skip to main content

SOCIOLOGY UNIT 2

THE INDIVIDUAL

THE SOCIALIZATION PROCESS:

▫️ પ્રોસેસ ઓફ સોશિયલાયઝેશન અને ઈન્ડિવિજ્યુલાઈજેશન.

➡️human being એક બાયોલોજીકલ એનિમલ તરીકે આવે છે અને પોતાની નીડ્સ ને ફૂલફિલ કરવાની ઈચ્છા ધરાવે છે.
➡️તે ધીમે ધીમે સામાજિક પ્રાણી તરીકે ઘડાઈ છે અને સમાજ માં રેહવાના તોર અને તરીકાઓ શીખે અને તેના મુજબ ની લાગણીઓ તેના માં બને છે
➡️આ પ્રક્રિયા વગર અથવા તો ઘડતર વગર માણસ પોતાની જાત ને આ વાતાવરણ માં અને સંસાર માં ટકાવી શકે નહિ જો જે તે વ્યક્તિ ને સારું જીવન જીવવું હોય તેને સમાજ ના નીતિ , નિયમો , સંસ્કૃતિ ના અકોર્ડિંગ ચાલવું પડે
➡️અને આ ઘડતર ની પ્રોસેસ ને સોસિયલાઈઝેશન કેહવાય છે

અલગ અલગ sociologist દ્વારા અપાયેલી અલગ અલગ socialaization ની definition નીચે મુજબ છે.


➡️ બોગર્ડ્સ એ એવું કહ્યું છે કે ” સોસિયલાઈઝેશન એ એક સાથે કામ કરવાની પ્રક્રિયા છે જેનાથી આપડે એક ગ્રુપ માં જવાબદારી ની ભાવના ઊભી કરી શકીએ અને બીજા ને ગાઈડ કરી શકીએ તેના કલ્યાણ માટે અને નિડ્સ ને ફૂલ્ફિલ કરી શકીએ” .

ઓગબર્ન પ્રમાણે:- ” socialization એ એવી પ્રોસેસ છે જેનાથી individual સોસાયટી માં રેહવના નીતિ નિયમો શીખે અને તેના ગ્રુપ માં રહે .”

રોસ પ્રમાણે :- ” સાથે રેહવાની ભાવના નો વિકાસ અને તેની વૃદ્ધિ જેનાથી પોતે સાથે રેહવની અને સાથે કામ કરવાની ક્ષમતા ને વધારે”.

Socialisation એ એક એવી પ્રક્રિયા છે જેનાથી સમાજ માં રેહતા લોકો એક બીજા સાથે સંબંધ બાંધી શકે .


➡️આ એક જટિલ પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ આદતો , આવડત , બિલીફ અને સ્ટાન્ડર્ડ જ્જમેન્ટ દ્વારા interact કરે છે અને સોશ્યલ ગ્રુપ માં અને કમ્મૂનીટી માં પારટીસિપેટ કરે છે .
➡️આમાં સોસાયટી ની ક્વોલિટી ને ધ્યાન માં રાખી ને ચાલવામાં આવે છે
➡️ socialisation એ એક એવી પ્રોસેસ છે જેનાથી વ્યક્તિ ની અંદર આવડતો આવે છે અને વર્તન નું નિર્માણ થાય છે અને આનાજ કારણે એક મેનર માં સોસાયટી ચાલે છે
➡️બાળક ના જન્મ પેહલાજ સોસિયલાઇઝેશન ની પ્રક્રિયા શરૂ થય જાઈ છે
અમુક પ્રકારના social સર્કમસ્ટનસિસ જ પેહલા થી જ નક્કી કરી લેઇ છે કે જન્મ પછી બાળક નું જીવન કેવું હશે અને જે તે પરિસ્થિતિ તેના જન્મ પછી હોય એ પરિસ્થિતિ જ જેના સોસાયટી ના વિકાસ માં મદદ કરતી હોય છે અને તેનો અસર તેની પ્રીનેટલ કેર અને પેરેંટલ કેર પર થતો હોય છે.
અમુક એવી વસ્તુઓ કે જે જન્મ પછી બાળક ને સોસિયલાઈસ થવામાં મદદ કરે છે તે નીચે મુજબ છે

  1. રિફલેક્સ (Reflex):-
    ➡️રેફલેક્સ એક પ્રકાર નું લિમિટ ને સેટ કરે છે દા. ત:- જ્યારે સાકાર ની સ્વાદ મોઢા માં આવે ત્યારે લાળ ગ્રંથિ માંથી લાળ નું સિક્રિષન થવું
  2. ઇન્સ્ટીન્ગ્સ (Instinct) :-
    ➡️ ટ્રોટર ના કહેવા મુજબ” માણસ નું વર્તન એની અંદર ની instinct પ્રમાણે હોય છે “.
    અને મેક ડોગલ મુજબ ” બેહેવિયર ત્યારે જ instinctive કહી શકાય જો તેની અર્જ અથવા ઇચ્છા ઊભી થયેલી હોય અને જેમાં કઈક સંવેદના હોય બહાર ના વર્લ્ડ માટે અને તે થોડું ઘણું ઇન્હેરિતેડ સ્ટ્રક્ચર પર પણ depend રેહતું હોય અને તેના જ માટે જે તે જાતિ ની લાક્ષણિકતા ઘણી વાર બધી જગ્યાએ અનુકૂળતા મેળવી લેઇ એવી હોય છે અને કર્યા ક્ષમતા ધરાવતી હોય છે
  3. અર્જ (urge) :-
    ➡️બીહેવિયાર ની પાછળ નો એક ડાયનેમિક ફોર્સ આ સોસિયલાઝેશન નો શરૂઆત નો એક પોઇન્ટ છે અને આ હ્યુમન બેહેવિયર ને બેસીશ પ્રોવાઇડ કરે છે .
  4. કેપેસીટી (Capacity):-
    ➡️ દરેક વ્યક્તિ કઈક કેપેસિટી સાથે જન્મે છે અને વ્યક્તિ જેમ જેમ નવી નવી વસ્તુ શીખે છે તેમ તે કેપેસીટી વધે છે
    Factors of process of socialisation:- 1. Imitation:- ઈમિટેશન એ કોઈક ની એક્શન અથવા ક્રિયા ની કોપી કરવી આ કોપી કોનસિયસ્લી અથવા અંકોનસિયસ્લી થતું હોય છે અને આ સોશિયલાયઝેશન માટે એક મહત્વ નું પરિબળ છે
    દા. ત. :- એક દીકરી પોતાની માં જેવી જ બનવા માંગે અથવા માં જેવી જ હોય અને મેલ ચાઈલ્ડ પોતાના પપ્પા જેવો જ બનવા માંગતો હોય છે અને બાળક ભાષા પણ પોતાના ફેમિલી માંથી શીખે છે. 2. Suggestion :- સજેશન એક એવો વે છે કમ્યુનિકેશન નો જેમાં કોઈ પણ સેલ્ફ પુરાવા વગર ઇન્ફોર્મેશન આપવામાં આવે છે . Suggestion language , picture etc. વળે આપવામાં આવે છે , suggetion પોતાના વર્તન ને પણ બદલવામાં મદદ કરે છે અને બીજા ના પણ . એજ્યુકેશન એ suggestion ને યુઝ કરવામાં મદદ કરે છે તેના કારણે લોકો ideas ને accept કરે છે અને તેમની wishes ને ફુલ્ફીલ કરે છે . External અને internal બે પરિબળો છે જે suggestions ને affect કરે જે નીચે મુજબ છે :-▫️ external condition:-ગ્રુપ સિચ્યુએશન, જે તે વ્યક્તિ ની પ્રેસ્ટીજ, પબ્લિક ઓપીનીયન

▫️internal conditions:-temperament , ઇન્ટેળેકચ્યુલ એબિલિટી, ઈમોશનલ એકસાઇટમેંટ, અને ઈગનોરન્સ

  1. identification:-
    ➡️ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તે અવેર થાય છે વસ્તુઓ ના સ્વભાવ વિશે અને આ બધી વસ્તુઓ ને તે ઓળખતો થાય છે અને આ બધું ઓળખતો હોય એના કારણે સોસિયલાઇસ થાય છે. જેમ કે તે રમકડાં સાથે રમે છે અને તેને ઓળખે છે
  2. language:-
    ➡️ ભાષા કલ્ચર ને ટ્રાન્સમિશન કરે છે અને પર્સનાલિટી બનાવવામાં મદદ કરે છે અને ઇન્દિવિડુંઆલ ને સોસાયટી માં રેહવા માટે અલ્લાવ કરે છે

    AGENCIES OF SOCIALISATION

➡️ સોશિયલાઈઝેશન એ એક એવી પ્રોસેસ છે જે દરેકના જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. સોશિયલાઈઝેશન એ સોસાયટી માટે એક મહત્વનો matter છે. સોશિયલાઈઝેશનની પ્રોસેસને છોડી શકાતી નથી પરંતુ ઇન્સ્ટિટ્યૂશનલ ચેનલ્સ થ્રુ તેને કંટ્રોલ કરી શકાય છે.
સોશિયલાઈઝેશન એ બાળકને સોસાયટીનો એક વ્યક્તિ બનવામાં મદદરૂપ થાય છે તે સોશિયલ maturity આપે છે જે બે sources દ્વારા થાય છે.
▫️First source
➡️ આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેની બીજા પર સત્તા હોય છે. ઉદાહરણ તરીકે ટીચર , માતા – પિતા , દાદા – દાદી .
▫️ Second source
➡️ આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેને સત્તા એકબીજા સાથે સમાન હોય છે. ઉદાહરણ તરીકે મિત્રો , પ્લેયમેટ્સ , સાથે જોબ કરતા લોકો.
સોશિયલાઈઝેશનની પ્રોસેસ માટે authoritarian ની પ્રોસેસની સાથે – સાથે equalitarian પ્રોસેસની પણ જરૂર પડે છે. બાળક જન્મે ત્યારે તેના માતા પિતા તેના ઓથોરીટેરીયન તરીકે હોય છે પછી સ્કૂલે જાય ત્યારે તેના ટીચર અને પ્રિન્સિપલ હોય છે જે તેનાથી મોટા છે જે તેના ઉપરી છે તેને કંઈક શીખવે છે જેનાથી તે એક સારો માણસ બને છે. આ સાથે સાથે ઇક્વાલીટેરિયન એટલે કે તેની જ ઉંમરના , જેનાથી તે ડરે નહીં ,તેની સાથે ભણતા મિત્રો , પ્લેયમેટ્સ , સિબલિંગ્સ કે જેની સાથે તે પોતાની બધી વાતો શેર કરે છે.
➡️ એટલે જ સોશિયલાઈઝેશનની પ્રોસેસ માટે ઓથોરિટેરિયન અને ઈક્વલીટેરિયન બંને જરૂરી છે.
ચીફ એજન્સીસ :
૧ – ફેમેલી
૨ – સ્કૂલ
૩ – પ્લેયમેટ્સ
૪ – રિલિજિયન ( ધર્મ )
૫ – સ્ટેટ ( રાજ્ય )
▫️૧ – ફેમિલી
➡️ ફેમિલી મેમ્બર એ ક્લોઝલી બાળક સાથે સંકળાયેલ હોય છે. તેઓ પહેલું સ્ટેપ છે જે બાળકને સોશિયલાઈઝ કરે છે. બાળક તેની ફેમિલી માંથી ભાષા , વાણી , હાવભાવ , સાથ સહકાર , સહનશીલતા , પ્રેમ , બલિદાન આ બધું શીખે છે. ફેમિલી નું વાતાવરણ બાળકના ગ્રોથને પ્રભાવિત કરે છે. ખરાબ ફેમિલીમાં બાળક ખરાબ આદતો શીખે છે , અને સારી ફેમિલીમાં બાળક સારી આદતો શીખે છે.
▫️૨ – સ્કૂલ
➡️ બાળક સ્કૂલથી એજ્યુકેશન મેળવે છે જે તેનામાં સારા આદર્શો અને વલણનું ઘડતર કરાવે છે. સારું એજ્યુકેશન બાળકને દેશનો એક સારો નાગરિક બનાવે છે અને ખરાબ અપૂરતું એજ્યુકેશન બાળકને ક્રિમિનલ બનવા તરફ લઈ જાય છે.

૩ – પ્લેયમેટ્સ
➡️ બાળક ઘણું બધું તેના મિત્રો પાસેથી શીખે છે જે તેના માતા-પિતા પાસેથી શીખી શકાતું નથી. તે સહકાર , નૈતિકતા , ફેશન વગેરે શીખે છે જે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી જરૂરી છે.
▫️૪ – રિલિજિયન ( ધર્મ )
➡️ દરેક ધર્મમાં , ચોક્કસ પ્રસંગોપાત ધર્મને રિલેટેડ પ્રવૃત્તિઓ પરફોર્મ કરવામાં આવતી હોય છે. આ ધાર્મિક પ્રવૃત્તિઓના લીધે તેનામાં બિલિફ અને વે ઓફ લાઈફ ડેવલપ થાય છે. ધાર્મિક સ્થળોએ તે ઉપદેશ મેળવે છે અને તેના પરથી તેના જીવનનું તેનું ઘડતર થાય છે‌.
▫️૫ – સ્ટેટ ( રાજ્ય )
➡️ દરેક સ્ટેટ લોકો માટે કાયદાઓ બનાવે છે જે તેના બિહેવિયરના ઘડતરમાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ રાજ્યના કાયદાઓની વિરુદ્ધ જાય છે તો તેને સજા કરવામાં આવે છે.

એલિમેન્ટ્સ ઓફ પ્રોસેસ ઓફ સોશિયલાઈઝેશન


બાળક એ સોશિયલ સ્ટીમયુલાયના કોન્ટેકમાં આવીને પ્રોસેસ ઓફ સોશિયલાઈઝેશન શીખે છે. તેના માટે પ્રથમ અને વહેલી સોશિયલ સ્ટીમ્યુલાય એ તેની માતા છે. તેના પછી તે બીજા બધાના વધારે કોન્ટેક માં આવે છે. તે પિતા , ભાઈ , બહેન , પ્લેયમેટ્સટ્સ , ટીચર , પોલીસ અને બીજા વ્યક્તિઓના સંપર્કમાં આવે છે જે તેના ઘડતરમાં મદદરૂપ બને છે.


Elements ઓફ સોશિયલાઈઝેશન :


➡️વ્યક્તિગત વારસો – ફિઝિકલ અને સાયકોલોજીકલ.
➡️ એન્વાયરમેન્ટ – ફેમિલી , કોમ્યુનિટી , સોસાયટી.
➡️ કલ્ચર – બાળક તેના ફેમિલી થ્રુ તેના કલ્ચરને સમજે છે.
➡️ વ્યક્તિગત અનુભવ – દરેક વ્યક્તિ ત્યારે mature થાય છે જ્યારે તે તેની ફેમિલી , કમ્યુનિટી , અને સોસાયટીમાંથી કઠોર અનુભવો કરે છે અને શીખે છે.

▫️ENVIRONMENTAL FACTORS THAT INFLUENCE PRENATAL DEVELOPMENT

મધરનું હેલ્થ સ્ટેટ્સ
મધરનો ખોરાક , જીવનશૈલી અને બાળકના જન્મ પહેલા ની સંભાળ એ મધરના હેલ્થ સ્ટેટસ માટે ખૂબ જ જરૂરી છે. વહેલું અને નિયમિત મેડિકલ ચેકઅપ obstetrician ( પ્રસુતિ નિષ્ણાંત ) પાસે જરૂરી છે. નિયમિતપણે બ્લડપ્રેશર , વજન , યુરિન એનાલિસિસ અને ઇન્ફોર્મેશન અબાઉટ પ્રેગનેન્સી અને પોઝીશન અને બાળકનો વિકાસ ચેક કરવો.

સારું ન્યુટ્રીશન
સારા પોષક તત્વો લેવાથી હેલ્ધી પ્રેગનેન્સી ડેવલોપ થાય છે. પૂરતા પ્રમાણમાં પ્રોટીન , કેલ્શિયમ , આયન અને વિટામિન લેવા જરૂરી છે. અપૂરતો ખોરાક અને પોષક તત્વો લેવાથી બાળકનો વિકાસ ધીમે થાય છે. ડીલેવરી અને લો બર્થ વેઇટના રિસ્ક વધી જાય છે.દારૂ અને ધૂમ્રપાન છોડી દેવું જોઈએ અને ડોક્ટરે સૂચવેલ દવાઓ સિવાયની જાતે દવા લેવી નહીં.

પ્રોપર મેડિકલ કેર

પ્રોપર મેડિકલ કેર લેવાથી પ્રેગનેન્સી ના લીધે થતા પ્રોબ્લેમ્સ ને જાણી શકાય છે , અટકાવી શકાય છે અને તેની સારવાર થઈ શકે છે.

Toxemias ઓફ પ્રેગનેન્સી

Toxemias ઓફ પ્રેગનેન્સી એટલે કે પ્રેગનેન્સી દરમિયાન થતા કોમ્પ્લિકેશન કે જેમાં લીવર , કિડની અને વગેરે ઓર્ગનને ડેમેજ જોવા મળે છે. અચાનક જ બ્લડ પ્રેશર , પ્રોટીન યુરિયા અને બોડીમાં વોટરનું પ્રમાણ વધી જાય છે. ઉદાહરણ તરીકે: 20 વીક પછી ઇડીમાં ( સોજા ) જોવા મળે છે.


જન્મજાત ખોળખાપણ

ઘણી બધી દવાઓ , અપૂરતો ખોરાક ખાવાની ટેવ અને ઇન્ફેક્શનના કારણે જન્મજાત ખોટખાપણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે: પ્રેગનેન્સી દરમિયાન રુબેલા નું ઇન્ફેક્શન લાગવાથી અથવા કોઈપણ જીનેટીક કારણો પણ હોઈ શકે.


અલ્ટ્રાસાઉન્ડ અને એમ્નીઓ સેન્થેસિસ
અલ્ટ્રા સાઉન્ડ એટલે સોનોગ્રાફી અને એમનીઓ સેન્ટેસિસ એટલે એમની ઓટીક ફ્લુડનું સેમ્પલ લઈને તેને ટેસ્ટ માટે મોકલવામાં આવે છે . તેનાથી જન્મજાત ખોડખા પણ ને ઓળખી શકાય છે.

એન્ટિ રહે્સસ વેક્સિન
જો મધરનું બ્લડ ગ્રુપ RH નેગેટીવ હોય અને બાળકનું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ હોય તો બાળકના જન્મ પછી તરત જ મધરને Anti D ઇન્જેક્શન આપવામાં આવે છે. તેનાથી રેડ બ્લડ સેલનું ડેમેજ અટકાવી શકાય છે અને Rh incompitability જેવા કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે.

પ્રિમેચ્યોર બેબી
જો બાળકની ડીલેવરી 37 વીક પહેલા થઈ જાય અને તેનો વજન 2.5 કિલોગ્રામ કરતા ઓછું જોવા મળે તેને પ્રીમૅચ્યુઅર બેબી કહે છે. જો વહેલી પ્રસુતિના સાઈન જોવા મળે અને મધરને રિસ્ક હોય ત્યારે મધરની કમરની ફરતે મોનિટરિંગ ડિવાઇસ લગાવવું. મધર ને તરત જ હોસ્પિટલ લઈ જવી અને પ્રસુતિ અટકાવવા માટેની દવા લેવી.

સ્ટેજિસ ઓફ સોસીયલાઈજેશન
1. બર્થ ઓફ ન્યુ બોર્ન બેબી
જ્યારે પૂરતા ગર્ભાશય માંથી કોન્ટ્રાકશન આવતા હોય ત્યારે બાળક બહાર આવે છે. પછી તરત જ બાળકના માઉથને suction વડે mucus રીમુવ કરવામાં આવે છે.

  • જન્મ પછી તરત જ બાળક રડે છે અને તેની સાથે જ શ્વચ્છોશ્વાસની પ્રક્રિયા શરૂ થાય છે. અંબેલીકલ કોડને કટ કરીને ક્લેમ કરવામાં આવે છે. તે થોડાક દિવસ રહીને પછી ખરી જાય છે. જો બેબીની નોર્મલ વજાઇનલ ડીલેવરી શક્ય ન હોય તો સિઝેરિયન સેક્શન કરવામાં આવે છે.
  • પોસ્ટ પાર્ટમ પિરિયડ ( બાળકના જન્મથી લઈને 6 વિક સુધીનો સમય ) દરમિયાન મધરના ઓર્ગન પાછા પ્રી પ્રેગ્નેન્સી સ્ટેટ આવતા હોય છે . તે દરમિયાન ઘણા હોર્મોનલ ચેન્જીસ થાય છે અને બ્રેસ્ટ માંથી બ્રેસ્ટ મિલ્ક નું સિક્રીસન થાય છે.
  • બેસ્ટ મિલ્ક લેતા બેબીમાં રેસ્પાયરેટરી ઇન્ફેક્શન , સ્કીન ડિસોડર , કબજિયાત અને ડાયરિયા થવાની શક્યતા ઓછી હોય છે અને વજન પણ સારી રીતે વધે છે.
    2 – INFANT
    બાળકના જન્મથી લઈને એક વર્ષ સુધીના સમયને ઇન્ફન્ટ પિરિયડ કહેવામાં આવે છે. આ દરમિયાન બાળકનો ઝડપથી ગ્રોથ થાય છે , દાંત નો વિકાસ થાય છે , અને મસ્ક્યુલર અને નર્વસ સિસ્ટમનું કોઓર્ડીનેશન જોવા મળે છે જેમાં તે બેસવાની , ઉભવાની અને કોઈપણ વસ્તુને પકડવાની કોશિશ કરતું હોય છે.
    3. CHILDHOOD.
    ઇન્ફંટ પિરિયડ પૂરો થાય ત્યારથી લઈને પ્યુબર્ટી સ્ટાર્ટ થાય તે સમયગાળાને ચાઇલ્ડહુડ કહે છે. આ દરમિયાન બાળકમા ફિઝિકલ ગ્રોથ, આંતરડા અને મૂત્રાશય પર કંટ્રોલ અને કોમ્યુનિકેશન સ્કીલ જેવી કે લખવું અને બોલવું ડેવલોપ થાય છે.
    જેમ બાળક તેને પ્રેમ કરતા અને તેની કેર કરતા લોકોના સંપર્કમાં આવશે તેમ તેનામાં એક્સેપ્ટન્સ , worth અને self esteemનુ ડેવલોપમેન્ટ થાય છે.
    Self esteem એ તેનામાં પછીથી ડેવલોપ થાય છે. ઘણા બાળકો તેનામાં પોતાની જાતની સંભાળ માટેની રિસ્પોન્સિબિલિટીઝ બતાવતા હોય છે અને ઘણા તેના ફેમિલી પ્રત્યે પણ દેખાવતા હોય છે. ઉદાહરણ તરીકે : પોતાના રમકડા ને દૂર મુકવા , પોતાના બેડને સરખી રીતે રાખવું અથવા જ્યારે સક્ષમ હોય ત્યારે તેના ટેબલને clean કરવું.
    Decision making ( પોતાની જાતે નિર્ણય લેવાની ક્ષમતા ) એ બાળકમાં ચાઇલ્ડહુડ દરમિયાન ડેવલપ થતું હોય છે. ચાઈલ્ડ પોતાના ડિસિઝન જાતે લેતા શીખતું હોય છે. ઉદાહરણ તરીકે : હું આજે શું પહેરીશ ? ડિસિઝન હંમેશા રિસ્પોન્સિબલ હોતા નથી અને માતા-પિતાના માર્ગદર્શનની જરૂર પડે છે. બાળકમાં કામ કરવાની , વાંચવાની અને કામને પૂરું કરવાની ફીલિંગ જાગૃત થતી હોય છે , આ દરમિયાન બાળક દુનિયાની ઘણી જટિલ વસ્તુઓને સમજવાની શરૂઆત કરે છે.

4. ADOLESCENCE
ઇનફન્ટ અને એડલ્ટહુડ વચ્ચેના સમયગાળાને એડોલેશન્સ કહે છે જેમાં જનરલી 12 – 19 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન તેનો ઝડપથી ગ્રોથ થતો જોવા મળે છે છોકરીઓમાં ( ૧૧ – ૧૩ વર્ષ ) છોકરાઓ ( ૧૩ – ૧૫ વર્ષ ) કરતા વહેલો અને ઝડપી ગ્રોથ થતો જોવા મળે છે અને સાથે સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ પણ જોવા મળે છે. આ દરમિયાન તેઓ તેના માતા પિતા પાસેથી વધારે સ્વતંત્રતા માંગે છે અને તેના મિત્રો અને પિયર ગ્રુપ સાથે વધારે પ્રમાણમાં રહે છે. મોસ્ટ ઓફ એડોલેસન્ટ તેના આઈડિયા અને વેલ્યુ તેના માતા પિતા સાથે શેર કરે છે અને સહમત થાય છે.
➡️ પેરેન્સ પ્રમાણે એક હેલ્થી એડોલેશન્ટ ત્યારે બની શકે છે જ્યારે….

  • બાળકમાં પોતાની જાતે કામ કરવાની ક્ષમતા ડેવલોપ કરાવવી , તેને સેફ ફીલ કરાવવું અને પહેલેથી જ શિસ્ત વાળું વર્તન કરે તેના માટે તેને તૈયાર કરવું.
  • બાળકની સાથે સંપર્કમાં રહેવું. જેમ કે ; બાળક તેના ડેવલોપમેન્ટ માટે કરતી પ્રવૃત્તિઓમાં interest બતાવવો અને તેને વિશ્વાસ અને કંઈ પણ કરવા માટે સહમતી આપવી.

5. ADULTHOOD
એડોલેશન્સ પછી એડલ્ટહુડ નો પિરિયડ શરૂ થાય છે. આ સમય દરમિયાન તેમાં બહુ વધારે ફિઝિકલ ચેન્જ જોવા મળતો નથી. જો આ સમય દરમિયાન દરરોજ કસરત કરવામાં આવે અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જાળવવામાં આવે તો old ageમાં ફીટ રહી શકાય છે.
➡️ Early adulthood – આ સમય દરમિયાન તેઓ સ્વતંત્ર હોય છે અને પોતાની રિસ્પોન્સિબિલિટી જાણતા હોય છે તથા બીજા સાથે ગાઢ સંબંધો બાંધતા હોય છે.
➡️Middle adulthood – આ સમય દરમિયાન તેઓ લાઈફના goalને સેટ કરતા હોય છે અને તેનું સ્ટાન્ડર્ડ નક્કી કરતા હોય છે. ઉદાહરણ તરીકે , સંતોષ ન મળે તેવી જોબ છોડી દેવી અને કંઈક નવું કરવા માટે આગળ વધવું.
➡️Late adulthood – આ જીવનચક્ર નો સૌથી મોટો સ્થાયી સમય ગાળો છે. લોકો જે તેને પૂરું કર્યું છે અથવા મેળવ્યું છે તેની તરફ પાછળ જુએ છે અને સંતોષ અનુભવે છે. જો કે , આ સમય ઘણા લોકો માટે ડિપ્રેશન વાળો હોય છે કે જેઓએ બીજા સાથે નજીકના સબંધો પ્રાપ્ત કર્યા નથી અને જેને એવું લાગે છે કે નિયતિ પર તેનો કંટ્રોલ નથી.
આખા જીવનચક્ર દરમિયાન જન્મથી લઈને મૃત્યુ સુધી લોકોમાં ઘણા બધા ફિઝિકલ , મેન્ટલ અને સોશિયલ ચેન્જીસ જોવા મળે છે. જે પણ આ બધા ચેન્જીસ નો હેલ્ધી વે માં સામનો કરે છે તે old ageમાં શ્રેષ્ઠ હોય છે.

6. OLD AGE
બાયોલોજિકલી , વ્યક્તિ 25 વર્ષની ઉંમર પછી ફિઝિકલ મેચ્યોર થાય છે , જ્યારે સેલ્સ પ્રોડ્યુસ થાય તેના કરતાં વધારે ઝડપથી મૃત્યુ તરફ જતા હોય છે. ઘરડા થવું , જોકે મગજની સ્થિતિ અને તેનો ( ઘરડા થવાનો ) કોઈપણ સ્પેસિફિક સમયગાળો નથી. કોઈ વ્યક્તિ ૭૫ વર્ષની ઉંમરે પણ યંગ રહી શકે છે જો તે પોતાની જાતને દરરોજ કરંટ ઇવેન્ટ માં એક્ટિવ રાખે અને ફિટ રહે.
➡️ઉંમર વધવાના એક્સટર્નલ સાઇનમાં ચામડી પર કરચલી , baldness ( ટાલ પડવી ) જેવા લક્ષણો ઘણા લોકોમાં ચોથા દાયકાથી જોવા મળે છે અને ઘણા લોકોમાં છઠ્ઠા અથવા સાતમા દાયકા સુધી જોવા મળતા નથી ( દાયકો – દસ વર્ષનો સમયગાળો ) .
➡️ ઇન્ટર્નલ સાઇન તરીકે તેની બોડી સિસ્ટમની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સેન્સ ઓર્ગન્સ એ ઓછા સેન્સીટીવ બની જાય છે. હદયની બ્લડને પંપ કરવાની ક્ષમતા અને ફેફસાને ઓક્સિજનનેટ કરવાની ક્ષમતા ઘટી જાય છે , તેથી પાચનતંત્ર અને Excretary system ( ઉત્સર્જન તંત્ર ) ની ન્યુટ્રીયંટ બનાવવાની પ્રોસેસ અને વેસ્ટ પ્રોડક્ટ ને બહાર કાઢવાની ક્ષમતા પણ ઘટી જાય છે. ઘણા બધા રોગો થવાની શક્યતા પણ ઓલ્ડ એજમાં વધી જાય છે જેમ કે હાયપરટેન્શન , કેન્સર , આર્થરાઇટિસ. ઓલ્ડ એજમાં નુકસાન કરે તેવા બિહેવિયરને પહેલેથી જ સુધારવું. યંગ એજમાં હેલ્થ પ્રમોશન થાય તેવું બીહેવીયર રાખવું જેનાથી ઓલ્ડ એજ આવે ત્યારે સારૂ હેલ્થ સ્ટેટ્સ જાળવી શકાય.
➡️ ૬૫ વર્ષની ઉંમર સુધી વધારે પડતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે અને પોતાની જાતની સંભાળ રાખી શકતા હોય છે. થોડાક લોકોમા dementia ( યાદશક્તિ ઘટી જવી અને મગજની કામ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.) જોવા મળે છે. અસાઈમર ડીસીઝ એ ડીમેન્સિયા માટેનું કોમન કારણ છે. ઘણીવાર મોટી ઉંમરના લોકોમાં ડિપ્રેશન એ ડિમેન્શિયા તરીકે જોવા મળે છે. ડિપ્રેશનને ટ્રીટ કરતી વખતે ઘણીવાર ડિમેન્સિયા પાછું થતું જોવા મળે છે.
➡️ મોટી ઉંમરે , ઘણા લોકો સોશિયલ પ્રોબ્લેમ થી પણ સફર થતા હોય છે. ઘણા લોકોમાં ઉંમર વધવાના લીધે ભેદભાવ જોવા મળે છે. ઘણા લોકોમા ઓલ્ડ એજ ના લોકો વિશે વિચારધારા બદલી જાય છે જેમકે intellectual failure ( તેની બૌદ્ધિક ક્ષમતા ઘટી જવી ). એકલાપણુ એ પણ elderly લોકોનો એક સોશિયલ પ્રોબ્લેમ છે.elder લોકોમાં સોશિયલ આઇસોલેશનને અટકાવવા માટે તેને નવા મિત્રો બનાવવા માટે અને નવી નવી એક્ટિવિટીમાં ભાગ લેવા એન્કરેજ કરવું.

  • RIGHTS ( અધિકારો )
  • અધિકારો એ એક એવી freedom છે જે પોતાના માટે તથા કમ્યુનિટી માટે સારી અને જરૂરી છે મૂળભૂત અધિકારો એ બંધારણમાં સમાવિષ્ટ અધિકારોનું ચાર્ટર છે બંધારણ દ્વારા માન્ય વ્યક્તિના સાત મૂળભૂત અધિકારો છે :
  • સમાનતા નો હક
  • સ્વતંત્રતાનો હક
  • શોષણ અને વિરોધનો હક
  • ધાર્મિક સ્વતંત્રતાનો હક
  • સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
  • બંધારણીય ઈલાજ નો હક
  • મિલકતનો હક
    મૂળભૂત અધિકારો એ સામાજિક પ્રવૃત્તિઓ અને સ્વતંત્રતા પહેલા ની અસમાનતા ને દૂર કરવા માટે બનાવવામાં આવ્યા છે.
    ➡️ સમાનતાનો હક :
    કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ , જાતિ , લિંગ , રંગ , જન્મનુ સ્થળના આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. દરેક નાગરિક માટે સમાન તકનું નિર્માણ કરવામાં આવેલ છે. રાજ્ય હેઠળની કોઈપણ ઓફિસમાં રોજગાર અથવા નિમણૂક રિલેટેડ કોઈપણ નાગરિકમાં ભેદભાવ કરવામાં આવશે નહીં.
    ➡️ સ્વતંત્રતાનો હક :
    દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે તેઓ પ્રાચીન ગુલામીથી હવે મુક્ત છે.દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા-ફરવા , વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. મૂળભૂત અધિકારો મુજબ દરેક નાગરિકને નીચે મુજબની સ્વતંત્રતાઓ છે ;
  • બોલવાની અને હાવભાવ વ્યક્ત કરવાની સ્વતંત્રતા
  • સંગઠનો અને સંઘ બનાવવાની સ્વતંત્રતા
  • આખા ભારતમાં મુક્ત પણે હરવા-ફરવાની સ્વતંત્રતા
  • ભારતમાં કોઈ પણ વિસ્તારમાં રહેવાની તથા સ્થાયી થવાની સ્વતંત્રતા
  • કોઈપણ પ્રોફેશનનો અભ્યાસ કરવાની અને તેને ચાલુ રાખવાની સ્વતંત્રતા
  • હથિયારો વગર શાંતિથી ભેગા થવાની સ્વતંત્રતા
    ➡️ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
    આ અધિકાર એ ભારતના દરેક નાગરિકને તેનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક બાબતે તે ઈચ્છતું હોય ત્યાં સુધી આગળ વધવાની છૂટ આપે છે. દેશમાં ગમે તે જગ્યાએ રહેતા નાગરિકને તેમજ પ્રદેશમાં રહેતા લોકોને પણ પોતાની ભાષા , બોલી , આદર્શો , મૂલ્યો વગેરે ધરાવવાની , જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
  • કોઈપણ નાગરિકને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા એવી સંસ્થાઓ કે જેને રાજ્ય દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે તેમાં ધર્મ , જાતિ , ભાષા , લિંગ વગેરેના આધારે એડમિશન આપવામાં આવશે નહીં.
  • તમામ લઘુમતીઓને , ભલે પછી તે ધર્મ કે ભાષાના આધારે હોય , તેઓને તેની પસંદગીની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવાનો અને તેને ચલાવવાનો અધિકાર છે. રાજ્ય grant ( સહાય ) આપતી વખતે કોઈપણ શૈક્ષણિક સંસ્થા સાથે ભેદભાવ કરશે નહીં ; ભલે તે પછી લઘુમતી હોય કે ભાષા અથવા ધર્મના આધારે હોય.
    ➡️ ધાર્મિક સ્વતંત્રતાનો હક :
    ભારતના દરેક નાગરિકને તેની પસંદગી મુજબ ગમે તે ધર્મને સ્વીકારવાની સ્વતંત્રતા છે.
  • ધાર્મિક સ્વતંત્રતાનો હક એ મૂળભૂત અધિકાર છે જેની બંધારણમાં આર્ટિકલ 25 હેઠળ ખાતરી આપેલ છે.
    ➡️ શોષણ સામે વિરોધનો હક :
    કોઈપણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપના નો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે.મૂળભૂત અધિકાર એ બંધારણમાં વર્ણવવામાં આવેલ છે તે મુજબ ;
    આર્ટિકલ 23 – માણસોમાં ટ્રાફિક અને forced ( ફરજીયાત ) મજૂરી પર પ્રતિબંધ
  • માણસોમાં ટ્રાફિક અને ભિખારી કામ અને તેના જેવા બીજા ઘણા કામો જેમ કે ફરજિયાત મજૂરી કરાવવા પર પ્રતિબંધ છે જો કોઈ પણ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેને બંધારણ મુજબ સજા આપવામાં આવશે.
  • આ અધિકાર મુજબ રાજ્ય લોકોના સંદર્ભમાં કરવામાં આવતી સેવાઓ પ્રત્યે અટકાવતું નથી. રાજ્ય ધર્મ , જાતિ , લિંગ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતું નથી.
    આર્ટીકલ 24 – આ આર્ટીકલ અંતર્ગત બાળકને ફેક્ટરીમાં અથવા અન્ય જગ્યાએ કામ કરાવા પર પ્રતિબંધ છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ફેક્ટરીમાં કામ કરવાની અથવા કોઈપણ જોખમી કામોમાં સંકળાવવા માટે પ્રતિબંધ છે.
    ➡️ બંધારણીય ઈલાજનો હક
    ગમે તેટલા કાયદા ઘડવામાં આવે , મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે. જો નાગરિકોને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે , તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આથી જ ડો. બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.આ અધિકાર એ ભારતના દરેક નાગરિકને પોતાના હક માટે કોઈપણ સામે ઉભું રહેવાની સ્વતંત્રતા છે ભલે પછી સામે ભારત સરકાર પણ હોય.
  • કોઈપણ વ્યક્તિ પોતાના હક ની જોગવાઈ માટે થઈને ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે.
  • કોઈપણ કાયદાને ક્યારેય પણ સસ્પેન્ડ કરવામાં આવશે નહીં ; જ્યાં સુધી બંધારણ દ્વારા કોઈપણ જોગવાઈ ન આપવામાં આવે ત્યાં સુધી.

RESPONSIBILITIES ( ફરજો )
મૂળભૂત ફરજો : જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકો માટે કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે ;

  • બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો , રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની ;
  • આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ;
  • ભારતના સાર્વભૌમત્વ , એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ;
  • દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા , તેમ કરવાની ;
  • ધાર્મિક , ભાષાકીય , પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને , ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની , સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારોને ત્યજી દેવાની ;
  • આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ;
  • જંગલો , તળાવો , નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની તથા તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ;
  • વૈજ્ઞાનિક માનસ , માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણા ની ભાવના કેળવવાની ;
  • જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ;
  • રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે , વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
  • માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.
Published
Categorized as GNM FULL COURSE SOCIOLOGY, Uncategorised