • ગર્ભવતી સ્ત્રીઓને ANC (Antenatal Care), ખોરાક, રક્તસ્રાવ અને સંભવિત જોખમો વિશે સમજ આપે છે.
  • પ્રસૂતિ સમયે સુરક્ષિત ડિલિવરી માટે પ્રોત્સાહન આપે છે.

3. બાળ આરોગ્ય અને પોષણમાં સુધારો

  • 0-5 વર્ષની ઉંમરના બાળકોનું નિરીક્ષણ કરે છે.
  • સ્તનપાન, પૂરક આહાર અને રસીકરણ વિશે માતાને માર્ગદર્શન આપે છે.

4. કુટુંબ નિયોજન અને પ્રજનન આરોગ્ય સેવા

  • કુટુંબ નિયોજન પદ્ધતિઓ વિશે સમજ આપે છે.
  • યોનરોગોની પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.
  • IUCD (કોપર-T) જેવા ઉપાયો દ્વારા પરિવારમાં સંતુલન લાવે છે.

5. રોગનિયંત્રણ અને રસીકરણ કાર્યક્રમ

  • ઘાતક અને ચેપી રોગો માટે રસીકરણ પૂરુ પાડે છે.
  • નબળા વિસ્તારના બાળકોને પણ રસીના ઉપયોગ અંગે સમજાવે છે.
  • TB, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ માટે સર્વેલન્સ કરે છે.

6. સમાજ સાથે સહકાર અને સહભાગિતાવાદ

  • મહિલા મંડળ અને આશાવર્કરો સાથે સંકલન સાધે છે.
  • ગામ પંચાયત અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે છે.
  • ICDS અને RCH કાર્યક્રમો દ્વારા પરિવર્તન લાવે છે.

7. વ્યવસ્થાપન અને નોંધણી કાર્ય

  • આરોગ્ય નોધપોથી, શિશુ જન્મ–મૃત્યુ રજિસ્ટર, રસીકરણ નોંધ વગેરેની જાળવણી કરે છે.
  • સમુદાયના આરોગ્ય ડેટાનો વિશ્લેષણ કરીને જરૂરી પગલાં ભરે છે.

8. ઝુંબેશો અને અભિયાનોમાં સહભાગી

  • Pulse Polio(પલ્સ પોલિયો), Mission Indradhanush(મિશન ઇન્દ્રધનુષ), Malaria Abhiyan(મલેરિયા અભિયાન) વગેરેમાં સહભાગી થતી હોય છે.
  • દર વર્ષે Health Camp અને Screening (પૂર્વ ચકાસણી) Programmes માટે મહત્વપૂર્ણ સહયોગ આપે છે.

(3 ) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટના પગથિયાં જણાવો. (05 માર્ક્સ)

કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના પગથિયા (Steps of Community Need Assessment )

1. સમુદાયની ઓળખ અને હદ નક્કી કરવી (Identification & Delimitaion of Community)

🔸 સૌથી પહેલું પગથિયું સમુદાય કે વિસ્તાર કોણ છે તે નક્કી કરવું.
🔸 સમુદાયના નકશા, વસ્તીગણના આંકડા, લોકોની આવક, જીવનશૈલી વગેરે જાણવી.
🔸 જૂથો પ્રમાણે સમુદાયનું વર્ગીકરણ કરવું (જેમ કે: બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો)

2.જરૂરિયાતો અંગે માહિતી એકત્રિત કરવી (Data Collection of Needs)

🔸 ફક્ત અંદાજે નહીં, પરંતુ તથ્ય આધારિત માહિતી એકત્રિત કરવી.
🔸 મુખ્ય માધ્યમ:

  • દરવાજે-દરવાજે સર્વે
  • પછાત વિસ્તારની મુલાકાત
  • ફોકસ ગ્રુપ ડિસ્કશન
  • આયુર્વેદિક આરોગ્ય કાર્યકરો અને ANM દ્વારા મુલાકાત માહિતીમાં આવરી લેવાય છે.
  • સામાજિક સમસ્યાઓ
  • શિક્ષણ અને રોજગાર

3 . માહિતીનું વિશ્લેષણ અને મૂલ્યાંકન (Analysis and Interpretation)
🔸 એકત્રિત માહિતીનું વિશ્લેષણ કરીને મહત્વની જરૂરિયાતો ઓળખવી.
🔸 ડેટા ટેબલ, ચાર્ટ, પ્રતિકો દ્વારા મુદાઓ સ્પષ્ટ થવા જોઈએ.
🔸 કયા મુદ્દા ઘાતક છે? કયા તાત્કાલિક ઉકેલવા જરूરી છે?

4. જરૂરિયાતોને મહત્વ અનુસાર ગોઠવવી (Prioritization of Needs)
🔸 દરેક જરૂરિયાતને મહત્વ મુજબ શ્રેણીબદ્ધ કરવી.
🔸 ગંભીરતાના ધોરણે પ્રાથમિકતા આપવી.
🔸 Ex: ઘાતક રોગો > પાણીની તંગી > શૈક્ષણિક અભાવ આરોગ્ય સમસ્યાઓ (જેમ કે TB, બાળકોમાં કુપોષણ)

5. લક્ષ્યાંકો નક્કી કરવો (Setting Goals/Objectives)

🔸 હવે, મુખ્ય ઉદ્દેશો નક્કી કરવું — એટલે કે શું હાંસલ કરવું છે?

🔸 ઉદાહરણ:

  • 6 મહીનામાં બાળકમૃત્યુદર 10% ઘટાડી દેવું
  • 100% બાળકોને રસી આપવી

6. કાર્યવહી યોજના બનાવવી (Developing an Action Plan)
🔸 નક્કી કરેલા લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે પગલાંઓ નક્કી કરવાં
🔸 કોણ જવાબદાર છે? ક્યારે શરૂઆત થશે? શું સાધનો જરૂર પડશે?

7. અમલમાં મુકવો (Implementation)
🔸 સમુદાયના સહભાગથી યોજના અમલમાં મૂકવી
🔸 આરોગ્ય કર્મીઓ, સ્થાનિક અગ્રણી, NGO વગેરેની સહાય

8.મૂલ્યાંકન અને ફીડબેક (Evaluation & Feedback)

🔸અમલ પછી પરિણામોનું મૂલ્યાંકન કરવું
🔸 શું લક્ષ્યાંકો પ્રાપ્ત થયા? શું સુધારો આવ્યો?
🔸 સમુદાયના પ્રતિસાદને ધ્યાનમાં લેવું
🔸 ભાવિ યોજના માટે સુધારા સૂચવો

અથવા

(૧) કોમ્યુનીકેશનના ઘટકો જણાવો.(03 માર્ક્સ)

કોમ્યુનિકેશનના પાંચ ઘટકો નીચે પ્રમાણે છે:
૧)સેન્ડર (sender)
૨) મેસેજ ( message)
૩) ચેનલ ( channel)
૪) રિસિવર ( receiver )
૫) ફીડબેક ( feedback)

1.Sender (સંદેશો મોકલનાર)

🔸સારા કમ્યુનિકેશન માટે માહિતી મોકલનારનો રોલ ખૂબજ અગત્યનો છે.

🔸Sender એટલે કે એક વ્યક્તિ કે જે સંદેશાને પ્રોપર ચેનલ દ્વારા પહોંચાડે છે.

🔸તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે :

  • સંદેશો મોકલવા પાછળ ચોક્કસ હેતુ હોવો જોઈએ.
  • મેસેજ રીસીવ કરનારને તેની જરૂરિયાત હોવી જોઈએ.
  • જે તે બાબત અંગેનો સંદેશો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે કે કેમ તેની પૂરેપૂરી ખાતરી સેન્ડરને હોવી જોઈએ.
  • જે સંદેશો મોકલવાનો છે તે રિસીવ કરનાર વ્યક્તિ સારી રીતે સમજી શકે તેવી સ્કિલ તેનામાં હોવી જોઈએ.

૨.Message ( સંદેશો )

  • મેસેજ એટલે કે માહિતી જે રીસીવરને પહોંચાડવાની હોય , જે હંમેશા વસ્તુલક્ષી અને અર્થસફર હોવી જોઈએ, વ્યક્તિની જરૂરિયાતોને આધારિત હોવી જોઈએ, તે ચોક્કસ અને લોકોના રીત રિવાજને સમજે અને લોકોને આકર્ષિત કરે તેવો હોવો જોઈએ, તે સરળ રીતે ઉપલબ્ધ તેમજ ઓછી કિંમતે એટલે કે પોસાઈ શકે તેવો હોવો જોઈએ, જેથી લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે.

૩.channel ( સંદેશો પહોંચાડવાનું માધ્યમ )

  • ચેનલ એટલે કે સેન્ડર અને રિસીવર વચ્ચે અસરકારક કમ્યુનિકેશન થઈ શકે તે માટે વાપરવામાં આવતું મીડિયા.
  • અસરકારક કમ્યુનિકેશન માટે મીડિયાની પસંદગી ખૂબ જ અગત્યની છે, તેથી તેને કાળજીપૂર્વક પસંદ કરવું જોઈએ, તે મેસેજ ડિલિવર કરવાની ક્ષમતા ધરાવતું હોય તેવું, આર્થિક રીતે પોસાઈ શકે તેવું અને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવું હોવું જોઈએ.
  • તેની પસંદગીમાં વિવિધતા હોવી જોઈએ જેથી લોકોનો ટીચિંગમાં રસ જળવાઈ રહે અને મનોરંજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.

૪.Receiver ( સંદેશો મેળવનાર )

  • સંદેશો મેળવનાર ઓડિયન્સને Receiver તરીકે ઓળખવામાં આવે છે, તે સંદેશો મેળવીને તેને અમલમાં મૂકે છે અને તેને મેસેજ મળી ગયો છે તેના જવાબમાં ચોક્કસ પ્રતિસાદ આપે છે, તેમાં ટોટલ પોપ્યુલેશન અને કોઈ ચોક્કસ ગ્રુપ હોઈ શકે છે.

૫.Feedback ( પ્રતિભાવ )

  • મેસેજ મળી ગયા બાદ સંદેશો મેળવનાર વ્યક્તિ સંદેશાનું અર્થઘટન કરી જે રિસ્પોન્સ આપે છે તે, લોકો માહિતી મેળવ્યા બાદ અલગ અલગ રીતે પોતાના પ્રતિભાવ રજૂ કરે છે.
  • જો માન્ય હોય તો પોતાની અનુકૂળતા પ્રમાણે સ્વીકારે છે, અને જો માન્ય ના હોય તો રિજેક્ટ કરે છે.
  • આમ પ્રતિભાવ પોઝિટિવ અને નેગેટિવ બંનેમાંથી કોઈ એક હોઈ શકે.

(૨) એ.વી.એઈડ્સ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.(04 માર્ક્સ)

એવી એડ્સ (Audio-Visual Aid) બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ:

🔸ઉદ્દેશ્ય સ્પષ્ટતા:

  • એવી એડ્સ બનાવતી વખતે જે ઉદ્દશ્ય આપવાનો હોય તે વ્યવસ્થિત સમજાય તે રીતે આપવો જોઈએ તે સ્પષ્ટ હોવો જોઈએ.

🔸સામગ્રીની પસંદગી:

  • એવી એડ્સ બનાવતી વખતે અલગ અલગ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ જેથી સ્પષ્ટ સમજાવી શકીએ જેમકે વિડીયો ઓડિયો અથવા અલગ અલગ પોસ્ટર દ્વારા સમજાવી શકીએ.

🔸સપાટ અને સંતુલિત ડિઝાઇન:

  • એવી એડ્સ બનાવતી વખતે સમજદારી પૂર્વક ડિઝાઇન અને રંગો અપનાવવા જોઈએ જેથી કરીને વ્યવસ્થિત રીતે જોઈ શકાય તેમ જ એવી એડ્સનો માપ સાઈઝ વ્યવસ્થિત હોવી જોઈએ જેમકે ગ્રાફિક પોસ્ટર ની સાઈઝ પરફેક્ટ હોવી જોઈએ.

🔸સપષ્ટતા અને વાંચનક્ષમતા:

  • એવી એડ્સ બનાવતી વખતે જે હેડિંગ હોય એ અક્ષરોનું કદ મોટું અને સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવું હોવું જોઈએ તેમાં યોગ્ય કલર પુરેલા હોવા જોઈએ અલગ અલગ સ્લાઈડમાં અલગ અલગ કલર પુરેલા હોવા જોઈએ જેથી સરળતાથી વાંચી શકાય.

🔸ઑડિઓ ગુણવત્તા:

  • એવી એડ્સ બનાવતી વખતે જો તેમાં ઓડિયોનો ઉપયોગ કરેલો હોય તો તેનો અવાજ સાફ અને સ્પષ્ટ હોવો જોઈએ.

🔸સમયબદ્ધતા:

  • એવી એડ્સ બનાવતી વખતે દરેક મુદ્દાઓનો સમય નક્કી કરેલો અથવા સુનિશ્ચિત હોવો જોઈએ તથા થોડા સમયમાં બધા જ મુદ્દાઓ આવરી લે તેઓ હોવો જોઈએ.

🔸પ્રસન્નતા અને રસપ્રદતા:

  • એવી એડ્સને રસપ્રદ બનાવવા માટે ક્રિએટિવિટી અને ઇનોવેશનનો ઉપયોગ કરો તેની સાથે થોડા મનોરંજન પોઈન્ટ ઉમેરો.

🔸ટેકનિકલ તૈયારી:

  • એવી એડ્સ બનાવતી વખતે જે પણ જરૂરી સાધનોનો ઉપયોગ કરવાનો હોય તેની કાર્યક્ષમતા તપાસવી જેમકે પ્રોજેક્ટર,સ્પીકર વગેરે.
  • જે કોઈપણ એવી એડ્સનું ઉપયોગ કરો એ એવી એડ્સ જે કંઈ પણ સંદેશો આપવાનું હોય એ સંદેશો સ્પષ્ટ રીતે આપી શકે તેવા હોવા જોઈએ.
  • એવી એડ્સ બનાવવા માટે ક્લીન સરફેસ અથવા ક્લીન પોસ્ટર નો ઉપયોગ કરવો જોઈએ. તેમાં કોઈપણ જાતના ચેકચાક અથવા ડાઘ હોવા ન જોઈએ.

(૩) એ.વી.એઈડ્સના ઉપયોગો લખો અને ફલીપબુક વિશે લખો.(05 માર્ક્સ)

🔸એ.વી.એઈડ્સના ઉપયોગો :

  • એવી એડ્સના ઉપયોગથી કોઈપણ વિષયનો સચોટ અને સ્પષ્ટ ખ્યાલ આપી શકાય છે.
  • શીખનાર અને શિખાવનાર બંનેનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે છે.
  • નવી માહિતીને સારી રીતે સમજાવી શકાય છે, અને ઊંડાણથી જ્ઞાન મેળવી શકાય છે.
  • વિદ્યાર્થી અને ગ્રુપમાં સેલ્ફ એક્ટિવિટીને પ્રોત્સાહન મળે છે.
  • વિચારોનો પ્રવાહ સતત જળવાઈ રહે છે.
  • તૈયાર કરેલ લખાણ કરતા એવી એડ્સથી વધુ સારી રીતે સમજાવી શકાય છે.
  • બોલવાનો આત્મવિશ્વાસ અને હિંમત વધારે છે.
  • ગ્રુપનું ધ્યાન કેન્દ્રિત થાય છે અને ગ્રુપનું પાર્ટિસિપેશન વધે છે.
  • થોડા સમયમાં વધુ માહિતી આપી શકાય છે.
  • અનુભવોની વાસ્તવિકતા વ્યક્ત કરે છે જેથી શીખનારને જાત અનુભવ જેવું ફીલ થાય છે.
  • કન્ડિશનને ખરા અર્થમાં સમજવામાં મદદરૂપ થાય છે.
  • શીખવાની પ્રક્રિયામાં વિવિધતા લાવી શકાય છે.
  • એવી એડ્સ જોવાથી લાંબા સમય સુધી યાદ રહે છે.
  • જુદા જુદા માધ્યમોના ઉપયોગ દ્વારા વ્યક્તિની સમજ શક્તિ ડેવલોપ થાય છે.

🔸ફલીપ બુક (Flip book) :

આ એક પ્રકારનું એવી એડ્સ છે જેના ઉપયોગ દ્વારા અભણ લોકો અને નાના બાળકોમાં રસ દાખવી માહિતી આપી શકાય છે.

બનાવવાની રીત:

  • સૌપ્રથમ જેના વિશે હેલ્થ એજ્યુકેશન આપવાનું હોય તેના અનુસંધાને સામેના પાના પર ચિત્ર દોરવાનું હોય છે.
  • ચિત્રના અનુસંધાને તેના પાછળના પાને લખાણ લખવામાં આવે છે.
  • તેની સાઈઝ ૧૦*૮ ઈંચ અથવા ૧૦.૫ *૮.૫ રાખવી.
  • બુકનું કવર આકર્ષક હોવું જોઈએ.
  • ચિત્રો ક્લિયર અને રસ પડે તેવા અને લખાણને અનુરૂપ હોવા જોઈએ.

ઉપયોગની રીત :

  • ફલીપ બુક નો ઉપયોગ ૧૦ થી ૧૫ સભ્યોના ગ્રુપમાં કરવામાં આવે છે.
  • ગ્રુપને અર્ધ ગોળાકાર બેસાડી તમે થોડી ઊંચી જગ્યાએ બેસો.
  • ચિત્રો બતાવતી વખતે પોઇન્ટરનો ઉપયોગ કરો.
  • આ બુકને તમે ઈચ્છો તો હાથમાં ઊંચે રાખીને પણ દેખાડી શકો છો એ બાબતનું ધ્યાન રાખો કે ચિત્ર બેઠેલી વ્યક્તિ તરફ રહે.
  • બધાને પૂછવું કે તમને ચિત્ર બરાબર દેખાય છે કે નહિ.
  • ચિત્રોની પાછળના ભાગમાં તમારે વ્યક્તિને શું પૂછવાનું છે? શેની વાત કરવાની છે? તથા શિક્ષણ કેવી રીતે આપવાનું છે તે અંગેની પુરતી માહિતી લખીને રાખવી.
  • ફલીપ બુક ના ફાયદા ગેરફાયદા ફ્લેશ કાર્ડ જેવા જ છે.

ફાયદા (Advantages):

  • જોઈને શીખવાનો ઉત્તમ માધ્યમ.
  • ધ્યાન ખેંચે તેવા દૃશ્યો.
  • વિષય સરળતાથી સમજાય છે.

ફલીપ બુકનો શિક્ષણમાં ઉપયોગ :

  • માતૃત્વ અને શિશુ સંભાળ
  • આરોગ્ય અને સ્વચ્છતા અભ્યાસ
  • રોગ નિદાન અને નિવારણ
  • પોષણ અને ખોરાક અંગે જાગૃતતા

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) કાઉન્સેલિંગ કરવા માટેના સાત પગથિયાં જણાવો.(08 માર્ક્સ)

કાઉન્સેલિંગ માટેના સાત પગથિયાં નીચે મુજબ છે:

1. તમારું ધ્યાન કેન્દ્રિત કરો
2. સ્વીકારો
3. સહાનુભૂતિ
4. સચેત રહો
5. સલાહ આપવી
6. ભાષા અનુવાદ
7. સારાંશ

1. તમારું ધ્યાન કેન્દ્રિત કરો

  • તમે જેવું કાઉન્સેલિંગ શરૂ કરો કે તરત જ એ જરૂરી છે કે તમારું તમામ ધ્યાન લાભાર્થી ઉપર કેન્દ્રિત હોય.
  • અન્ય કોઈપણ બાબતમાં તમે ધ્યાન ના આપો જેથી સામેની વ્યક્તિને તમારા પર વિશ્વાસ બેસશે.
  • તમે એમને નામથી બોલાવવાનો પ્રયત્ન કરો અને તેને હાવ ભાવ વડે સતત તમે તેને સાંભળો છો તેવું પ્રતીત કરાવો.

2. સ્વીકારો

  • તમારે લાભાર્થીના મંતવ્યોનો સ્વીકાર કરવો.
  • તેઓને તેમનો મંતવ્ય રજૂ કરવાનો પ્રયત્ન કરવા દો, વચ્ચે ખલેલ ન કરો.
  • આ સમયે તમને જે કાંઈ મંતવ્યો કહે તેને અટકાવો નહીં.
  • લાભાર્થી તેનો પ્રોબ્લેમ ત્યારે જ કહેશે જ્યારે તમે તેને સંપૂર્ણ સમય આપો.
  • તમારું કાઉન્સેલિંગ સેશન એમ જ પૂરું થઈ શકશે નહીં.

3. સહાનુભૂતિ

  • આપણે એ યાદ રાખવું જોઈએ કે અનુભૂતિ એટલે સહાનુભૂતિ તમે તમારી જાતે લાભાર્થી કોઈપણ બાબત છુપાવે નહીં તે રીતે તેને સમજાવવા મદદરૂપ થાવ.
  • તમે તેની દરેક ભાવનાની કદર કરો.

4. સચેત રહો

  • ઘણી વખત તમારા લાભાર્થી તમને કહી અને પછી કાર્ય કરવાનું ભૂલી જશે.
  • અથવા તો તમને કહેવામાં શરમ અનુભવશે કે મૂંઝવણ અનુભવશે જેથી તમને તે નવા નવા પ્રશ્નો પૂછશે.
  • ઘણી વખત લાભાર્થી તેની સમસ્યા કહેવા ઇચ્છતા પણ ન હોય પરંતુ એવો સમય આવશે કે તે પોતાનો પર્સનલ મેટર પણ કહી દે છે.
  • આ માટે લાભાર્થીને ઓપન પ્રશ્નો પૂછો અથવા તો પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ એવી રાખો કે જેથી તે ડાયરેક્ટ જવાબ જ આપી દે.
  • પરિસ્થિતિને સમજવા માટે તેમ જ ઇન્ટ્રોવરટેડ પર્સનાલીટી (અંતર્મુખી વ્યક્તિત્વ) વાળી વ્યક્તિ સહેલાઈથી તે પોતાની વાતની રજૂઆત કરે તે માટે તમે તેને મદદ કરો.

5. સલાહ આપવી

  • પ્રોબ્લેમ જાણ્યા પછી તમે તમારા લાભાર્થીના પ્રશ્નો સમજી શકશો અને પ્રોબ્લેમ પ્રમાણે સોલ્યુશન પ્લાન તૈયાર કરી શકશો અને ત્યારબાદ તમે તમારા મંતવ્યો રજૂ કરો.
  • કેટલાક ઉદાહરણ આપીને તેના પ્રશ્નનો યોગ્ય નિકાલ કરો.
  • જુદા જુદા વિકલ્પો સમજાવવા મદદરૂપ થાવ.
  • દા.ત. ફેમિલી પ્લાનિંગની ટેમ્પરરી મેથડ વિશે નોલેજ આપો અને લાભાર્થીને પસંદ કરવાની તક આપો.

6. ભાષા અનુવાદ

  • ભાષા કાઉન્સેલિંગમાં ખૂબ અગત્યની છે તમારી બોલવાની રીત લાભાર્થી સમજી શકે તે રીતે કાઉન્સેલિંગ દ્વારા તેને મદદરૂપ થાઑ.
  • જો તમે લાભાર્થીની ભાષા ના સમજી શકો તો લાભાર્થીને તમારી ભાષામાં કહો કે પ્રશ્ન ફરીથી રીપીટ કરે અને પ્રશ્ન સમજ્યા બાદ જ જવાબ આપવો આનાથી લાભાર્થી એમ સમજશે કે તમે તેને સંપૂર્ણ રીતે સમજી ગયા છો.
  • તેથી તેને તમારા માટે કાંઈ શંકા હોય તો તે દૂર થશે.

7. સારાંશ

  • સારાંશ એટલે મુખ્ય મુદ્દાની ચર્ચા કરવાની પ્રક્રિયા છે.
  • આ કાઉન્સીલિંગ સેશનનું લાસ્ટ સ્ટેપ છે.
  • આમાં તમારે મેઈન પોઇન્ટનું ડિસ્કશન ધીમે ધીમે કરવાનું છે અને અંતમાં આ સેશનની ચર્ચા ફરીથી રીપીટ કરવાની છે.
  • તેમજ મુખ્ય પ્રશ્નોને સમજીને તેનું નિરાકરણ કરવામાં પણ આ રીતે મદદ મળે છે.

(૨) સારા કાઉન્સેલરના ગુણો જણાવો.(04 માર્ક્સ)

સારા કાઉન્સિલરના ગુણો :

  • મિત્ર જેવું વર્તન કરતા હોવા જોઈએ.
  • સારા શ્રોતા હોવા જોઈએ.
  • સહકર્તા અને હેલ્પફૂલ હોવા જોઈએ.
  • સારા નોલેજ ધરાવતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર હોવા જોઈએ.
  • સારા વિચાર વિનિમય કરતા હોવા જોઈએ.
  • સાચી અને પૂર્ણ માહિતી આપનાર હોવા જોઈએ.
  • જાગૃતિ લાવે તેવા હોવા જોઈએ.
  • માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
  • સામેના વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લાગણી હોવી જોઈએ.
  • ખુલ્લા મનવાળો હોવો જોઈએ.
  • લાભાર્થી સાથે સતત સંપર્કમાં રહેતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર, પ્રામાણિક અને બીજાને નુકસાન ન પહોંચાડનાર હોવો જોઈએ.
  • તે પોઝિટિવ એપ્રોચ અને પોઝિટિવ થીંકીંગ વાળો હોવો જોઈએ.
  • તે લાભાર્થીની જરૂરિયાતની સંભાળ રાખનાર હોવો જોઈએ.

અથવા

(૧) આરોગ્ય શિક્ષણ એટલે શું? ક્યા ક્યા વિષય ઉપર આરોગ્ય શિક્ષણ આપી શકાય છે? અને આરોગ્ય શિક્ષના સિધ્ધાંતો જણાવો.(08 માર્ક્સ)

🔸આરોગ્ય શિક્ષણ

Definition:આરોગ્ય શિક્ષણએ આપણા નોલેજ, વલણ અને વ્યવહારમાં અથવા આરોગ્ય પ્રત્યેના વર્તનમાં ફેરફાર લાવવાની પ્રક્રિયા છે.

અથવા

આરોગ્ય શિક્ષણએ એવી એક સૂચિત, સક્રિય અને નિયોજનબદ્ધ પ્રક્રિયા છે, જે વ્યક્તિઓ અને સમુદાયોને આરોગ્ય વિષયક જ્ઞાન, દષ્ટિકોણ અને વ્યવહારમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે પ્રેરણા આપે છે.

🔸નીચેના વિષય ઉપર આરોગ્ય શિક્ષણ આપી શકાય છે:

1. વ્યક્તિગત સ્વચ્છતા (Personal Hygiene)

  • દાંત, હાથ, ત્વચા, વાળ, કપડાં વગેરેની સફાઈ
  • શૌચાલયની સલામતી અને સફાઈ

2. આહાર અને પોષણ (Nutrition and Balanced Diet)

  • સંતુલિત આહાર શું છે?
  • પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન (PEM)
  • આયર્ન, કેલ્શિયમ, વિટામિન A, D વિશે જાગૃતિ

3. રોગપ્રતિકારક રસીકરણ (Immunization)

  • UIP(યુનિવર્સલ ઇમ્યુનાઈઝેશન પ્રોગ્રામ) અંતર્ગત રસીના ફાયદા
  • રસીકરણનો સમયપત્રક (Routine Immunization Schedule)

4. માતા અને બાળ આરોગ્ય (Maternal and Child Health)

  • ગર્ભાવસ્થા દરમિયાન ખોરાક, ANC (એન્ટીનેટલ કેર)
  • જન્મ પછીની સંભાળ (PNC), સ્તનપાનનું મહત્ત્વ

5. પરિવાર નિયોજન (Family Planning)

  • નિશ્ચિત જીવનયાત્રા માટે નાના પરિવારનું મહત્ત્વ
  • યાંત્રિક અને રાસાયણિક ગર્ભનિવારક પદ્ધતિઓ

6. પાણી અને સ્વચ્છતા (Safe Water and Sanitation)

  • પીવાના પાણીની શુદ્ધતા
  • ખુલ્લામાં શૌચ વિરુદ્ધ જાગૃતિ

7. સંક્રમણ અને ચેપજન્ય રોગો (Communicable Diseases)

  • TB, HIV/AIDS, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિશે જાગૃતિ
  • નિવારણના માર્ગો

8. કિશોર આરોગ્ય અને યૌવનજ્ઞાન (Adolescent & Sex Education)

  • શારીરિક-માનસિક પરિવર્તન
  • સેફ સેક્સ અને STI વિશે જાગૃતિ

🔸આરોગ્ય શિક્ષના સિધ્ધાંતો:

✓રુચિનો સિદ્ધાંત (Principle of Interest)

  • આરોગ્ય શિક્ષણ એવી રીતે આપવું જોઈએ કે જેથી લોકોને રસ જાગે અને તેઓ જોડાય. જેથી શીખવામાં સહેલાઈ થાય.

✓ભાગીદારીનો સિદ્ધાંત (Principle of Participation)

  • લોકોને શિક્ષણ પ્રવૃત્તિમાં સહભાગી બનાવવાથી તેમની સમજ વધે છે અને સહજ રીતે વર્તન પરિવર્તન થાય છે.

✓આવશ્યકતાનો સિદ્ધાંત (Principle of Need-Based Education)

  • જે વિષય લોકો માટે મહત્વપૂર્ણ હોય અથવા જેની જરૂરિયાત હોય તે વિષય પર શિક્ષણ આપવું.

✓સમજૂતીનો સિદ્ધાંત (Principle of Comprehension)

  • શિક્ષણની ભાષા, દૃષ્ટિકોણ અને માધ્યમ એવું હોવું જોઈએ કે લોકો સરળતાથી સમજી શકે.

✓સાંસ્કૃતિક અનુકૂળતાનો સિદ્ધાંત (Principle of Cultural Sensitivity)

  • આરોગ્ય સંદેશા સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને ધર્મ મુજબ હોવા જોઈએ.

✓પુનરાવૃત્તિનો સિદ્ધાંત (Principle of Reinforcement)

  • માહિતી વારંવાર આપવાથી અને પુનરાવર્તનથી સંદેશો મજબૂત થાય છે.

✓મૂલ્યાંકનનો સિદ્ધાંત (Principle of Evaluation)

  • આરોગ્ય શિક્ષણ કાર્યની અસર માપવા માટે સમયાંતરે મૂલ્યાંકન કરવું જરૂરી છે.

✓સકારાત્મક દૃષ્ટિકોણનો સિદ્ધાંત (Principle of Good Human Relations)

  • શિક્ષક અને શિષ્ય વચ્ચે સારો સંબંધ હોવો જોઈએ જેથી લોકો શિક્ષણમાં ઊંડો રસ લે.

(2 )RMNCH – A વિશે લખો.(04 માર્ક્સ)

RMNCH+A = Reproductive, Maternal, Newborn, Child, and Adolescent Health (પ્રજનન, માતૃત્વ, નવજાત, બાળક અને કિશોર આરોગ્ય કાર્યક્રમ)

RMNCH+A એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક સામૂહિક આરોગ્ય પહેલ છે, જે માતા અને બાળકના આરોગ્ય સુધારણા માટે વિવિધ તબક્કાઓને આવરી લે છે:

  • આ પહેલ 2013માં નેશનલ રૂરલ હેલ્થ મિશન (NRHM) હેઠળ શરૂ કરવામાં આવી હતી.
  • તેનું લક્ષ્ય સમગ્ર જીવનચક્ર દરમિયાન – પ્રજનન ઉંમરના મહિલા, ગર્ભવતી સ્ત્રીઓ, નવજાત બાળકો, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરીના આરોગ્યને સુધારવું છે.

🔸 RMNCH+A ના મુખ્ય ઘટકો (Key Components):

ક્રમાંકઘટકવિશ્લેષણ
1️⃣ RReproductive Health (પ્રજનન આરોગ્ય)કુટુંબ નિયોજન, લિંગ વ્યવહાર, HIV/STI નિવારણ
2️⃣ MMaternal Health (માતૃત્વ આરોગ્ય)ANC,ઇન્સ્ટિટ્યૂશનલ ડીલેવરી , PNC, જનની સુરક્ષા યોજના (JSY)
3️⃣ NNewborn Health (નવજાત આરોગ્ય) નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ(NSSK),એસેન્સીયલ ન્યુ બોર્ન કેર
4️⃣ CChild Health (બાળ આરોગ્ય)રસીકરણ, Vitamin A,ન્યુટ્રીશન રિહેબ્લિટેશન
5️⃣ AAdolescent Health (કિશોર આરોગ્ય)રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(RKSK),વિકલી આયર્ન ફોલિક એસિડ સપ્લીમેન્ટેશન (WIFS)

🔸RMNCH+A ના મુખ્ય ઉદ્દેશ્યો (Objectives):

માતા મૃત્યુદર (MMR) ઘટાડવો
બાળ મૃત્યુદર (IMR) ઘટાડવો
કુટુંબ નિયોજન સેવાઓમાં વધારો
સ્વસ્થ પ્રસૂતિ અને નવજાતની સંભાળ
કુપોષણ નિવારણ
આરોગ્ય સેવાઓને વિજ્ઞાનસંગત રીતે સંકલિત કરવી

RMNCH+A અંતર્ગત મુખ્ય યોજનાઓ:

  • Janani Suraksha Yojana (JSY)(જનની સુરક્ષા યોજના)
  • Janani Shishu Suraksha Karyakram (JSSK)(જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ)
  • Home-Based Newborn Care (HBNC)(હોમ બેસ્ડ ન્યુબોર્ન કેર)
  • Rashtriya Kishor Swasthya Karyakram (RKSK)(રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ)
  • Universal Immunization Program (UIP)(યુનિવર્સલ ઇમ્યુનાઈઝેશન પ્રોગ્રામ)

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)(6×2=12 માર્ક્સ)

(૧) આરોગ્યને અસર કરતા પરિબળો જણાવો.

આરોગ્યને અસર કરતા પરિબળો (Determinants of health) :

આરોગ્યની વ્યાખ્યા પરથી ખ્યાલ આવે છે કે આરોગ્ય એ બહુપરિમાણીક વિષય છે. જેના પર વિવિધ પરિબળોની અસર થાય છે. જેવા કે શારીરિક, માનસિક, આધ્યાત્મિક વગેરે. આ સિવાય બીજા પણ પરિબળ છે જે આરોગ્યને નિર્ધારિત કરે છે જેવા કે વર્તનશૈલી, રાજકીય તંત્ર, જૈવિક પરિસ્થિતિ વગેરે

1) વાતાવરણીય નિર્ધારક (Environmental determinant)

  • વ્યક્તિ સમાજ અને કુટુંબ પર વાતાવરણની સીધી અસર થાય છે.
  • આંતરિક, બાહ્ય, શારીરિક, માનસિક, સામાજિક આરોગ્ય પર અસર કરે છે.
  • હાલમાં વાતાવરણીય પ્રદૂષણ દૂર કરવા માટે પ્રયત્નો કરવા ફ્લોરેન્સ નાઇનટીગલે પણ વ્યક્તિના આરોગ્ય માટે વાતાવરણને મહત્વ આપ્યું છે.
  • હવા, પાણી, રહેઠાણ વગેરે જીવનની ગુણવત્તા પર અસર કરે છે.

2) રાજકીય તંત્ર(political system)

  • આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાંનું રાજકીય તંત્ર એ સમાજને અસર કરે છે.
  • મજબૂત રાજકીય તંત્ર વગર કોઈપણ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ કે સર્વિસનું અમલીકરણ શક્ય નથી.
  • સારી આરોગ્ય સેવા માટે યુનિયન અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે સંકલન જરૂરી છે.
  • સામાજિક, રાજકીય પરિસ્થિતિ, વાતાવરણ, આવક, કાયદા વગેરે આરોગ્ય સાથે સંબંધ ધરાવે છે.

3) જૈવિક નિર્ધારક (Biological determinants)

  • વ્યક્તિ શારીરિક અને માનસિક આરોગ્ય માટે વારસાગત અને રંગસૂત્રીય બંધારણ પણ જવાબદાર છે.
  • વ્યક્તિને વારસામાં મળેલ ગુણ અને લક્ષણો બદલી શકાતા નથી.
  • દા.ત. મંદબુદ્ધિ, રંગસુત્રીય ખામી, અપંગતા વગેરે જૈવિક પરિબળો છે.
  • આરોગ્ય કાર્યકર તરીકે એ.એન. એમ ની જવાબદારી બને છે કે યોગ્ય આનુવાંશિક સંપરામર્શ(જીનેટિંક કાઉન્સેલિંગ) કરીને યોગ્ય સલાહ આપવી.

4) વર્તણુકલક્ષી નિર્ધારક (Behavioral determinants)

  • આરોગ્યએ વ્યક્તિની જીવનશૈલીનો અરીસો છે.
  • ખરાબ આદત એ વ્યક્તિના આરોગ્ય પર અસર કરે છે.
  • જોખમભર્યું વર્તન અને આરોગ્યમાં બેદરકારી તેમજ ખોટી માન્યતા લોકોને રોગ પ્રત્યે દોરી જાય છે.
  • દા.ત. ધુમ્રપાનની આદત, નિયમિત કસરતનો અભાવ, અનિદ્રા, અપૂરતું કે વધુ પડતું પોષણ.
  • વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ કે હેલ્મેટનો ઉપયોગ ના કરવો, અનિયમિત જીવનશૈલી વગેરે આરોગ્ય પર અસર કરે છે.

5) સામાજિક આર્થિક નિર્ધારક (Socioeconomic determinants)

  • કોઈપણ રાષ્ટ્રના આરોગ્ય સ્તર પર સામાજિક આર્થિક પરિસ્થિતિ અસર કરે છે.
  • શિક્ષણ, વ્યવસાય, તક, રહેઠાણ, પોષણ સ્તર, માથાદીઠ આવક વગેરે આરોગ્યના સંસાધનો માટે જવાબદાર છે.

6)આરોગ્ય સેવા તંત્ર નિર્ધારક(Health care delivery system determinants)

  • હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ એ હેલ્થના ફિલ્ડમાં મોટી અસર ઊભી કરે છે.
  • આપણું રાષ્ટ્રએ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.
  • જ્યાં ગ્રાસ રૂટ લેવલે સેવા પૂરી પાડવી મુશ્કેલ બને છે.
  • આ ઉપરાંત આરોગ્ય સેવાની અસમાન વહેચણી, અપૂરતો માનવ સંસાધન વગેરે પરિબળો પણ ભાગ ભજવે છે.

(૨) નેશનલ ટયુબરકયુલોસિસ એલિમીનેશન પ્રોગ્રામ

નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP-National Tuberculosis Elimination Programme)

ભારત સરકાર દ્વારા આર. એન. ટી. સી. પી ને નવું નામ એન.ટી. ઇ.પી આપવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ “ટી.બી. મુક્ત ભારત”કરવાનો છે.

🔸ધ્યેય:

  • ટી.બી. ભારણને ઝડપથી ઘટાડવા માટે
  • ટી.બી. થી થતા મૃત્યુ અને માંદગીમાં ઘટાડો કરવા માટે
  • 2025 ની સાલ સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવા માટે

🔸આ પ્રોગ્રામ મુખ્યત્વે DTPB ના સિદ્ધાંત પર કામ કરે છે.

1) D – ડિફેક્ટ (નિદાન કરવું)

  • જોખમી ગ્રુપનું સ્ક્રિનિંગ કરવું અને નિદાનની સવલતો વધારવી.

2) T – ટ્રીટમેન્ટ (સારવાર)

  • દરેક ટી.બી. કેસને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા માટે.
  • ટી.બી.ની સારવાર લેતા દર્દીનું મોનિટરિંગ કરવું.
  • ટી.બી.ના દર્દીને સામાજિક કલ્યાણ યોજના સાથે લિંક કરવું.

3) P – પ્રિવેન્ટ (અટકાવવું)

  • હવા જન્ય ચેપ અટકાયત માટે પગલા લેવા અને વહેલું નિદાન કરવું.

4) B – બિલ્ડ(નિર્માણ)

  • આર.એન.ટી.સી.પી મેનેજમેન્ટ સ્ટ્રક્ચરનું ફરી નિર્માણ કરવું અને એસ.ટી.ડી ક્લિનિકને નવ-નિર્મિત કરવી.

🔶 મુખ્ય તત્વો (Key Components):

  • DOTS (Directly Observed Treatment Short course)ડાયરેક્ટલી ઓબસર્વડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ
  • Nikshay પોર્ટલ દ્વારા TB કેસનું ડિજિટલ મોનીટરીંગ
  • TB હૉટસ્પોટ્સ પર ખાસ ધ્યાન
  • TB અને HIV એકસાથે થયેલા કેસોનું સંકલિત વ્યવસ્થાપન
  • MDR-TB (મલ્ટી ડ્રગ રેસીસ્ટન્ટ ટી.બી.) માટે વિશિષ્ટ સારવાર

🔶સેવાનો પ્રકાર (Types of Services Provided):

  • મફત TB તપાસ (સીબીનાટ, સ્પુટમ માઈક્રોસ્કોપી, છાતીનો એક્સરે)
  • મફત દવાઓ (FDC –ફિક્સ ડોઝ કોમ્બિનેશન)
  • નિક્ષય પોષણ યોજના(₹500 પ્રતિ મહિનો પોષણ સહાય)
  • ટી.બી. નોટિફિકેશન ફરજિયાત – ખાનગી ડોક્ટર અને લેબ માટે પણ
  • MDR-TB(મલ્ટી ડ્રગ રેસીસ્ટન્ટ ટી.બી.) માટે DR-TB (ડ્રગ રેસીસ્ટન્ટ ટી.બી.) કેન્દ્રો

(૩) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે શું? પી.એચ.સી વિશે સવિસ્તાર જણાયો.

🔶પ્રાઈમરી હેલ્થ સેન્ટર(PHC)

  • આપણા દેશમાં ૨૫૬૫૦ કરતા પણ વધુ પી.એચ.સી કાર્યરત છે.
  • દર ૩૦,૦૦૦ ની વસ્તીએ એક પી.એચ.સી હોય છે અને પહાડી વિસ્તારમાં ૨૦,૦૦૦ ની વસ્તીએ એક પી.એચ.સી હોય છે.

🔶પી.એચ.સી નું ઓર્ગેનાઇઝેશન

🔶સ્ટાફિંગ પેટર્ન

(1)મેડિકલ ઓફિસર – ‌૧
(2)આયુષ ઓફિસર – ૧
(3)ફાર્માસિસ્ટ – ૧
(4)લેબોરેટરી ટેક્નિશિયન – ૧
(5)સ્ટાફનર્સ (આઉટ સોર્સ) – ‌૧
(6)એફ.એચ.એસ – ૧
(7)એમ.પી.એચ.એસ – ૧
(8)આશા ફેસીલીટેટર – ‌‌૧
(9)ડેટા એન્ટ્રી ઓપરેટર – ૧
(10)ડ્રાઇવર – ૧
(11)પટાવાળા – ૧

🔶પી.એચ.સી ના કાર્યો

  • મેડિકલ કેર
  • માતૃબાળ કલ્યાણ સેવા
  • કુટુંબ નિયોજન અને કુટુંબ કલ્યાણ સેવા
  • શાળા આરોગ્ય
  • વોટર સપ્લાય એન્ડ સેનિટેશન
  • સંક્રામક રોગોની નાબૂદી અને અટકાયત
  • જીવંત આંકડાની માહિતી
  • રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
  • આરોગ્ય શિક્ષણ
  • તાલીમ
  • સંદર્ભ સેવા
  • નોંધણી અને રજીસ્ટર

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)(12)

(1) ગ્રામ પંચાયત

  • તેમાં 15 – 30 ચૂંટાયેલા સભ્યો હોય છે.
  • તે 5000 થી 20,000 ની વસ્તીને આવરે છે.
  • ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય છે. અને પંચાયતના સભ્યો હોય છે જે ગામનું કાર્યભાર સંભાળે છે.
  • ગ્રામ પંચાયત એ ગ્રામ સભાનું કારોબારી અંગ છે અને ગામડાઓના એકંદરે આયોજન અને વિકાસ માટે જવાબદાર છે.
  • પંચાયત સચિવને સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી, ગામડાનો સામાજિક – આર્થિક વિકાસ વગેરે જેવા વિશાળ ક્ષેત્રમાં કાર્ય કરવાની સત્તા આપવામાં આવી છે.
  • તે ગામડાઓમાં આરોગ્યની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં સામેલ છે.

🔸ગ્રામ પંચાયતના કાર્યો:

પંચાયત સચિવ પંચાયતને તેની વિવિધ પ્રવૃત્તિઓમાં મદદ કરે છે. જે નીચે મુજબ છે.

  • ગામોની શેરીઓનું બાંધકામ અને તેમના સમારકામ,સફાઈ અને લાઇટિંગની વ્યવસ્થા.
  • ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે ગટર અને નાળાઓની વ્યવસ્થા કરવી.
  • પીવાના પાણી, ગામમાં કુવાઓ અને ટાંકાની વ્યવસ્થા કરવી.
  • રોગોની સારવાર અને માતા અને બાળકના આરોગ્ય સંભાળની વ્યવસ્થા.
  • સંક્રમિત રોગોને રોકવા અને નિયંત્રિત કરવાના ઉપાયો અને રોગ સામે રસીકરણ.
  • પ્રાથમિક શાળાઓ ખોલવી અને શિક્ષણની સુવિધા આપવી.
  • જન્મ અને મૃત્યુના રેકોર્ડ માટે નોંધણી રાખવી.
  • રમતોને પ્રોત્સાહન મળે તે માટે રમત ગમત સ્પર્ધાઓની ગોઠવણી.
  • મેળા અને તહેવારોની ઉજવણી માટેની વ્યવસ્થા કરવી.
  • ગામની સ્વચ્છતા જાળવવા, ચરાવનારના ગોચર અને કબ્રસ્તાનની જગ્યા બનાવવી.
  • પાકની ખેતી માટે ખાતરો અને જંતુનાશક દવાઓની વ્યવસ્થા કરવી.

(૨) પુનવર્સન(Rehabilitation)

Definition:રીહેબીલીટેશન એ વ્યક્તિની સંપૂર્ણ શારીરિક, માનસિક, સામાજિક, વ્યવસાયિક અને આર્થિક ઉપયોગિતાની પુનઃસ્થાપના છે. પુનર્વસનમા ક્ષમતાઓ (અપંગતા પર નહીં) પર ભાર મૂકવામાં આવે છે.

રીહેબીલીટેશન એટલે કે ફરીથી સક્ષમ બનાવવું, એ એક ગતિશીલ, આરોગ્યલક્ષી પ્રક્રિયા છે જે એક બીમાર અથવા અપંગ વ્યક્તિને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક કામગીરીના શ્રેષ્ઠ સંભવિત સ્તરને પ્રાપ્ત કરવામાં સહાય કરે છે.

🔸પુનર્વસનની જરૂરિયાત ધરાવતી હેલ્થ કન્ડિશન(health condition needing rehabilitation)

સ્વાસ્થ્યની સ્થિતીને ધ્યાનમાં લેતા પુનર્વસનની જરૂરિયાત ધરાવતા વ્યક્તિને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે:

૧) શારીરિક વિકલાંગ
૨) માનસિક વિકલાંગ
૩) સામાજિક વિકલાંગ

૧) શારીરિક વિકલાંગ

a) જન્મજાત ખોડખાપણ: સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડેમેજ, સ્પાઈના બાયફીડા, અંધત્વ, અલ્પદ્રષ્ટિ, બહેરાશ, મૂંગુ વગેરે

b) ઇન્ફેક્શન: વાયરલ (પોલિયો), બેક્ટેરિયલ (લેપ્રસી)

c) એક્સિડેન્ટલ ઇન્જરી: હાથ ગુમાવવો,પગ ગુમાવવો વગેરે

d) ડ્રગ્સ કે આલ્કોહોલ ના કારણે: ઇન્ટોક્સીકેસન (ડ્રગ એબ્યુઝ, ડ્રિંન્કીગ વ્યસન વગેરે)

e) ક્રોમોસોમલ ડિફેક્ટ: ડાઉન સિન્ડ્રોમ વગેરે

૨) માનસિક વિકલાંગ

  • મેન્ટલ રિટાર્ડેશન
  • સેરેબ્રલ પાલ્સી
  • શોર્ટ અટેન્શન હાઈપરએક્ટિવિટી
  • ડીફીકલ્ટ કોર્ડીનેશન
  • માનસિક બીમારી

૩) સામાજિક વિકલાંગ

  • માતા-પિતાનું મૃત્યુ
  • તરછોડાયેલ બાળક
  • અનાથ બાળક
  • માલ એડજસ્ટમેન્ટ
  • ડિવોર્સ વગેરે

(૩) મેરેજ(Marriage)

લગ્ન એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો વિશેષ પ્રકારનો સંબંધ છે, જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે તેમજ અરસપરસ રીતે દંપતી નિભાવી શકે છે, સાથે કેટલાક હક અને ફરજનો સ્વીકાર કરી શકે અને પોતાના ભાવિ સંતાનોની જવાબદારીનો સ્વીકાર કરી જાતીય અને સામાજિક સંબંધથી જોડાઈ શકે, લગ્ન દરેક ધર્મમાં અલગ અલગ રીતે જોવા મળે છે.

Definition:લગ્ન એ એક અથવા વધારે પુરુષોનું એક અથવા વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ છે કે જેમાં તેનો સમાજ અને કાયદાઓ તેમનો પતિ-પત્ની તરીકે સ્વીકાર કરે તેને લગ્ન કહે છે.

અથવા

લગ્ન સ્ત્રી-પુરુષ વચ્ચેનો વિશેષ પ્રકારનો સંબંધ છે જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે સ્થાપિત થયેલા હોય છે તેને લગ્ન કહે છે.

🔸લગ્નના પ્રકાર(Type of marriage):

લગ્નના પ્રકાર પતિ-પત્ની તરીકે જોડાતા પુરુષ અને સ્ત્રીઓની સંખ્યાના આધારે પાડવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

1)એક-સાથી લગ્ન (monogamy)
2) બહુ-સાથી લગ્ન(polygamy)

1)એક-સાથી લગ્ન (monogamy):એક સાથી લગ્ન એ લગ્ન સંસ્થાનું આ એક શ્રેષ્ઠ લગ્ન છે, જેમાં એક જ સમયે એક પુરુષ એક જ સ્ત્રી સાથે અને એક સ્ત્રી એક જ પુરુષ સાથે પતિ પત્નીના સંબંધથી જોડાય છે.

2) બહુ-સાથી લગ્ન(polygamy):આ પ્રકારના લગ્નમાં એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે અથવા એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરે છે તેને બહુ સાથી લગ્ન કહે છે.

🔸લગ્નનું મહત્વ/ફાયદાઓ (advantage of marriage)

  • લગ્ન એ વ્યક્તિના જાતીય સંબંધો તેમજ જાતીય જિંદગીને નિયમિત કરે છે.
  • દંપતિઓને બાળક ઉત્પન્ન કરવાની અને કુટુંબ સ્થાપવાની સહમતી મળે છે માટે કુટુંબને સ્થાયી કરે છે.
  • લગ્ન કરનાર સાથીઓ પોતાનું કામ અને પોતાની જવાબદારીને સમાન રીતે વહેચે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે.
  • દંપતિ વચ્ચે લગ્નથી પ્રેમ અને લાગણીની ભાવના મજબૂત બને છે.

(૪) વ્યકિત વિકલાંગ ધારો – ૧૯૯૫

🔸વ્યક્તિ વિકલાંગ ધારો-૧૯૯૫(The person with disabilities act-1995)

વિકલાંગ વ્યક્તિ ધારો ૧૯૯૫ ભારતની સંસદમાં ઘડવામાં આવ્યો છે. તે ૭ ફેબ્રુઆરી ૧૯૯૬ ના રોજ અમલમાં આવ્યો. હાલ વિકલાંગ વ્યક્તિને દિવ્યાંગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને….

સમાન તકો પૂરી પાડવા માટે
તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે
તેમને સંપૂર્ણ સહભાગીતા પૂરી પાડવા માટેનો એક પ્રયત્ન છે.
આ કાયદાથી તેમના અધિકારો મેળવી શકે તથા સમાજમાં તેમનો સમાવેશ થઈ શકે.

🔸કોને લાભ મળે?

વિકલાંગ વ્યક્તિ ધારો ૧૯૯૫ હેઠળ સાત પ્રકારની વિકલાંગતા દર્શાવે છે જે નીચે મુજબ છે:

૧)અંધત્વ
૨)અલ્પદ્રષ્ટિ
૩)રક્તપિતથી સાજા થયેલ વ્યક્તિ
૪)સાંભળવામાં ક્ષતિ
૫)હલન ચલનની વિકલાંગતા
૬)મંદબુદ્ધિ
૭)માનસિક બીમારી

🔸કાયદાની મુખ્ય જોગવાઈઓ

  • વિકલાંગનું નિવારણ તથા વહેલું નિદાન
  • ૧૮ વર્ષની ઉંમર સુધી વિકલાંગ બાળકો માટે યોગ્ય વાતાવરણ અને વિનામૂલ્યે શિક્ષણ
  • વિકલાંગ વ્યક્તિ માટે શિક્ષણ યોજનાઓ તથા કાર્યક્રમો
  • દરેક સરકારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે ૩ ટકા બેઠકોની અનામત
  • વિકલાંગ કર્મચારી માટે વીમા યોજના
  • અનામત રાખી શકાય તેવી નોકરીની જગ્યાઓની નિશ્ચિત ઓળખ તથા વિકલાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓની અનામત

🔸સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા લાભો

  • ભણવામાં શિષ્યવૃત્તિ અને રાહતો
  • સરકારી સેવાઓમાં અગ્રતાક્રમ
  • સરકારી નોકરીમાં ૩ ટકા અનામતની જોગવાઈ આપવામાં આવે છે.
  • વિનામૂલ્ય સરકારી સેવાઓ આપવામાં આવે છે.
  • સરકાર દ્વારા ટ્રાયસીકલ આપવામાં આવે છે.
  • પ્લોટની ફાળવણીમાં અગ્રતાક્રમ આપવામાં આવે છે.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12)

(૧) લર્નિંગ લર્નિંગ એક પ્રોસેસ છે જેમાં વ્યક્તિ એક નવું વર્તન શીખે છે અને તેને સ્વીકારે છે, જેમાં વર્તનમાં બદલાવ, નવું વર્તન શીખવું અને શીખેલ વર્તનને હંમેશા માટે અમલમાં લાવવું જેવી પ્રોસેસ થાય છે.

(૨) ઈન્ડીકેટર આરોગ્યની સેવાઓની ગુણાત્મક(Qualitative) અને જથ્થાત્મક (Quantitative) રીતે અસર જાણવા માટે વપરાતા વિવિધ માપદંડોને હેલ્થ ઈન્ડીકેટર (Health Indicator) કહેવાય છે. અથવા બીજી રીતે કહીએ તો કોમ્યુનીટીનું હેલ્થ સ્ટેટસ જાણવા માટે ઉપયોગમાં આવતા ઈન્ડીકેટરને હેલ્થ ઈન્ડીકેટર (Health Indicator) કહેવાય છે.

(૩) એન.આર.એચ.એમ (NRHM) રાષ્ટ્રીય ગ્રામિણ આરોગ્ય મિશન (NRHM) એ ભારતીય સરકાર દ્વારા વર્ષ 2005માં શરૂ કરવામાં આવેલો એક આરોગ્ય કાર્યક્રમ છે, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને માતા અને બાળકના આરોગ્ય સુધારવા માટે આરોગ્ય સેવાઓને સુલભ, વ્યાપક અને ગુણવત્તાપૂર્વક બનાવવાનો છે.

(૪) PLA (પાટીસીપેટરી લવિંગ એન્ડ એક્શન) શૈક્ષણિક પદ્ધતિઓની વિશાળ શ્રેણી દ્વારા સમુદાય સાથે વિચાર વિમર્શ કરવાની પ્રક્રિયાને PLA કહેવામાં આવે છે.

આ એપ્રોચને ત્રીપલ A એપ્રોચ પણ કહેવામાં આવે છે:

A – Assessment of community ( અસસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી )
A – Action taken for change ( એક્શન ટેકન ફોર ચેન્જ )
A – Analysis ( એનાલાઈસીસ )

PLA ની પદ્ધતિ દ્વારા ટૂંકા સમયમાં જ સમાજ સાથે ચર્ચા અને સહભાગી શિક્ષણથી આરોગ્યને લગતી માહિતી એકત્રીત કરવામાં આવે છે. સામાન્ય રીતે ટૂંક સમયમાં જ આરોગ્યની બધી જ માહિતી એકત્ર કરી શકાતી નથી તેથી PLA નો ઉપયોગ કરીને આરોગ્યના જુદા-જુદા કાર્યક્રમોને અસરકારક બનાવી શકાય છે.

(૫) બુલેટીન બોર્ડ આ પ્રકારના બોર્ડ પોચા લાકડા જેવા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે જે આરોગ્યના સંદેશા આપવા માટે ખૂબ ઉપયોગી છે, જેનો ઉપયોગ ક્લાસરૂમ, વેઇટિંગ રૂમ, વરંડામાં થઈ શકે છે, આ ઉપરાંત મોટા ગ્રુપની મીટીંગ હોય ત્યારે, કેમ્પ હોય તેમાં પણ થઈ શકે છે.

OR

બુલેટીન બોર્ડ એ જાણકારી, સૂચનાઓ, ઘોષણાઓ, શૈક્ષણિક સામગ્રી, અને પ્રેરણાત્મક વિચારો દર્શાવવા માટેનું એક દૃશ્ય માધ્યમ સાધન છે, જે generally ભીંત પર લગાવવામાં આવે છે અને શૈક્ષણિક તથા સંસ્થાગત વાતાવરણમાં ઉપયોગી થાય છે.

(૬) સર્વે એવી એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જેમાં નિર્ધારિત ક્ષેત્ર અથવા જનસંખ્યા વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે, જેથી કોઈ સમસ્યા, જરૂરિયાત કે સ્થિતિ વિશે યોગ્ય નિર્ણય લેવામાં આવે.

ઉદાહરણ:

આરોગ્ય સર્વે
શિક્ષણ સ્તર વિશેનો સર્વે
કુપોષણ વિશેનો ઘર-ઘર સર્વે
રોગચાળાની હકીકત જાણવા માટે કરાયેલ સર્વે

(૭) શ્રીવાસ્તવ કમિટી શ્રીવાસ્તવ કમિટી એ ભારત સરકારે 1974-75માં આરોગ્ય સેવાઓ અને મેડિકલ શિક્ષણમાં સુધારા માટે રચેલી એક સલાહકાર સમિતિ હતી, જેનું મુખ્ય ઉદ્દેશ્ય ગામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને સુલભ અને સમાન બનાવવા માટે પ્રાથમિક આરોગ્યની નવી પદ્ધતિઓ અને આરોગ્ય કાર્યકરોની ભૂમિકા માટે ભલામણ કરવી હતી.કમિટીના અધ્યક્ષ ડૉ. જયંતીલાલ શ્રીવાસ્તવ હતા.

(૮) સી.એસ.એસ.એમ (CSSM )સી.એસ.એસ.એમ (CSSM) એટલે બાળજીવન બચાવ અને માતૃત્વ સુરક્ષા કાર્યક્રમ (Child Survival and Safe Motherhood Programme), જે ભારત સરકાર દ્વારા 1992માં શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળકોના જીવ બચાવવાની તથા સલામત પ્રસૂતિ સેવા આપવાની યોજના છે.

પ્રશ્ન-૬ (અ) પૂર્ણ રૂપ લખો.(05)

(1) SBA : (Skilled Birth Attendant-સ્કીલ બર્થ એટેન્ડેટ)

(2) GOBI : (Growth monitoring, Oral rehydration, Breastfeeding, Immunization-ગ્રોથ મોનીટરીંગ,ઓરલ રીહાયદ્રેશન બ્રેસ્ટફીડીંગ,ઈમ્યુનાઈઝેશન)

(3) CARE : (Cooperative for Assistance and Relief Everywhere-કો ઓપરેટીવ ફોર આસીસ્ટન્ટ અને રીલીફ એવરીવ્હેર)

(4) DDT : (Dichlorodiphenyltrichloroethane-ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન)

(4) INC : (Indian Nursing Council-ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ)

(બ) ખાલી જગ્યા પુરો.(05)

(૧) યુનેસ્કોની સ્થાપના……………વર્ષ માં થઈ હતી. 1945

(૨) ગ્રોથ મોનીટરીંગ ચાર્ટમાં આડી લાઈન ……………….સૂચવે છે. સમય (Time)

(३) વિશ્વ ટી .બી .દિવસ ………..દિવસે ઉજવવામાં આવે છે. 24 માર્ચ

(૪) એક આંગણવાડી વિસ્તારમાં આશરે …………….બાળકો હોવા જોઈએ. 40-60

(૫) જર્મ થીયરીના પ્રણેતા ……………….છે. લૂઈ પાશ્ચર (Louis Pasteur)

(4) નીચેના જોડકા જોડો.(05)

” અ ” ” બ ”

(1) WHO (1) ૧૯૪૪

(2) UNICEF (2) ૧૯૪૮

(3) WORLD BANK (3) ૧૯૬૬

(4) ILO (4) ૧૯૭૬

(5) UNDP (5) ૧૯૪૬

(6) ૧૯૧૯

Ans : ( 1 – 2 , 2 – 5 , 3 – 1 , 4 – 6 , 5 – 3 )

Published
Categorized as ANM-H.P-FY-PAPER SOLU, Uncategorised