ANM – SY – HEALTH CENTER MANAGEMENT (HCM) PAPER SOLUTION 09/09/2025(UPLOAD)
09/09/2025
પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) મમતા કલીનીક એટલે શું?03
મમતા ક્લિનિક
મમતા ક્લિનિક ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલું એક વિશિષ્ટ આરોગ્ય કાર્યક્રમ છે,
જેનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્યની સુરક્ષા અને સુધારણા કરવાનો છે.
Definition : મમતા ક્લિનિક એ એક નિયત દિવસની આરોગ્ય સેવા છે,જેમાં ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ તથા પાંચ વર્ષથી નાના બાળકોને વ્યાપક આરોગ્ય સેવાઓ એક જ જગ્યાએ આપવામાં આવે છે.
હેતુ
ગર્ભવતી મહિલાઓને સંપૂર્ણ આરોગ્ય ચકાસણી અને જરૂરી સેવાઓ પૂરી પાડવી.
નવજાત તથા નાનાં બાળકોને આરોગ્ય સેવા, રસીકરણ અને પોષણ સલાહ આપવી.
માતા–બાળ મૃત્યુદર ઘટાડવો.
કુપોષણ અટકાવવું અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવી.
(૨) મમતા કાર્ડનું મહત્વ સમજાવો.04
મમતા કાર્ડનું મહત્વ
મમતા કાર્ડ એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ગર્ભવતી મહિલા, સ્તનપાન કરાવતી માતા તથા બાળકના આરોગ્ય રેકોર્ડ તરીકે કાર્ય કરે છે. તેને મધર એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન કાર્ડ (MCP) પણ કહેવામાં આવે છે.
મમતા કાર્ડના મુખ્ય હેતુ
માતા અને બાળકના આરોગ્યનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો.
ગર્ભવતી મહિલા, નવજાત અને બાળકને આપવામાં આવેલી બધી આરોગ્ય સેવાઓનું દસ્તાવેજીકરણ કરવું.
હાઈ રીસ્ક પ્રેગ્નન્સી અથવા બીમાર બાળકની વહેલી ઓળખ કરવી.
આરોગ્ય કર્મચારીઓ માટે એક ગાઈડલાઈન ડોક્યુમેન્ટ તરીકે કામ કરે છે.
માતા–પિતાને તેમના બાળકના આરોગ્ય, રસીકરણ અને પોષણ વિશે જાગૃતિ આપવી.
મમતા કાર્ડમાં સમાવિષ્ટ વિગતો
માતા માટે
ગર્ભાવસ્થાની ચકાસણી (વજન, રક્તચાપ, Hb%, TT ઇન્જેક્શન, IFA ટેબલેટ)
પ્રસૂતિની તારીખ અને પ્રકાર
પ્રસૂતિ પછીની ચકાસણી (PNC)
પરિવાર નિયોજન સેવાઓ
બાળક માટે
જન્મનો રેકોર્ડ (જન્મતારીખ, વજન, લિંગ)
રસીકરણ ચાર્ટ (BCG, OPV, DPT, MR, હેપેટાઇટિસ B, વિટામીન A)
વૃદ્ધિ ચાર્ટ (ગ્રોથ મોનિટરિંગ)
કુપોષણની ઓળખ માટે તબક્કાવાર નોંધ
આરોગ્ય શિક્ષણ
સેફ મધર હુડ વિષે માર્ગદર્શન
એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડિંગ અને પૂરક આહાર અંગે માહિતી
હાયજીન, ન્યુટ્રીશન અને ફેમિલી પ્લાનિંગ અંગે સૂચનાઓ
મહત્વ
સંપૂર્ણ આરોગ્ય રેકોર્ડ: માતા અને બાળકના આરોગ્યની પ્રગતિ એક જ કાર્ડમાં દર્શાય છે.
જાગૃતિનું સાધન: માતા–પિતા પોતે રસીકરણ અને આરોગ્ય સેવાઓ અંગે જાગૃત બને છે.
આરોગ્ય કર્મચારીઓ માટે સહાયક: ANM, ASHA, AWW દ્વારા યોગ્ય અનુસરણ (ફોલો અપ) શક્ય બને છે.
માતા–બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ.
સરકારી યોજનાઓમાં આવશ્યક દસ્તાવેજ (જેમ કે JSY, PMMVY, ICDS).
(૩) મમતા કલીનીકમાં અપાતી સેવાઓ લખો.05
મમતા ક્લિનિકમાં અપાતી સેવાઓ
મમતા ક્લિનિક એ એક નિયત દિવસની આરોગ્ય સેવા છે, જેમાં ગર્ભવતી મહિલા, સ્તનપાન કરાવતી માતા અને પાંચ વર્ષથી નાનાં બાળકોને આરોગ્ય સેવાઓ એક જ સ્થળે આપવામાં આવે છે.
મમતા ક્લિનિકમાં આપવામાં આવતી સેવાઓ
1. માતા માટેની સેવાઓ
ગર્ભાવસ્થા દરમ્યાન ચકાસણી (ANC)
વજન, રક્તચાપ, હિમોગ્લોબિન તપાસ
TT ઇન્જેક્શન, IFA ટેબલેટ આપવી
જોખમી ગર્ભાવસ્થા (હાઈ રીસ્ક પ્રેગ્નન્સી) ની ઓળખ
પ્રસૂતિ બાદની સંભાળ (PNC)
સ્તનપાન અને પોષણ અંગે માર્ગદર્શન
ફેમિલી પ્લાનિંગ અંગે સલાહ
2. બાળક માટેની સેવાઓ
જન્મ પછીની સંપૂર્ણ ચકાસણી
સંપૂર્ણ રસીકરણ (BCG, OPV, DPT, મિસલ્સ, હેપેટાઇટિસ-B, MR, વિટામીન A)
વૃદ્ધિ ચાર્ટ દ્વારા વજન અને વિકાસનું નિરીક્ષણ
કુપોષણની ઓળખ અને સમયસર સારવાર
નવજાત અને ઓછી વજનના બાળકની વિશેષ સંભાળ
3. આરોગ્ય શિક્ષણ સેવાઓ
ગર્ભવતી મહિલા અને માતાને સેફ મધર હુડ વિષે માર્ગદર્શન
એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડિંગ અને પૂરક આહાર અંગે જાગૃતિ
વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાવરણીય સ્વચ્છતા અંગે શિક્ષણ
કિશોરી આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન
અથવા
(૧) કાર્ય આયોજન એટલે શું ?03
કાર્ય આયોજન
કાર્ય આયોજન એટલે કોઈપણ કાર્ય કે પ્રવૃત્તિને યોગ્ય રીતે, પગલું-દર-પગલું, નક્કી કરેલા સમયમાં અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાની પૂર્વ તૈયારી. એટલે કે, કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તે કેવી રીતે કરવું, કોને કરવું, ક્યારે કરવું, કયા સાધનોનો ઉપયોગ કરવો અને કયા પરિણામો મેળવવા તે વિશે વિચારવું અને લખિત/મૌખિક રૂપે નક્કી કરવું એટલે કાર્ય આયોજન.
કાર્ય આયોજનના મુખ્ય તત્વો
લક્ષ્ય : કાર્યનો હેતુ શું છે?
સાધનો : કામ માટે કયા માનવીય, ભૌતિક કે આર્થિક સાધનો જોઈએ?
સમય : કાર્ય માટે કેટલો સમય લાગશે?
પગલાં : કાર્ય કેવી રીતે આગળ વધારવું?
જવાબદારી : કાર્ય કોણ કરશે?
મૂલ્યાંકન : કાર્ય સફળ થયું કે નહીં તે કેવી રીતે માપવું?
(૨) કાર્ય આયોજનના પગથિયાં જણાવો.04
કાર્યઆયોજનના પગથિયાં
1.પેટાકેન્દ્ર અને કાર્યક્ષેત્ર વિસ્તારનો નકશો તૈયાર કરો
પેટાકેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા ગામો ઓળખો.
આંગણવાડી કાર્યકર તાલીમ પામેલ મહિલા સ્વાસ્થ્ય કાર્યકર અને મહિલા સ્વસ્થ્ય સંઘ અને અન્ય કડી રૂપવ્યક્તિઓ અને યુવક મંડળના હોદ્દે-દારોની સહાયતા લો.
પેટા કેન્દ્ર વિસ્તારમાં ઉપલબ્ધ સમુદાય સવલતોને શોધીને તારવો.
ગામનો મેપ તૈયાર કરો.
આરોગ્ય કેન્દ્ર આંગણવાડી, ગ્રામપંચાયત વગેરે અલગ માર્કિંગ વડે દર્શાવો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર/ સરકારી દવાખાના/ નર્સિંગ હોમમાં થયેલ પ્રસૂતિ ની સંખ્યા.
ખાનગી ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ પ્રસૂતિ ની સંખ્યા.
જોખમી કેસો સંદર્ભ સેવા માટે મોકલવામાં આવેલ સગર્ભા માતાઓની સંખ્યા.
કોઈ પણ પ્રકારની પડેલી મુશ્કેલીવાળી સગર્ભા માતાની સંખ્યા.
અસાધારણ પ્રસૂતિનીની સંખ્યા.
MTP (મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેસી) ની સંખ્યા.
જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા.
જન્મ પછી તરત શ્વાસ લેવાની તકલીફ અનુભવતાં નવજાત શિશુની સંખ્યા.
નવજાત શિશુની મરણ ની સંખ્યા.
નવજાત શિશુના મરણના કારણો.
કોઈ મૃત જન્મ થયો હોય તો તેવા બાળકોની સંખ્યા.
ઝીરો થી એક વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા.
ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા.
વારંવાર ઝાડા થતા હોય તેવા બાળકોની સંખ્યા.
જળ શુષ્કતાને કારણે કોઇ બાળકને સંદર્ભ સેવા અર્થે મોકલ્યું હોય તો તેવા બાળકોની સંખ્યા.
જેને વારંવાર શ્વસનતંત્ર ના ચેપ ના હુમલા થયા હોય તો તેની વિગત અને સંખ્યા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ વધારાની સારવાર અર્થે મોકલવામાં આવેલ બાળકોની સંખ્યા.
કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા.
આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકોની સંખ્યા.
સંપૂર્ણ રસીકરણ કરેલ બાળકોની સંખ્યા.
મોં વડે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી સ્ત્રીઓની સંખ્યા.
કોપર-ટી અપનાવેલ સ્ત્રીઓની સંખ્યા.
કોંડોમ વાપરતા દંપતીઓની સંખ્યા.
કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ સ્ત્રીઓની સંખ્યા.
કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવેલ પુરુષોનીસંખ્યા.
આર.ટી.આઇ. અને એસ.ટી.ડી. ચિન્હો-લક્ષણો ધરાવતી સ્ત્રીઓની સંખ્યા.
ઉપરોક્ત ચેપની સારવાર મેળવતી સ્ત્રીઓ/દંપતીની સંખ્યા, તરુણોની સંખ્યા, છોકરીઓ 10 થી ૧૯ વર્ષ છોકરાઓ 10 થી 19 વર્ષ ની સંખ્યા.
3.સલાહકાર જૂથના સભ્યો પાસે ફોર્મ-૧ ની માહિતી ની વિગતો જાણો
સલાહકાર જૂથની સભ્ય જેવા કે પંચાયતના સભ્યો, શિક્ષકો, સંતો, પાદરી વગેરે સાથે પરામર્શ માટે જૂથ મુલાકાત યોજી કૌટુંબિક મોજણી દ્વારા ભેગી કરેલ માહિતીનું આદાન-પ્રદાન કરો.
વધુ માહિતી માટે પૂછો અને તેને અદ્યતન અને સાચી માહિતી બનાવો.
4.સેવાઓનો અગ્રતાક્રમ આપો
ઓળખી કાઢવામાં આવેલ જરૂરિયાતોના આધારે દરેક સેવાઓ માટે અનુકૂળ ધોરણો વિકસાવવો અને અગ્રતાક્રમ નક્કી કરો.
5.જોખમી જૂથને ઓળખી કાઢો
ભારતીય શૈલી પ્રમાણે જોઇએ તો પુખ્ત વયનાં પુરુષ સિવાય બધા જ લોકોને આપણે જોખમી જૂથમાં મુકી શકીએ છીએ. તો પણ બાકીના લોકોમાં જે લોકોને પાયાની સ્વાસ્થ્ય સુવિધા ની જરૂર છે એમને ઓળખી અલગ તારવી એમની જરૂરિયાત મુજબ સારવાર આપવી.
6.કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો
કાર્ય-ભાર અને દરેક સેવાઓના ઘટકો માટે સાધન સામગ્રીની જરૂરિયાતનો અંદાજ કાઢો અને નક્કી કરેલા દિવસોને વિગતો દ્વારા એક્શન-પ્લાન તૈયાર કરો તથા દરેક સેવા માટેનાં સમયે આ સેવાઓ પૂરી પાડવાની વ્યૂહરચના જેમ કે પેટા કેન્દ્ર વિસ્તારના અન્ય ગામોમાં અને દૂરના વિસ્તારમાં સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત ગોઠવી, બીજા ગામોના ક્લિનિક ચલાવવા અને એ માટેનું સ્થળ પણ નક્કી કરવું જોઈએ. જેમકે, પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, શાળા, સરકારી મકાન વગેરે.
ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
જે અગાઉના વર્ષ કરતાં ૫% થી ઓછી અને ૨૫% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
૫% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે,૨૫% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે, જો આવું બને તો ચાલુ વર્ષની ખોટી આકરણી સૂચવે છે.
7.ડેમોગ્રાફીક ગણતરી સાથે સરખાવી
રાજ્ય અથવા જીલ્લાના આંકડા પર આધારિત અંદાજ વધુ ચોક્કસ હોઈ શકે. તેથી પેટાકેન્દ્રના આયોજન માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.
આ માહિતી જિલ્લાઆંકડા અધિકારી, કુટુંબ કલ્યાણ બ્યુરો પાસેથી મળશે. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી તમને આપશે.
8.કાર્યક્ષેત્ર / સેવા વિસ્તારની સંલગ્ન માહિતી એકત્રિત કરવી
પેટા કેન્દ્ર થી અંતર,
મુસાફરી માટે ઉપલબ્ધ વાહનો.
વસ્તી નો પ્રકાર (ભણતર નું સ્તર અને જાતિ).
સમુદાય ની જરૂરિયાત.
જોખમી પરિબળો વગેરે આયોજિત અગ્રતાક્રમ લક્ષ્યમાં લેવા અને તેમને અનુકૂળ તેમ જ સમુદાયના સભ્યોની માહિતી માટેનું કાર્ય આયોજન તૈયાર કરવું.
પેટા કેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં જરૂરી જુદા પ્રકારની સેવાઓની યાદી બનાવવાની શરૂઆત કરવી અને પેટા કેન્દ્રમાં પૂરી પાડવાની થતી સેવાઓ માટે તેમજ દૂરના વિસ્તારની મુલાકાત લઈને પૂરી પાડવાની સેવાઓ માટે અઠવાડિયાના દિવસો નક્કી કરવા.
ક્યારે ક્યાં અને કયા સમયે તમે તેઓને સેવાઓની પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હશો તેની જાણકારી સમુદાયના સભ્યોને આપો. તમારી પાસે દરેક ગામમાં સેવા માટે જવા માટેના ચોક્કસ દિવસો પણ નક્કી સરકાર શ્રી દ્વારા કરેલા હશે.
(૩) કાર્ય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.05
કાર્યઆયોજન કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ
કાર્ય આયોજન ચોક્કસ તારીખે કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવું જોઇએ.
સરકારશ્રી દ્વારા નકકી થયેલ કોઈપણ દિવસમાં ફેરફાર ન કરવો જોઈએ.
જો તમે રજા પર હોય કે રજા પર જવાના હોય તો તે મુજબ અગાઉથી જાણ કરવી જોઈએ.
કોઈ પણ સંજોગોમાં ન પહોંચી શકાય તેમ હોય તો લાભાર્થી ને જાણ કરવી.
જાહેર રજા આવતી હોય તો સેશનનું આયોજન મેડિકલ ઓફિસરને જાણ કરીને બદલવું જોઈએ.
કોઈ પણ કારણસર કાર્ય-આયોજનમાં ફેરફાર થાય તો ક્લિનીક પર નોટિસ મૂકવી.
અગાઉથી રજા લીધા વગર ગેરહાજર રહેવું નહીં.
તમે રજા પર હોય તો તમારો ચાર્જ કોઈ વ્યક્તિને આપીને જવું.
સેન્ટર પર દર બુધવારે મમતા દિવસ ઉજવાય છે.
મહિના 28 દિવસ સુધી વધારાના દિવસોનો ઉપયોગ રહી ગયેલ કે છૂટી ગયો પ્રવૃત્તિ માટે કરવો.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) ૫૦૦૦ની વસ્તીવાળા સબસેન્ટરનો બર્થ રેટ ૨૫ છે આ સબસેન્ટરમાં ૦ થી ૧ વર્ષના બાળકની જરૂરીયાત વેકસીનનું ઈનડેન્ટ બનાવો. 08
સિરીજ નીડલની સંખ્યાની = લાભાર્થીની સંખ્યા × ૮ × ૧.૩૩
= ૧૨૫ × ૮ × ૧.૩૩
= ૧૩૩૦
સિરીજ નીડલની સંખ્યાની = ૧૩૩૦ નંગ.
(2) HMIES 04
HMIS – હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ
Definition : હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (HMIS) એ આરોગ્ય ક્ષેત્રના આંકડા એકત્રિત કરવા, સંગ્રહવા, વિશ્લેષણ કરવા અને ઉપયોગ કરવા માટેનું વ્યવસ્થિત અને કોમ્પ્યુટરાઈઝ્ડ તંત્ર છે. આ સિસ્ટમ આરોગ્ય સેવાઓનું આયોજન, અમલ, દેખરેખ અને મૂલ્યાંકન સુગમ બનાવે છે.
આ સિસ્ટમ આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, PHC, CHC અને જિલ્લા આરોગ્ય કચેરીઓ દ્વારા ચાલે છે અને આરોગ્ય સેવાઓનું આયોજન, અમલ, દેખરેખ અને મૂલ્યાંકન કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડે છે.
હેતુઓ:
આરોગ્ય સેવાઓનું સુવ્યવસ્થિત આયોજન કરવું.
આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિ અને અસર માપવી.
વિશ્વસનીય આંકડાઓ પર આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા સરળ બનાવવી.
સમસ્યાઓ ઓળખી યોગ્ય ઉકેલ મેળવવો.
આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવી.
મુખ્ય કાર્ય
આરોગ્ય આંકડાઓનું સંગ્રહ
માહિતીનો વિશ્લેષણ
રિપોર્ટ તૈયાર કરવો
નિર્ણયમાં ઉપયોગ
માહિતીના પ્રકાર
લોકગણતરી માહિતી – વસ્તી, ગામોની સંખ્યા, વય અને લિંગ આધારિત વસ્તી.
માતા અને શિશુ આરોગ્ય માહિતી – ANC, PNC, ડિલિવરી, રસીકરણ, પોષણ.
સેવાઓની ઉપલબ્ધતા – સ્ટાફ, બિલ્ડિંગ, દવાઓ અને સાધનોની માહિતી.
આર્થિક માહિતી – બજેટ, ખર્ચ અને ફંડ ઉપયોગ.
HMIS ની વિશેષતાઓ
ચોક્કસ અને સમયસર માહિતીઉપલબ્ધ કરાવે છે.
ઇન્ટરનેટ આધારિત સિસ્ટમ હોવાથી રાજ્ય અને કેન્દ્ર સ્તરે તરત માહિતી મળે છે.
પ્રોગ્રામ મોનીટરીંગ સરળ બને છે.
રિસોર્સ પ્લાનિંગ માટે સહાયરૂપ બને છે.
અથવા
(૧) ગ્રામ્ય સ્તરે એ.એન.એમ એ કોની સાથે સંકલન કરવું જોઈએ? તે જણાવી શિક્ષકો સાથેનું સંકલન વિગતવાર જણાવો.08
ગ્રામ્ય સ્તરે એ.એન.એમ. નું સંકલન
1.આંગણવાડી સેન્ટરની મુલાકાત:
સબ સેન્ટર દ્વારા આવરીત વિસ્તારમાં આવેલ દરેક કામની મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્ય કરે આંગણવાડી સેન્ટર આંગણવાડી વર્કર અને રીપ્રોડક્ટિવ એજ ની મધર સાથે મીટીંગ જરૂરથી કરવી જોઈએ કે જેનાથી ANM તેને સાંભળવાની તેમજ મંતવ્ય રજૂ કરવાની અને કોન્ટ્રાસેપશન વિશેની માહિતી મેળવવાની તક મેળવે છે.
કામગીરી તેણીએ કોન્ટ્રાસેપ્ટિંવ વિશે જાગૃત કરવા મદદ કરે છે.
જ્યારે આંગણવાડી વર્કર દ્વારા અન્ય માહિતી જેવી કે ગામમાં પૂરતા ટ્યુબવેલ છે કે નહીં રોડ કાચા છે કે પાકા વગેરે.
2. મહિલા સ્વાસ્થ્ય સંઘ મહિલા મંડળ સાથે મીટીંગ યોજના:
આરોગ્ય કાર્ય કરે મહિલા સ્વાસ્થ્ય સંઘના સદસ્યો સાથે મીટીંગ યોજી સ્ત્રીઓ યોગ્ય આરોગ્ય સંભાળ અને કોન્ટ્રાસેપશન વિશે કાઉન્સિલિંગ કરવું જોઈએ.
3. હોમ વિઝીટ:
સબ સેન્ટરના ગ્રામ્ય માં આવે આવેલ શક્ય હોય તેટલા વધુ પરિવારની મુલાકાત લેવી જોઈએ.
તેમજ અગાઉ કરેલ વિઝીટનું ઓગ્ય ફોલોઅપ કરવું જરૂરી છે.
હોમ વિઝીટ દરમિયાન કોમ્યુનિટીના સભ્યોને સબ સેન્ટર લેવલ પર ઉપસ્થિત હેલ્થ સેવાઓ ગ્રહણ કરવા સમજાવવું જોઈએ.
4. વિઝીટ ટુ સ્કુલ:
આરોગ્ય કાર્યક્રમ દ્વારા નિયમિત સમયે ગ્રામ્ય ની શાળાઓની મુલાકાત લેવી તપાસ કરવી જોઈએ.
તેમજ કે બાળકનું રસીકરણ કુપોષણથી પીડાતા બાળકોની તપાસ અને આવા બાળકને PHC પર સારવાર માટે રીફર કરવું.
તેમજ શાળાના શિક્ષકોની મદદથી બાળકને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ.
5. પંચાયતોના સભ્યો સાથે મુલાકાત:
પંચાયતના સભ્ય સાથે મુલાકાત હંમેશા ફાયદાકારક હોય છે.
તેમ જ પરિવાર કલ્યાણના કાર્ય માટે કોમ્યુનિટીના પુરુષોની મદદ મેળવી શકાય છે.
શિક્ષકો સાથેનું સંકલન
આરોગ્યના કાર્યક્રોમોને સફળ બનાવવામાં શાળાઓનો પણ ધણો અગત્યનો ભાગ છે, એ.એન.એમ એ પોતાના વિસ્તારમાં આવતી તમાંમ શાળાઓ ની મહીનામાં એક વખત મુલાકાત લે છે, જેથી શાળાના બાળકોમાં શારિરીક તેમજ માનસીક તદુંરસ્તી જાળવી શકાય છે, અને શિક્ષકોને આરોગ્ય શિક્ષણ આપીને હેલ્થ કેર આપવામાં મદદ થાય છે.
આથી આ રીતે શિક્ષકો આરોગ્યના કાર્યક્રમમાં નીચે પ્રમાણે મદદ રૂપ થાય છે.
મધ્યાહન ભોજન કાર્યક્રમ :
આ કાર્યક્રમ દ્વારા શાળાના બાળકોને પોષણ આપવામાં આવે છે જેનાથી બાળકોની તદુંરસ્તી જળવાય છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ દ્વારા શિક્ષકો પોતાના વર્ગોના વિદ્યાર્થીઓને આરોગ્ય તપાસ માટે તૈયાર કરે છે.
તપાસ દરમ્યાન બાળકોને કોઇ પણ તકલીફ જણાય તો તેના વિશે શિક્ષકોને જણાવે છે, અને શિક્ષકો તેમને શાળામાં રહેલ ફર્સ્ટ એઇડ બોક્ષમાંથી સારવાર આપે છે.
ગામમાં ઉદભવતા કેટલાક પ્રશ્નો જેવા કે અસ્વચ્છતા, પ્રદુષણ,ગટર સમસ્યા વગેરે વિશે શાળાના બાળકોનો સાથ મેળવીને ગામમાં રેલીનું આયોજન કરે છે અને આ રીતે ગામના પ્રશ્નો ઉકેલવામાં પણ તેઓ મદદે આવે છે. આ રીતે અહી પણ શિક્ષકોનું ઘણું જ યોગદાન રહે છે.
શિક્ષકો તથા બાળકો દ્વારા નાટક, પ્રદર્શનો વગેરે દ્વારા લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ છે.
સ્કુલ શિક્ષકોને ફસ્ટ એઈડની તાલીમ આપવામાં આવે છે ઉપરાંત અવાર- નવાર પોતાના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ પણ કરે છે.
ઉપર મુજબ ગ્રામ પંચાયત તેમજ શાળાના શિક્ષકો આરોગ્ય કાર્યક્રમમાં ખુબ જ સહકાર આપે છે.
(૨) પેટાકેન્દ્ર પર રાખવામાં આવતા રજીસ્ટરો લખો.04
સબ સેન્ટર પર રાખવામાં આવતાં રેકોર્ડ
એમ.આઇ.એસ પ્રમાણે સબસેન્ટર કક્ષાએ 8 પ્રકારના રજીસ્ટર નિભાવવામાં આવે છે જે નીચે મુજબ છે.
રજીસ્ટર નંબર 1 : સામાન્ય માહિતીનું અને ગૃહમુલાકત નું રજીસ્ટર
(૧) કોમ્યુનીકેબલ ડિસીઝ એટલે શું? સંક્રામક રોગોને કંટ્રોલ કરવા માટે લેવાતા સામાન્ય પગલાંઓ જણાવો.
કોમ્યુનિકેબલ ડિસીઝ
કોમ્યુનિકેબલ ડિસીઝ (સંક્રામક રોગો) એ એવા રોગો છે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં, પ્રાણીથી માણસમાં અથવા પર્યાવરણથી માણસમાં જીવાણુઓ (જેમ કે – બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, પ્રોટોઝોઆ, હેલ્મિન્થ) દ્વારા ફેલાય છે.
રસીકરણના અનુસંધાનમાં સબસેન્ટર માટેનું સુક્ષ્મ આયોજન જેમાં કામગીરીનું આયોજન અને રસી તથા જરૂરી સામગ્રીનો અંદાજ માટેનું આયોજન હોય છે. કામગીરીનું આયોજન સબસેન્ટરમાં ગોઠવવું જેમાં.
લાભાર્થીઓ કોણ છે ?
કઈ સેવા આપવામાં આવશે ?
કોણ સેવાઓ આપશે ?
ક્યાં અને કેવી સેવાઓ આપવામાં આવશે ?
ક્યારે સેવાઓ આપવામાં આવશે?
રસીકરણ માટેની જગ્યાની પસંદગી
રસીકરણ સેશન માટે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ?
આંગણવાડી કાર્યકર, આશા, ટી.બી.એ., અન્ય સેવાઓ આપનારા તથા પંચાયતના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ સેશન માટેની જગ્યા નક્કી કરવી.
આંગણવાડી કાર્યકર, આશા, ટી.બી.એ., અન્ય સેવાઓ આપનારા તથા પંચાયતના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ સેશન માટેની જગ્યા નક્કી કરવી.
રસીકરણ સેશન માટેની જગ્યા સરકારી ઈમારત આંગણવાડી, સામાજિક કેન્દ્ર કે સ્કુલની પસંદગી કરવી. રસીકરણ સેશનની જગ્યા નજીક ગોઠવવી.
રસીકરણ સેશનની જગ્યા અને સમય શક્ય હોય ત્યાં સુધી બદલવો નહિ.
દરેક સબસેન્ટર માટેના સેશનની સંખ્યાના અંદાજ માટેનું માર્ગદર્શન
સેશનની સંખ્યાનો આધાર ઈન્જેકશનના કાર્યભાર પર રહેલો છે.
દર ૨૫ થી ૫૦ ઈન્જેકશનના માટે એક સેશનનું આયોજન કરી શકાય.
જો ૫૦ થી વધુ ઈન્જેકશન હોય તો બે સેશનનું આયોજન કરી શકાય.
જો ૨૫ થી ઓછા ઈન્જેકશન હોય તો બે જગ્યાની સેશનનું સાથે આયોજન કરી શકાય.
(૩) RNTCP પ્રોગ્રામ વિશે લખી તેમાં એ.એન.એમનો રોલ લખો.
રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ – RNTCP (રિવાઇડ્સ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ) માં એ.એન.એમ.નો રોલ
1. કેસ શોધ અને રિફરલ
ગામ કે વિસ્તારના લોકોને ક્ષયરોગ (ટી.બી.)ના લક્ષણો અંગે જાગૃતિ આપવી
ખાંસી, તાવ, વજનમાં ઘટાડો જેવા લક્ષણ ધરાવતા દર્દીઓની ઓળખ કરવી
શંકાસ્પદ કેસને માઇક્રોસ્કોપી સેન્ટર અથવા PHC ખાતે રિફર કરવો
2. થૂંકનું નમૂના એકત્રિત અને મોકલવું
દર્દીનું યોગ્ય રીતે સ્પુટમ નમૂનો એકત્રિત કરવો
તેને સુરક્ષિત રીતે લેબ સુધી પહોંચાડવું
3. સારવારમાં સહાય
DOT (ડાયરેક્ટલી ઓબર્સવડ ટ્રીટમેન્ટ) પ્રદાતા તરીકે કાર્ય કરવું
દર્દીને સમયસર દવા લેવડાવવી અને તેની ખાતરી કરવી
દવાના સાઇડ ઇફેક્ટ પર નજર રાખવી
4. રેકોર્ડ અને રિપોર્ટિંગ
ક્ષયરોગ દર્દીઓના નામ, દવા શરૂ કરવાની તારીખ, ડોઝ, પ્રતિક્રિયા વગેરેનો રેકોર્ડ રાખવો
માસિક અને ત્રિમાસિક રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલવો
5. કાઉન્સેલિંગ અને ફોલોઅપ
દર્દી અને તેના પરિવારને ટી.બી.ની સારવારનું મહત્વ સમજાવવું
દર્દીને પૂર્ણ સારવાર સુધી પ્રોત્સાહિત કરવો
દવા છોડનાર અથવા ગેરહાજર દર્દીઓનું ઘર મુલાકાત લઈ ફોલોઅપ કરવું
6. કોમ્યુનિટી એજ્યુકેશન
આરોગ્ય મીટીંગ, મમતા સેશન, અને ઘર મુલાકાત દ્વારા ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવવી
લોકોને નિશુલ્ક તપાસ અને દવાની સુવિધા વિશે માહિતગાર કરવું
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)
(૧) સબ સેન્ટરના કાર્યો
સબસેન્ટરના કાર્યો
૧. મેટરનલ હેલ્થની કેર આપે છે.
૨. નિયોનેટલ હેલ્થ સેવા આપે છે.
૩. ચાઈલ્ડ હેલ્થ નર્સિંગની સેવા આપે છે.
૪. મેન્ટલ હેલ્થ માટે કામ કરે છે.
૫. ન્યુટ્રીશનલ સ્ટેટસ માટે માર્ગદર્શન અને સારવાર આપે છે.
૬. રસીકરણ પણ આ સેન્ટરનું મુખ્ય કામ છે.
૭. ફેમિલી પ્લાનિંગઅને કોન્ટ્રાસેપ્ટીવ સેવાઓ આપે છે.
૮. રેફરલ સેવાઓ પુરી પાડે છે.
૯. પ્રાઇમરી કેર આપે છે.
૧૦. કાઉન્સેલિંગ કરી નિર્ણય લેવામાં મદદ કરે છે.
૧૧. સ્કુલ સેનીટેશન માટે ધ્યાન આપે છે.
૧૨. કોમ્યુનીકેબલ એન્ડ નોન કોમ્યુનીકેબલડીસીઝ ને અટકાવવા માટે માર્ગદર્શન પુરૂ પાડે છે.
૧૩. રીપ્રોડક્ટીવ હેલ્થ સર્વિસ પૂરી પાડે છે.
૧૪. બેઝીક ઓપ્થેલમિક કેર આપે છે.
૧૫. બેઝીક ડેન્ટલ હેલ્થ કેર આપે છે.
૧૬. બેઝીક ઈ.એન.ટી(ઈઅર, નોઝ, થોટ) કેર આપે છે.
૧૭. બેઝીક વૃધ્ધાવસ્થાની સારવાર પુરી પાડવામાં આવે છે.
૧૮. રસીકરણ દરમ્યાન છુટી ગયેલ બાળકો નું રસીકરણ કરવામાં આવે
(૨) જન્મ મરણની નોંધણી
જન્મ મરણની નોંધણી
જન્મ અને મરણની નોંધણી ભારતમાં એક મહત્વપૂર્ણ કાયદેસર પ્રકિયા છે. તે જન્મ મરણ નોંધણી અધિનિયમ – 1969 (રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ, 1969) હેઠળ ફરજિયાત છે.
હેતુ
વ્યક્તિગત ઓળખ માટે
સરકારી સેવાઓ, શાળા પ્રવેશ, પાસપોર્ટ વગેરે માટે
આરોગ્ય આંકડા મેળવવા માટે
યોજના બનાવવામાં મદદરૂપ થવા માટે
જન્મ નોંધણી
સમય મર્યાદા: જન્મ પછી 21 દિવસની અંદર
ક્યાં થાય છે:
ગ્રામ્ય વિસ્તાર → ગ્રામ પંચાયત / ઉપકેન્દ્ર / ANM
શહેરી વિસ્તાર → નગરપાલિકા / કચેરી
જરૂરી વિગતો:
બાળકનું નામ (જો તરત નક્કી ન હોય તો પછી ઉમેરી શકાય છે)
જન્મ તારીખ, સ્થળ
માતા-પિતાનું નામ, સરનામું
મરણ નોંધણી
સમય મર્યાદા: મૃત્યુ પછી 21 દિવસની અંદર
ક્યાં થાય છે:
શહેરી વિસ્તાર → નગરપાલિકા
ગ્રામ્ય વિસ્તાર → ગ્રામ પંચાયત
જરૂરી વિગતો:
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ, ઉંમર, જાતિ
મૃત્યુની તારીખ અને સ્થળ
મૃત્યુનું કારણ (ડોક્ટરનું સર્ટિફિકેટ હોય તો)
વિલંબિત નોંધણી
21 દિવસ પછી પણ નોંધણી શક્ય છે:
21–30 દિવસ: નિર્ધારિત અધિકારીની પરવાનગી સાથે
30 દિવસ – 1 વર્ષ: સ્થાનિક કાર્યપાલક અધિકારીની મંજૂરી સાથે દંડ વસૂલાઈ શકે
1 વર્ષ પછી: મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી
(૩) ઈન સર્વિસ એજ્યુકેશન
ઇન સર્વિસ એજ્યુકેશન
ઇન સર્વિસ એજ્યુકેશન એટલે એવી શિક્ષણ અથવા તાલીમ જે વ્યક્તિ પોતાની નોકરી કરતા કરતા મેળવે છે. એટલે કે કર્મચારીઓ અથવા શિક્ષકો પોતાની સેવા દરમિયાન જ નવી જાણકારી, કૌશલ્ય અને સુધારેલી પદ્ધતિઓ શીખે છે.
ઇન-સર્વિસ એજ્યુકેશન એટલે સેવામાં રહેલા લોકો માટે આપવામાં આવતી તાલીમ અથવા શિક્ષણ.
મુખ્ય હેતુઓ
કર્મચારીઓના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવો
કામ કરવાની નવી પદ્ધતિઓ શીખવવી
કાર્યક્ષમતા અને ગુણવત્તામાં સુધારો લાવવો
બદલાતા સમયમાં નવા અપડેટ્સ અને ટેકનોલોજી શીખવવી
ઉદાહરણ
શિક્ષકો માટે સરકાર દ્વારા આયોજિત ટ્રેનિંગ વર્કશોપ
નર્સો અથવા ડોક્ટરો માટે હોસ્પિટલમાં તાલીમ કાર્યક્રમ
કંપનીમાં કર્મચારીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ
વિશેષતાઓ
નોકરી સાથે-સાથે થાય છે
સામાન્ય રીતે ટૂંકા ગાળાની તાલીમ હોય છે
વ્યવહારિક જ્ઞાન પર વધારે ભાર
(૪) પી.એચ.સી પર આદર્શ લેબર રૂમ
આદર્શ લેબર રૂમ એટલે કે જેમાં બધા જ જરૂરી સાધનો અને જરૂરી દવાઓ હોય અને તે સીસ્ટેમીક અને યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તેને આદર્શ લેબરરૂમ કહેવાય છે.
બારીઓમાં ફોસ્ટેડ ગ્લાસ હોવા જોઈએ અને પડદા હોવા જોઈએ.
૨૪ ક્લાક પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
એલ્બો ટેપ નળની વ્યવસ્થા હોવી જોઈએ.
એટેચ ટોઈલેટ બાથરૂમ હોવુ જોઈએ.
સાધન સામગ્રીઓ :
સેકન્ડ કાંટા વાળી દિવાલ ઘડીયાળ સામે જ હોવી જોઈએ.
એન્વાર્યમેન્ટલ થર્મોમીટર હોવુ જોઈએ.
ડીલેવરી ટ્રોલી ઈમરજન્સી ડ્રગ્સ સાથે હોવી જોઈએ.
રીસસ્ટીટેશન ટ્રે ચાલુ હાલતમાં હોવી જોઈએ.
પલ્સ ઓકિસમીટર તથા રેફ્રિઝરેટર હોવુ જોઈએ.
ન્યુબોર્ન કેર કોર્નર કે બેબી કોર્નર હોવુ જોઈએ જેમાં…
રેડીઅન્ટ વોર્મર
ઓકિસજન સીલીન્ડર
બેબી રીસકસીટેશન ટ્રે
સકશન મશીન
સકશન કેથેટર ૧૦ અને ૧૨ નંબર
મ્યુક્સ સકર
સાત ટ્રે તૈયાર હોવી જોઈએ.
બેબી ટ્રે
ડીલેવરી ટ્રે
એપીઝીયોટોમી ટ્રે
મેડીસીન ટ્રે
ઈમરજન્સી ડ્રગ્સ ટ્રે
પી.પી. આઈ.યુ.સી.ડી. ટ્રે
ડી.એન.ઈ. ટ્રે
બેબી વેઈટ મશીન ચાલુ હાલતમાં હોવુ જોઈએ.
રેકોર્ડ અને રજીસ્ટર :
લેબર રજીસ્ટર
રીફર રજીસ્ટર
ઓવર બૂક
પાર્ટોગ્રાફ
કેશ પેપર
જન્મ મરણ રજીસ્ટર
ઓટોકલેવ રજીસ્ટર
ક્લીનીનેસ ચાર્ટ
લેબર ટેબલ :
ઓછામાં ઓછા બે હોવા જોઈએ.
ચડવા માટે પગથીયા હોવા જોઈએ.
મેકીન ટોસ ડ્રોસીટ પાથરેલા હોવા જોઈએ.
લીથોટોમી પોઝીશન માટેની સગવડતા હોવી જોઈએ.
કેલી પેડ હોવુ જોઈએ.(બ્લડ ટેબલ પર ન રહે તે માટે )
લાઈટ :
પુરતો પ્રકાશ હોવો જોઈએ.
સેડોલેશ લાઈટની વ્યવસ્થા હોવી જોઈએ.
સ્ટરાઈલ ડ્રમ :
દરેક ડ્રમમાં તમામ પ્રકારના સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.
ગ્લાઉઝ,લીનન,ઈન્સ્ટ્રુમેન્ટ તથા કોટન સ્વોબ અને ગોઝ પીસીસના ડ્રમ હોવા જોઈએ.
કલીનીનેશ:
દરરોજ સફાઈ થવી જોઈઅ. (દર ત્રણ કલાકે)
દરેક ડીલેવરી બાદ લેબર ટેબલને ફિનોલ વડે અથવા બ્લીચીંગ સોલ્યુશન વડે સાફ કરવુ જોઈએ.
દરેક વસ્તુનું ડસ્ટીંગ કાર્બોલીક લોશન વડે રેગ્યુલર કરવુ જોઈએ.
બ્લડ સ્ટેઈનને નિયમ મુજબ સાફ કરવુ જઈએ.
ગ્લોઝ કે વાપરેલ લીનનને જયાં ત્યા નાખવા નહી.
રેગ્યુલર ઈન્ટરવલ પર સ્યોબ લઈ પેથોલોજીકલ તપાસ માટે મોકલવું જોઈએ.
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12)
(૧) કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ: કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ તે નર્સિંગ અને કોમ્યુનીટીનું સહયોગીકરણ છે. જે લોકોનું આરોગ્ય જાળવવા માટે અને આરોગ્યનું સ્તર ઉચું લાવવા માટે આપવામાં આવે છે.
(૨) આંગણવાડી વર્કર : તે એક હજારની વસ્તી એ હોય છે, ગામની આંગણવાડીએ તેવી જગ્યા છે જ્યા છ વર્ષ સુધીના બાળકો ત્રણ થી ચાર ક્લાક માટે એકઠા થાય છે. અને ત્યા આવી પૂર્વ પ્રાથમિક શિક્ષણને લગતી જુદી જુદી પ્રવૃતી શીખે છે.
આંગણવાડી કાર્યકરે દર મહીને બાળકોનું વજન કરવું અને ચાર્ટમાં નોંધ લેવી.
બાળકના વજનમાં વધારો ન થતો હોય કે ઘટાડો થતો હોય તેવા બાળકને સબસેન્ટરમાં કે એફ.એચ.ડબ્લ્યુ. બેન ની મદદ થી વજન વધે તેવા પ્રયત્નો કરવા.
બાળકોને પુરક પોષણ પુરૂ પાડવું.
સગર્ભા માતાને પણ પુરક પોષણ પુરો પાડવું.
બાળકોને પુર્વ પ્રાથમીક શિક્ષણ આપવામાં સહાયભુત થવું.વાર્તાઓ, ચિત્રો,ગીતો વગેરેના માધ્યમથી.
સ્વાસ્થપ્રદ ખોરાક બનાવવાની માતાઓને સલાહ આપવી.
આંગણવાડી વર્કર બાળકોની નિયમીત આરોગ્ય તપાસ કરાવે.
બાળકોને રસીકરણમાં મદદ કરે છે.
જન્મ અને મરણની ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવે છે.
આંગણવાડી તેડાગરની મદદથી કુપોષણ સમય સર ઓળખી તેનાથી પીડાતા બાળકોને મદદ કરે અને ખોરાક વિશે આરોગ્ય શિક્ષણ આપે છે.
(૩) આરોગ્ય: આરોગ્ય (Health) એ એ સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિનું શારીરિક, માનસિક અને સામાજિક કલ્યાણ સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય, માત્ર રોગ અથવા અકાળની નિષ્ફળતાનો અભાવ ન હોય. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, આરોગ્ય માત્ર રોગમુક્ત થવાનું નામ નથી, પરંતુ વ્યક્તિની સંપૂર્ણ શારીરિક, માનસિક, અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે.
(૪) માઈક્રોપ્લાનીંગ : મોટા પ્લાનને નાના વિભાગોમાં તોડીને, દરેક સ્તરે (ગામ, વોર્ડ, બૂથ, વર્ગખંડ વગેરે) ચોક્કસ કાર્યયોજના બનાવવી તેને માઈક્રોપ્લાનીંગ કહેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે
ચૂંટણીમાં બૂથવાર આયોજન કરવું
આરોગ્ય ક્ષેત્રમાં રસીકરણ માટે ગામવાર યાદી બનાવવી
શાળામાં ધોરણવાર અભ્યાસયોજના બનાવવી
(૫) એન.જી.ઓ : નોન ગર્વનમેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે બીન સરકારી સંસ્થા એ રાજ્ય સરકાર સાથે નોંધણી થયેલ હોય છે,જે રાજ્યના સરકારી વિભાગો સાથે સંકલન કરીને ભારત દેશમાં વિવિધ આરોગ્ય કાર્યક્રમોને કાર્યાન્વિત કરવામાં મહત્વની ભુમીકા ભજવે છે.
રાજ્ય સરકારના સહકારથી તથા ગ્રાંટ અને ફંડની મદદ દ્વારા વિવિધ આરોગ્ય પ્રોગ્રામ ચલાવે છે, અને હેતુઓ અને લક્ષ્યોને પ્રાપ્ત કરવામા મદદ કરે છે. આરોગ્ય સેવાઓમાં સુવિધાઓ પણ પુરી પાડે છે.
(૬) ફેમીલી પ્લાનીંગ : ફેમીલી પ્લાનીંગ એટલે દંપતિએ પોતાના બાળકોની સંખ્યા અને જન્મ વચ્ચેનો અંતર (spacing) અંગે વિચારીને યોગ્ય આયોજન કરવું.
તેનો મુખ્ય હેતુ
કુટુંબનું સુખાકારી જીવન સુનિશ્ચિત કરવું
માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુધારવું
આર્થિક સ્થિરતા જાળવવી
(૭) કોમ્યુનીકેશન : આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી,વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
કોમ્યુનિકેશનના હેતુઓ
લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.
લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.
લોકોમાં જાગૃતતા લાવવા માટે.
લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
(૮) સબસેન્ટર : સબસેન્ટર તે પેરીફરી માટે અને કોમ્યુનિટી માટેનો ખુબ જ અગત્ય નો કોન્ટેક્ટ પોઇન્ટ છે. હાલમાં તેને હેલ્થ અને વેલનેસ સેન્ટરના નામે ઓળખવામાં આવે છે. સામાન્ય વિસ્તારમાં દર ૫૦૦૦ની અને ટ્રાઇબલ (પહાડી,રણ) વિસ્તારમા ૩૦૦૦ની વસ્તીએ એક સબ સેન્ટર હોય છે.
દરેક વ્યક્તિ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવે તે માટે સરકારશ્રી મારફતે આયોજન કરવામાં આવેલ છે. આજે પણ આપણા દેશની ૬૯.૦૦% જેટલી વસ્તી ગામડામાં રહે છે અને ગ્રામીણ ક્ષેત્રે લોકોના આરોગ્યનું જતન કરવાની જવાબદારી સબસેન્ટરની હોય છે. આથી આરોગ્યની તમામ પ્રાથમિક સેવાઓ અહીં પુરી પાડવામાં આવે છે.
પ્રશ્ન-૬ (અ) પૂર્ણ સ્વરૂપ લખો.05
(૧) WHO – World Health Organization (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)