17) વચન વ્યવસ્થા
ગુજરાતી ભાષામાં જ્યારે કોઈપણ વ્યક્તિ , વસ્તુ કે પદાર્થ અંગે વાત કરવામાં આવે તો આવા નામ ને કે શબ્દોને એક છે કે વધારે તેવું દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય તેને વચન કહેવાય છે.
ગુજરાતી ભાષામાં એક વચન અને બહુવચન એમ બે વચનનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે સંસ્કૃત ભાષાની વાત કરવામાં આવે ત્યારે એકવચન , બહુવચન અને દ્વિવચન નો સમાવેશ કરવામાં આવે છે.
1) એકવચન
જ્યારે વ્યક્તિ, વસ્તુ ,કે પદાર્થ એક જ હોય ત્યારે વપરાતા વચનને એક વચન કહેવાય છે જેમ કે પુસ્તક, પેન, માણસ વગેરે.
ઉદા := મારી પાસે એક પુસ્તક છે
2) બહુવચન :=
જ્યારે વ્યક્તિ, વસ્તુ , કે પદાર્થ એક કરતા વધુ સંખ્યામાં હોય ત્યારે બહુવચન બને છે જેમ કે પુસ્તકો, પેનો , માણસો…. વગેરે
ઉદ:= મારી પાસે ઘણા પુસ્તકો છે.
જ્યારે કોઈપણ નામો આપેલા હોય ત્યારે તેમની પાછળ કેટલાક પ્રત્યયો લગાડવાથી બહુવચન બને છે જેમકે ઓ, આ…
ઉદા :=
દેશ -> દેશો,
સભા -> સભાઓ,
છોકરુ -> છોકરાં,
લાકડુ -> લાકડાં .